ઇબોલા વાયરસની ભારતમાં એન્ટ્રી! યુગાન્ડાથી બેંગલુરૂ આવેલી મહિલામાં જોવા મળ્યા લક્ષણ
યુગાન્ડાની એક 28 વર્ષીય મહિલામાં વાયરસના લક્ષણ દેખાયા બાદ મંગળવારે સરકારી એપિડેમિક ડિસીસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે

Published : May 27, 2026 at 12:05 PM IST
બેંગલુરૂ: ભારતમાં ઇબોલા વાયરસને લઇને સરકાર સતર્ક થઇ ગઇ છે. તમામ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના ખાસ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, કર્ણાટકના પાટનગર બેંગલુરૂની એક સરકારી હૉસ્પિટલમાં યુગાન્ડાથી આવેલી એક મહિલાને દાખલ કરવામાં આવી છે. આ મહિલામાં ઇબોલા વાયરસના લક્ષણ જોવા મળ્યા છે. જોકે, હજુ સુધી ભારતમાં ઇબોલા વાયરસનો કોઇ કેસ નોંધાયો નથી.
બેંગલુરૂના સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, યુગાન્ડાની એક 28 વર્ષીય મહિલામાં વાયરસના લક્ષણ દેખાયા બાદ મંગળવારે સરકારી એપિડેમિક ડિસીસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. સ્વાસ્થ્ય અધિકારીઓ અનુસાર, ઇબોલા પ્રભાવિત વિસ્તારમાંથી આવેલી મહિલાના શરીરમાં દુખાવા જેવા સામાન્ય લક્ષણ દેખાયા બાદ સાવચેતીના ભાગરૂપે હોટલમાંથી હોસ્પિટલ લાવવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે, તેના સેમ્પલ ટેસ્ટિંગ માટે પુણેમાં નેશનલ ઇંસ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV)ને મોકલવામાં આવ્યા છે અને રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. દરમિયાન પ્રોટોકોલ અનુસાર, ફરી ટેસ્ટ પણ કરવામાં આવશે. જોકે, મહિલાની હાલત અત્યારે સ્થિર છે.
Uganda national isolated in Bengaluru tests negative for Ebola: Officials. pic.twitter.com/HYuxFecj3Z
— Press Trust of India (@PTI_News) May 27, 2026
સ્વાસ્થ્ય વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે તેણીની સ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે કારણ કે તે ઇબોલા પ્રભાવિત વિસ્તારમાંથી પરત ફરી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ 17 મેના રોજ, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC) અને યુગાન્ડામાં ચાલી રહેલા ઇબોલા બીમારી (ED)ના ફેલાતા હોવાથી કર્ણાટક હેલ્થ વિભાગે શુક્રવારે અસરગ્રસ્ત દેશોમાં તાજેતરમાં મુસાફરી કરનારા લોકોને પાછા ફર્યા પછી 21 દિવસ સુધી હેલ્થ મોનિટરિંગ અને સેલ્ફ-ઓબ્ઝર્વેશનની સલાહ આપી હતી.
વિભાગે જણાવ્યું હતું કે જેમને લક્ષણો દેખાય છે તેઓએ તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રમાં જાણ કરવી જોઈએ, જ્યારે રેપિડ રિસ્પોન્સ ટીમ્સ (RRTs) દેખરેખ કરશે. બેંગલુરુમાં, રાજીવ ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચેસ્ટ ડિસીઝ (RGICD)ને આઇસોલેશન સેન્ટર તરીકે પસંદ કરવામાં આવ્યું છે, જ્યારે એપિડેમિક ડિસીઝ હોસ્પિટલને ક્વોરેન્ટાઇન અને સારવાર કેન્દ્ર તરીકે પસંદ કરવામાં આવી છે. મેંગલુરુમાં, ન્યુ મેંગલુરુ પોર્ટ ઓથોરિટી (NMPA) હેઠળ શ્રીનિવાસ પોર્ટ હોસ્પિટલને ક્વોરેન્ટાઇન સેન્ટર બનાવવામાં આવ્યું છે, જ્યારે વેનલોક ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલને આઇસોલેશન અને સારવાર કેન્દ્ર બનાવવામાં આવ્યું છે.
ખતરનાક છે ઇબોલા વાયરસ
ઇબોલા એક ગંભીર વાયરલ બીમારી છે, જે ઇબોલા વાયરસથી ફેલાય છે. આ બીમારીથી મૃત્યુદર ખૂબ જ ઊંચો હોઇ શકે છે. લક્ષણોમાં તીવ્ર તાવ, નબળાઇ, સ્નાયુઓમાં દુખાવો, માથાનો દુખાવો, ગળામાં દુખાવો, ઝાડા, પેટમાં દુખાવો અને આખા શરીરમાં ફોલ્લીઓ, જેમાં લાલ આંખોનો સમાવેશ થાય છે. આ રોગ વિશે જે જાણીતું છે તે સૂચવે છે કે તે ચેપ દ્વારા ફેલાય છે.
આ પણ વાંચો:

