ETV Bharat / business

'દમ હોય તો એક ગાડીનું નામ કહો...' ઈથેનૉલ પેટ્રોલના વિરોધીઓ પર ભડક્યા નીતિન ગડકરી

ગડકરીએ E20 પેટ્રોલ કારને નુકસાન પહોંચાડવાના દાવાઓને ખોટા ગણાવ્યા અને કહ્યું કે તેનાથી ખેડૂતોને ₹45,000 કરોડનો ફાયદો થયો.

ગડકરીએ E20 પેટ્રોલ કારને નુકસાન પહોંચાડવાના દાવાઓને ખોટા ગણાવ્યા અને કહ્યું કે તેનાથી ખેડૂતોને ₹45,000 કરોડનો ફાયદો થયો.
ગડકરીએ E20 પેટ્રોલ કારને નુકસાન પહોંચાડવાના દાવાઓને ખોટા ગણાવ્યા અને કહ્યું કે તેનાથી ખેડૂતોને ₹45,000 કરોડનો ફાયદો થયો. (ETV Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : July 7, 2026 at 8:43 PM IST

2 Min Read
Choose ETV Bharat

નવી દિલ્હી: કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ E20 પેટ્રોલ અંગે સોશિયલ મીડિયા અને અન્ય પ્લેટફોર્મ પર ફેલાતી ટીકાઓને સંપૂર્ણપણે નકારી કાઢી છે. 'ડેવલપ્ડ ઈન્ડિયા કૉન્ક્લેવ' ને સંબોધતા, કેન્દ્રીય મંત્રીએ આ ઇંધણથી વાહનને નુકસાન થવાના દાવાઓને સંપૂર્ણપણે પાયાવિહોણા ગણાવ્યા. તેમણે ટીકાકારોને સીધો પડકાર ફેંકતા કહ્યું, "શું દેશમાં કે બીજે ક્યાંય એક પણ કાર એવી છે જેને E20 પેટ્રોલના ઉપયોગને કારણે કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો હોય? આલોચકો ખાલી એક એવી ગાડીનું નામ જણાવે."

પેટ્રોલિયમ લૉબી પર 'પેઇડ કેમ્પેઈન' ના આરોપ

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, ઉચ્ચ ઇથેનોલ મિશ્રિત ઇંધણ સામે ઊબા કરવામાં આવી રહેલ નેરેટિવ ઇરાદાપૂર્વકના ષડયંત્ર અને 'પેઇડ કેમ્પેઈન'નો ભાગ છે. તેમણે સંકેત આપ્યો કે આ ભ્રામક પ્રચાર ફેલાવવામાં આવી રહ્યો છે કારણ કે દેશની વિદેશી ઇંધણ પરની નિર્ભરતા ઓછી થવાથી ચોક્કસ વ્યવસાયિક હિતોને નુકસાન થઈ રહ્યું છે.

આયાતનો બોજ ઘટાડવો અને પર્યાવરણનું રક્ષણ કરવું એ મુખ્ય પ્રાથમિકતાઓ

ભારતના આર્થિક અને પર્યાવરણીય લક્ષ્યોની રૂપરેખા આપતા, નીતિન ગડકરીએ કહ્યું કે, દેશ હાલમાં ક્રૂડ ઓઇલ આયાત પર વાર્ષિક આશરે ₹22 લાખ કરોડ ખર્ચ કરે છે. આ મોટી રકમ દેશના અર્થતંત્ર પર નોંધપાત્ર આર્થિક બોજ ઉભો કરે છે. વધુમાં, પરંપરાગત ઇંધણનો વધતો ઉપયોગ પર્યાવરણ માટે ગંભીર ખતરો ઉભો કરે છે. તેથી, દેશની પ્રગતિ માટે ઇથેનોલ જેવા સ્વચ્છ અને સ્વદેશી ઉર્જા સ્ત્રોતો અપનાવવા જરૂરી બની ગયા છે.

ખેડૂતોને ₹45,000 કરોડનો વધારાનો ફાયદો થયો

આ નીતિના આર્થિક ફાયદાઓ વિશે વિગતવાર જણાવતા, ગડકરીએ જણાવ્યું હતું કે શેરડી ઉપરાંત મકાઈ, ભાંગેલા ચોખા અને બાયોમાસમાંથી ઇથેનોલ બનાવવાના નિર્ણયથી ગ્રામીણ અર્થતંત્રને નોંધપાત્ર રીતે વેગ મળ્યો છે. જ્યારે મકાઈમાંથી ઇથેનોલ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારે મકાઈનો બજાર ભાવ ₹1,200 પ્રતિ ક્વિન્ટલ હતો, જ્યારે MSP ₹1,800 હતો. આ નીતિને પગલે, મકાઈનો બજાર ભાવ ₹2,800 પ્રતિ ક્વિન્ટલ પર પહોંચી ગયો. આ નિર્ણયના પરિણામે ફક્ત ઉત્તર પ્રદેશ અને બિહારના ખેડૂતોના ખિસ્સામાં વધારાના ₹45,000 કરોડ રૂપિયા આવ્યા છે.

ભવિષ્યમાં E85 અને E100 ઇંધણ રજૂ કરવાની તૈયારીઓ

મંત્રાલય હવે સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ, 1989 માં જરૂરી સુધારા કરવાના પ્રસ્તાવ પર કામ કરી રહ્યું છે. આનાથી દેશમાં ફ્લેક્સ-ફ્યુઅલ અને 100% શુદ્ધ બાયોફ્યુઅલ વાહનો માટે માર્ગ મોકળો થશે, જેનાથી ભવિષ્યમાં E85 (85% ઇથેનોલ) અને E100 (સંપૂર્ણ ઇથેનોલ) તેમજ હાઇડ્રોજન-CNG અને બાયો-ડીઝલનો મોટા પાયે ઉપયોગ શક્ય બનશે.

આ પણ વાંચો: