NEETના દબાણમાં પુત્રએ ગોળી મારીને કરી પિતાની હત્યા, મૃતદેહના કર્યા બે કટકા, અડધો ભાગ ડ્રમમાંથી મળ્યો
પોલીસે આરોપી પુત્રની અટકાયત કરી છે. પૂછપરછ દરમિયાન પુત્રએ ખુલાસો કર્યો હતો કે, તેના પિતા તેને ભણવા માટે દબાણ કરતા અને સતત ઠપકો આપતા હતા.

Published : February 24, 2026 at 5:09 PM IST
લખનૌ: આશિયાના પોલીસ સ્ટેશન વિસ્તારના સેક્ટર L માં, અભ્યાસ માટે દબાણ કરતા એક પિતાની પુત્રએ ગોળી મારીને હત્યા કરી નાખી. મૃતદેહ છુપાવવા માટે, તેણે પિતાના મૃતદેહના બે ટુકડા કરી નાખ્યા, બંને હાથ ઘરથી દૂર ફેંકી દીધા, જ્યારે ધડ ગ્રાઉન્ડ ફ્લોર પર ડ્રમમાં છુપાવી દીધું. પોલીસે આરોપી પુત્રને કસ્ટડીમાં લીધો છે. મૃતદેહને પણ કબજામાં લેવામાં આવ્યો છે અને પોસ્ટમોર્ટમ માટે મોકલાયો છે.
મૃતકની ઓળખ માનવેન્દ્ર સિંહ (49) તરીકે થઈ છે, જે સેક્ટર L માં રહેતા હતા અને પેથોલોજી સંચાલક હતા. માનવેન્દ્ર તેમના પુત્ર, અક્ષત પ્રતાપ સિંહ ઉર્ફે રાજા (19) અને પુત્રી સાથે રહેતા હતા. માનવેન્દ્રની પત્નીનું લગભગ નવ વર્ષ પહેલાં અવસાન થયું હતું. પુત્ર અક્ષતે 20 ફેબ્રુઆરીએ આશિયાના પોલીસ સ્ટેશનમાં તેના પિતા ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાવી હતી.
દુર્ગંધ આવતાં પડોશીઓએ પોલીસને ફોન કર્યો: સોમવારે સાંજે લગભગ 4:00 વાગ્યે, માનવેન્દ્રના પડોશીઓએ પોલીસને દુર્ગંધ આવવાની જાણ કરી. ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરતાં પોલીસે માનવેન્દ્રનો મૃતદેહ શોધી કાઢ્યો. મૃતદેહનો અડધો ભાગ ગ્રાઉન્ડ ફ્લોર પર ડ્રમમાંથી મળી આવ્યો હતો. બંને હાથ કપાયેલા હતા.
20 ફેબ્રુઆરીની સવારે મારી હતી ગોળી: ડીસીપી સેન્ટ્રલ વિક્રમ વીર સિંહે જણાવ્યું હતું કે, અક્ષત પ્રતાપ સિંહે 20 ફેબ્રુઆરીની સવારે 4:30 વાગ્યે તેના પિતા માનવેન્દ્ર સિંહને રાઇફલથી ગોળી મારી હત્યા કરી હતી. મૃતદેહ છુપાવવા માટે, તેણે બંને હાથ કાપીને બહાર ફેંકી દીધા હતા. ધડ ગ્રાઉન્ડ ફ્લોર પર મળી આવ્યું હતું. અક્ષત પ્રતાપ સિંહે ગુનો કબૂલી લીધો છે.
સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે તેના પર દબાણ કરતા હતા: પૂછપરછ દરમિયાન અક્ષયે જણાવ્યું કે, તેના પિતા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે તેના પર દબાણ કરતા હતા. તે તેને ખૂબ ઠપકો આપતા હતા. 20 ફેબ્રુઆરીની સવારે પણ આ જ મુદ્દા પર ઝઘડો થયો હતો. ત્યારબાદ અક્ષત પ્રતાપ સિંહે તેમને રાઇફલથી ગોળી મારી દીધી હતી.
બંને હાથ કરવતથી કાપી નાખવામાં આવ્યા હતા: ગોળી વાગતા જ માનવેન્દ્ર પ્રતાપ સિંહનું મૃત્યુ થયું હતું. 20 ફેબ્રુઆરીથી 23 ફેબ્રુઆરી સુધી, અક્ષતે તેના પિતાના મૃતદેહનો નિકાલ કરવાની યોજના બનાવી. તેણે કરવતથી બંને હાથ કાપી નાખ્યા અને શરીરથી અલગ કરી દીધા. પછી, તેણે તેમને બ્રેઝા કારમાં રાખ્યા અને પરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સદરૌના નજીક ફેંકી દીધા.
નાનો ભાઈ પોલીસમાં કોન્સ્ટેબલ: પડોશીઓએ જણાવ્યું હતું કે, અક્ષત ટીએસ મિશ્રા કોલેજમાંથી બી.કોમ કરી રહ્યો છે. જ્યારે પુત્રી એલપીએસ સ્કૂલમાં 11મા ધોરણની વિદ્યાર્થીની છે. માનવેન્દ્ર આશિયાના સાલેહ નગર અને બુધેશ્વર રોડ પર વર્ધમાન નામની પેથોલોજી ધરાવે છે અને તેની પાસે શરાબના બે કોન્ટ્રાક્ટ પણ છે. માનવેન્દ્રનો નાનો ભાઈ એસએસ રાજાવત યુપી પોલીસમાં નોકરી કરે છે, અને હાલમાં વિધાનસભા સુરક્ષા ફરજ પર તૈનાત છે. તે પોતાના પરિવાર સાથે ઘરના બીજા માળે રહે છે. તે 20 ફેબ્રુઆરીએ ગામ ગયો હતો. જ્યારે મૃતકના માતા-પિતા જાલૌનના ઉદયપુરા ગામમાં રહે છે.
પિતાના મિત્રને આપી આત્મહત્યા વિશે માહિતી: પાડોશી ધર્મેન્દ્ર સિંહે જણાવ્યું કે, અક્ષતે માનવેન્દ્રના મિત્ર સોનુ ગુપ્તાને કહ્યું હતું કે, તેના પિતાએ આત્મહત્યા કરી છે. આ અચાનક ખુલાસો થતાં સોનુ સ્તબ્ધ થઈ ગયો. સોનુએ તેના અન્ય મિત્રોનો સંપર્ક કર્યો અને અક્ષતના વર્તન પર શંકા વ્યક્ત કરીને તેની કડક પૂછપરછ કરી, જેના કારણે તે ભાંગી પડ્યો અને તેના પિતાની હત્યા કર્યાની કબૂલાત કરી.
પુત્રીનું ભેદી મૌન: સમગ્ર ઘટના બાદ પુત્રીએ મૌન ધારણ કરી લીધું છે. પુત્ જ સમગ્ર ઘટનાની એકમાત્ર સાક્ષી છે. તેણીએ તેના સંબંધીઓ અને પડોશીઓને આ ઘટના વિશે કેમ ન કહ્યું તે તપાસનો વિષય છે. જ્યારે અક્ષતે તેના પિતાને રાઇફલથી ગોળી મારીને કરવતથી હાથ કાપી નાખ્યા ત્યારે દિકરી કૃતિએ બુમો ન પાડી ?

