ETV Bharat / health

તણાવ, ડાયાબિટીસ અને હાર્ટની બીમારીને કાબૂ કરવાનો રામબાણ ઉપાય છે યોગ, ઉંમર વધવા સાથે શરીરને રાખે છે યુવાન અને મજબૂત

KIMS હોસ્પિટલના ડો. સુધીન્દ્ર વૂટુરીએ કર્યો દાવો, યોગ તણાવ પ્રત્યે શરીરના પ્રતિભાવને બદલી કોષીય કાર્યો સુધારે છે, વધે છે ‘હેલ્થ સ્પાન’

INTERNATIONAL YOGA DAY 2026
INTERNATIONAL YOGA DAY 2026 (GETTY IMAGES)
author img

By ETV Bharat Gujarati Team

Published : June 21, 2026 at 6:00 AM IST

4 Min Read
Choose ETV Bharat

હૈદરાબાદ : 21 જૂને સમગ્ર વિશ્વમાં ‘યોગ ફોર હેલ્ધી એજીંગ’ એટલે કે ‘સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ’ની થીમ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. તબીબી નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, યોગ એક મલ્ટી-સિસ્ટમેટિક ઈન્ટર્વેશન છે. જે મગજ, ચેતાતંત્ર, હોર્મોન્સ, કોષો, સ્નાયુઓ અને હાડકાંની તંદુરસ્તી સુધારીને તંદુરસ્તીને પ્રોત્સાહન આપે છે. કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (KIMS) હોસ્પિટલ, સિકંદરાબાદના સેન્ટર ફોર રિહેબિલિટેશનના ડાયરેક્ટર અને ચીફ ડૉ. સુધીન્દ્ર વૂટુરી કહે છે કે નિયમિત યોગાભ્યાસથી માત્ર આયુષ્ય જ નહીં, પરંતુ હેલ્થ ટાઈમ પણ વધારે છે.

વૈજ્ઞાનિક સંશોધનો દર્શાવે છે કે યોગ શરીરના તણાવ પ્રત્યેના પ્રતિભાવને સકારાત્મક રીતે બદલી નાખે છે અને કોષાની કાર્યક્ષમતામાં સુધારો કરે છે. નિયમિત અભ્યાસથી સુપરઑક્સાઇડ ડિસ્મ્યુટેઝ (SOD) અને ગ્લુટાથિયોન જેવા એન્ઝાઈમ્સના સ્તરમાં વધારો થાય છે, જે શરીરની એન્ટીઑક્સિડેન્ટ સુરક્ષા પ્રણાલીને મજબૂત બનાવે છે. આ ઑક્સિડેટીવ તણાવ ઘટાડે છે, જે વૃદ્ધત્વ પ્રક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે. યોગ અને ધ્યાનથી શરીરમાં સોજા પેદા કરનારા IL-6 અને CRP જેવા માર્કર્સ ઘટે છે. એ પણ વૈજ્ઞાનિક રીતે સાબિત થયું છે કે યોગના અભ્યાસથી કોર્ટિસોલ હોર્મોનનું સ્તર ઘટે છે, જેનાથી ઉંમર વધવા સાથે થતા હૃદયરોગ અને ડાયાબિટીસ જેવા લાંબાગાળાના રોગોનું જોખમ નોંધપાત્ર રીતે ઘટી જાય છે.

મગજની તંદુરસ્તી અને યાદશક્તિમાં વધારો
મેગ્નેટિક રેસોનન્સ ઇમેજિંગ (MRI)નો ઉપયોગ કરીને કરાયેલા અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે લાંબા સમયથી યોગ કરનારા લોકોના મગજના પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ અને હિપ્પોકેમ્પસ નામના ભાગોમાં ગ્રે મેટરનું પ્રમાણ વધુ હોય છે. યાદશક્તિ, શીખવાની ક્ષમતા અને નિર્ણય લેવાની જવાબદારી નિભાવતા મગજના આ હિસ્સા સામાન્ય રીતે વધતી ઉંમર સાથે સંકોચાતા જાય છે. પ્રાણાયામ જેવી શ્વાસ લેવાની તકનીકો ‘વેગસ નર્વ’ને સક્રિય કરે છે, જેનાથી શરીર તણાવયુક્ત ‘ફાઇટ-ઓર-ફ્લાઇટ’ સ્થિતિમાંથી બહાર આવીને શાંતિ, આરામ અને પાચનની સ્થિતિમાં પહોંચી જાય છે. યોગ ‘બ્રેઇન-ડિરાઇવ્ડ ન્યૂરોટ્રોફિક ફેક્ટર’ (BDNF) નામના પ્રોટીનનું સ્તર પણ વધારે છે, જે શીખવા, યાદશક્તિ અને મગજની નવી કોષિકાઓના વિકાસ માટે આવશ્યક છે.

તાકાત, સંતુલન અને શરીરની લવચિકતા સુધરે
યોગ વૃદ્ધોમાં સંતુલન, સ્નાયુઓની મજબૂતાઈ અને લવચિકતા વધારીને તેમની શારીરિક કાર્યક્ષમતા જાળવી રાખવામાં મદદ કરે છે. નિયમિત સ્ટ્રેચિંગથી અક્કડતા ઘટે છે અને કરોડરજ્જુ અને નિતંબની ગતિશીલતા વધે છે. સંતુલન બનાવતી સ્થિતિઓના અભ્યાસથી સ્નાયુઓ અને સાંધા સક્રિય બને છે. સાથે જ, યોગ દરમિયાન હાડકાં પર પડતા હળવા દબાણને કારણે હાડકાંના ઘસારાની ગતિ ધીમી પડે છે અને વૃદ્ધોમાં ઑસ્ટિયોપોરોસિસનું જોખમ ઘટાડી શકાય છે.

દિલની તંદુરસ્તી અને ડાયાબિટીસ નિયંત્રણમાં મદદરૂપ
નિયમિત યોગાભ્યાસથી રક્તવાહિનીઓનો પ્રતિકાર ઘટે છે, જેનાથી બ્લડ પ્રેશર કાબૂમાં રાખવામાં મદદ મળે છે. પરિણામે સ્ટ્રોક અને હૃદયરોગનું જોખમ ઘટે છે. ઉપરાંત, તે ઇન્સ્યુલિન સેન્સિટિવિટી સુધારે છે, જેનાથી ટાઇપ-2 ડાયાબિટીસ ધરાવતા લોકો પોતાનો બ્લડ સુગર વધુ સારી રીતે નિયંત્રિત કરી શકે છે.

યોગ અનેક સ્વાસ્થ્ય લાભો પ્રદાન કરે છે, પરંતુ ઓસ્ટીયોપોરોસિસ, હૃદય રોગ અને સંધિવા જેવી સ્થિતિઓ અથવા ઘુંટણ રિપ્લેસમેન્ટ સર્જરી પછીની સમસ્યા સાથે સંકળાયેલા જોખમોને ઘટાડવા માટે ખાસ કરીને વૃદ્ધોએ સાવધાની સાથે યોગ કરવો જોઈએ. હૃદય રોગની સમસ્યા ધરાવતી વ્યક્તિઓએ ઊંધી પોઝ (જેમ કે હેડસ્ટેન્ડ અથવા શોલ્ડર સ્ટેન્ડ) ટાળવા જોઈએ, કારણ કે આ ઇન્ટ્રાક્રેનિયલ અને ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર વધારી શકે છે અથવા બ્લડ પ્રેશરમાં અચાનક વધઘટને કારણે ચક્કર લાવી શકે છે.

જેમણે હિપ અથવા ઘૂંટણની સર્જરી કરાવી છે, અથવા ગંભીર સંધિવાથી પીડાય છે, તેમણે ઊંડા સ્ક્વોટ્સ, ઘૂંટણિયે પોઝ અને પદ્માસન ટાળવા જોઈએ. ખુરશી પર બેસીને યોગનો અભ્યાસ કરવાથી અથવા ધાબળા જેવા પ્રોપ્સનો ઉપયોગ કરવાથી સાંધા પરનો ભાર ઓછો કરવામાં મદદ મળી શકે છે.

કપાલભાતિ અથવા લાંબા સમય સુધી શ્વાસ રોકવો જેવી જોરદાર શ્વાસ લેવાની તકનીકો ટાળવી જોઈએ, ખાસ કરીને હૃદય અથવા શ્વસન સમસ્યાઓ ધરાવતા વૃદ્ધ પ્રેક્ટિશનરો દ્વારા. નાડી શોધન (વૈકલ્પિક નસકોરા શ્વાસ) એક સલામત વિકલ્પ માનવામાં આવે છે.

નિષ્ણાતો જણાવે છે કે વરિષ્ઠ નાગરિકોએ કોઈપણ યોગાભ્યાસ શરૂ કરતા પહેલા પોતાના ચિકિત્સકની સલાહ લેવી જરૂરી છે. પ્રાથમિક તબીબી તપાસમાં હૃદયરોગ, સ્ટ્રોકનું જોખમ, હાડકાંની ઘનતા, સાંધાના રિપ્લેસમેન્ટ, ડાયાબિટીસ નિયંત્રણ, ચક્કર આવવા, લાંબા સમયનો દર્દ અને સાંધાની અક્કડતાની તપાસ સામેલ હોવી જોઈએ. યોગ પ્રશિક્ષકોએ પણ સલામત વાતાવરણ ઊભું કરવા નોન-સ્લિપ ફ્લોરિંગ, નોન-સ્લિપ મેટ, યોગ બ્લોક અને સહાયક ઉપકરણોનો ઉપયોગ કરવો જોઈએ. પૂરતા પ્રમાણમાં પાણી પીવું, ઊભા રહીને કરવાની મુદ્રામાં ફેરફાર અને યોગ્ય શ્વાસ તકનીક વૃદ્ધ અભ્યાસીઓ માટે યોગને સુરક્ષિત અને લાભદાયક બનાવે છે.

તબીબી સલાહ લેવાની સલાહ

વરિષ્ઠ નાગરિકોને યોગાભ્યાસ શરૂ કરતા પહેલા તેમના ડૉક્ટરની સલાહ લેવાની સલાહ આપવામાં આવે છે. પ્રારંભિક તબીબી મૂલ્યાંકનમાં હૃદય રોગ, સ્ટ્રોકનું જોખમ, હાડકાની ઘનતા, અગાઉના ઘુંટણ રિપ્લેસમેન્ટ, ડાયાબિટીસ કંટ્રોલ, ચક્કર, ક્રોનિક પીડા અને સાંધા જકડાઈ જવા જેવી સમસ્યાનો સમાવેશ થાય છે.

યોગ પ્રશિક્ષકોને નોન-સ્લિપ ફ્લોરિંગ, નોન-સ્લિપ મેટ્સ, યોગ બ્લોક્સ અને અન્ય સહાયકનો ઉપયોગ કરીને સલામત વાતાવરણ બનાવવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવે છે. પર્યાપ્ત હાઇડ્રેશન, સ્ટેન્ડિંગ પોઝમાં ફેરફાર અને યોગ્ય શ્વાસ લેવાની તકનીકો યોગને વૃદ્ધ પ્રેક્ટિશનરો માટે સલામત અને ફાયદાકારક બનાવી શકે છે.

(ડિસક્લેમર: અહીં આપવામાં આવેલી તમામ સ્વાસ્થ્ય જાણકારી અને સૂચનો ફક્ત સામાન્ય સમજ માટે છે. આ માહિતી વૈજ્ઞાનિક સંશોધનો, અભ્યાસો અને તબીબી નિષ્ણાતોની સલાહ પર આધારિત છે. તેમ છતાં, કોઈપણ ઉપાય અપનાવતા પહેલા આપના ડૉક્ટરની સલાહ લેવી શ્રેષ્ઠ છે.)

આ પણ વાંચો...

  1. ‘પ્રાચીન ભારતમાં તેના ઊંડા મૂળિયાંથી, યોગ ખરેખર વૈશ્વિક બની ગયો છે’ - એન્ટોનિયો ગુટેરેસ
  2. ગાંધીનગરના માણસામાં થશે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી, આ વર્ષની થીમ 'યોગા ફોર હેલ્ધી એજિંગ'