મીડલ ઈસ્ટના તણાવને પગલે ભારતના ચાર એરપોર્ટ્સ પરથી 250થી વધુ ફ્લાઈટ્સ રદ્દ
28 ફેબ્રુઆરીએ ફાટી નીકળેલા મધ્ય પૂર્વ સંકટને કારણે ભારતીય એરલાઇન્સે છેલ્લા ત્રણ દિવસમાં 1117 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરી છે

Published : March 3, 2026 at 9:39 PM IST
મુંબઈ: મીડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે મંગળવારે દિલ્હી, મુંબઈ, બેંગ્લોર અને ચેન્નાઈ એરપોર્ટ પર 250 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી, એવું અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે. અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન સાથે વધતા સંઘર્ષ વચ્ચે એરલાઇન્સે ફ્લાઇટ્સ રદ્દ કરી હોવાથી ચોથા દિવસે પણ ફ્લાઇટ કામગીરી ખોરવાઈ રહી હતી.
અધિકારીઓએ જણાવ્યું કે, દિલ્હી એરપોર્ટ પર 80 જેટલી ફ્લાઇટ્સ રદ્દ કરવામાં આવી હતી જ્યારે મુંબઈ એરપોર્ટ પર 107 સેવાઓ રદ્દ કરવામાં આવી હતી. બેંગ્લોરમાં, દિવસ માટે ઓછામાં ઓછી 42 ફ્લાઇટ્સ રદ્દ કરવામાં આવી છે.
X પરની એક પોસ્ટમાં, ચેન્નાઈ એરપોર્ટે જણાવ્યું હતું કે 30 ફ્લાઇટ્સ રદ્દ કરવામાં આવી છે. આ સંખ્યામાં પ્રસ્થાન અને આગમનનો સમાવેશ થાય છે. 28 ફેબ્રુઆરીએ મધ્ય પૂર્વ કટોકટી ફાટી નીકળી ત્યારથી, ભારતીય એરલાઇન્સે છેલ્લા ત્રણ દિવસમાં 1,117 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ્દ કરી છે.
Passenger Advisory issued at 15:00 hrs.#DelhiAirport #PassengerAdvisory #DELAdvisory@MoCA_GoI@DGCAIndia pic.twitter.com/gaFeNX4fa9
— Delhi Airport (@DelhiAirport) March 3, 2026
દિલ્હી એરપોર્ટ ઓપરેટર DIAL એ X પર એક પોસ્ટ દ્વારા આ માહિતી આપી કે, "મધ્ય પૂર્વમાં બદલાતી ભૂ-રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, કેટલીક પશ્ચિમ તરફ જતી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ વિલંબ અથવા ઓપરેશનલ એડજસ્ટમેન્ટને પાત્ર હોઈ શકે છે,"
28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા અમેરિકા અને ઇઝરાયલના ઈરાન પરના હુમલાઓમાં, ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીનું મોત થયું હતું. જવાબમાં, ઈરાન ઇઝરાયલ અને ખાડીની આસપાસના યુએસ લશ્કરી બેઝ પર ડ્રોન અને મિસાઇલો છોડી રહ્યું છે.
આ પણ વાંચો:

