ETV Bharat / business

પેટ્રોલ-ડીઝલ પર લાગેલી પાબંદીઓ હટી, 1 જુલાઈ સામાન્ય થશે વેચાણ

તેલ સપ્લાયમાં સુધારો થયા પછી કેન્દ્ર સરકારે 1 જુલાઈથી પેટ્રોલ અને ડીઝલના વેચાણ અને જથ્થાબંધ ખરીદી પરના તમામ કામચલાઉ નિયંત્રણો હટાવી લીધા છે

તેલ સપ્લાયમાં સુધારો થયા પછી કેન્દ્ર સરકારે 1 જુલાઈથી પેટ્રોલ અને ડીઝલના વેચાણ અને જથ્થાબંધ ખરીદી પરના તમામ કામચલાઉ નિયંત્રણો હટાવી લીધા છે
તેલ સપ્લાયમાં સુધારો થયા પછી કેન્દ્ર સરકારે 1 જુલાઈથી પેટ્રોલ અને ડીઝલના વેચાણ અને જથ્થાબંધ ખરીદી પરના તમામ કામચલાઉ નિયંત્રણો હટાવી લીધા છે (Gettty Images)
author img

By ETV Bharat Gujarati Team

Published : June 30, 2026 at 3:49 PM IST

2 Min Read
Choose ETV Bharat

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે 1 જુલાઈથી જ પેટ્રોલ અને ડીઝલના વેચાણ પરના તમામ કામચલાઉ પ્રતિબંધો હટાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. છેલ્લા થોડા સમયમાં દેશના ઑઈલની સપ્લાયને લગતી સમસ્યાઓમાં ઘણો સુધારો થયો છે. આ જ કારણ છે કે સરકારે આ પગલું ભર્યું છે.

પેટ્રોલિયમ મંત્રાલયે આ સંદર્ભમાં એક સત્તાવાર આદેશ જારી કર્યો છે. સરકારે જણાવ્યું છે કે દેશમાં ઇંધણની ઉપલબ્ધતાની સમીક્ષા કર્યા પછી, એવું નક્કી કરવામાં આવ્યું છે કે આ પ્રતિબંધો હવે ચાલુ રાખવાની જરૂર નથી.

તેલ સપ્લાયમાં સુધારો થયા પછી કેન્દ્ર સરકારે 1 જુલાઈથી પેટ્રોલ અને ડીઝલના વેચાણ અને જથ્થાબંધ ખરીદી પરના તમામ કામચલાઉ નિયંત્રણો હટાવી લીધા છે
તેલ સપ્લાયમાં સુધારો થયા પછી કેન્દ્ર સરકારે 1 જુલાઈથી પેટ્રોલ અને ડીઝલના વેચાણ અને જથ્થાબંધ ખરીદી પરના તમામ કામચલાઉ નિયંત્રણો હટાવી લીધા છે (પેટ્રોલિમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય)

શા માટે લાદવામાં આવ્યા હતા પ્રતિબંધો?

આ મહિનાની 12મી જૂને, સરકારે "મોટર સ્પિરિટ અને હાઇ સ્પીડ ડીઝલ ઓર્ડર, 2026" હેઠળ કેટલાક કડક નિયમો લાગુ કર્યા હતા. તે સમયે, મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવને કારણે વૈશ્વિક ક્રૂડ ઑઇલ સપ્લાય અને શિપિંગ રૂટ પર અસર પડી હતી.

આ સંકટને કારણે, દેશમાં ડીઝલની માંગ અચાનક ખૂબ વધી ગઈ હતી. હકીકતમાં, પેટ્રોલ પંપ પર તેલના ભાવ સામાન્ય લોકો માટે ઓછા અને સ્થિર રાખવામાં આવ્યા હતા. બીજી તરફ, ફેક્ટરીઓ, ટેલિકૉમ ટાવર અને મોટા વ્યાપારી ગ્રાહકો માટે જથ્થાબંધ તેલના ભાવ આંતરરાષ્ટ્રીય બજારના ભાવ કરતા ઘણા વધારે હતા. પૈસા બચાવવા માટે, આ મોટા ઔદ્યોગિક ગ્રાહકોએ જથ્થાબંધ સપ્લાયર્સને બાયપાસ કરીને રિટેલ પેટ્રોલ પંપ પરથી સીધા જ મોટી માત્રામાં ડીઝલ ખરીદવાનું શરૂ કર્યું. આનાથી સામાન્ય લોકો માટે ઑઈલની અછતનું જોખમ ઊભું થયું.

હવે શું બદલાશે?

આ નવા નિર્ણય સાથે, આવતીકાલથી બજારની સ્થિતિ સામાન્ય થઈ જશે:

ખુલ્લી ખરીદીની મંજૂરી: ફેક્ટરીઓ, બસ અને ટ્રક ઑપરેટરો અને મોટા વ્યાપારી સંસ્થાઓ હવે કોઈપણ રિટેલ પેટ્રોલ પંપ પરથી તેમની જરૂરિયાત મુજબ ડીઝલ અને પેટ્રોલ ખરીદી શકશે.

મર્યાદા નાબૂદ: પેટ્રોલ પંપ પર ડીઝલ ખરીદી પરની દૈનિક મર્યાદા (કેપિંગ), જે સરકારે નક્કી કરી હતી, તે હવે સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવી છે.

90 દિવસનો નિયમ પાછો ખેંચી લેવામાં આવ્યો છે: મોટા ખરીદદારો પર નજર રાખવા માટે તેલ કંપનીઓને આપવામાં આવેલ 90 દિવસનો નિયમ અકાળે પાછો ખેંચી લેવામાં આવ્યો છે.

સરકારના આ નિર્ણય સાથે, ઇન્ડિયન ઓઇલ (IOCL), ભારત પેટ્રોલિયમ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL) દ્વારા સંચાલિત પેટ્રોલ પંપ હવે રાબેતા મુજબ ફરી શરૂ થશે. આનાથી સામાન્ય વાહનચાલકો અને મોટા ઉદ્યોગો બંનેને નોંધપાત્ર રાહત મળશે.

આ પણ વાંચો: