કેસમાંથી મુક્તિ મળ્યા બાદ પ્રાચીન હનુમાન મંદિરે માથું નમાવવા પહોંચ્યા કેજરીવાલ-સિસોદિયા
શુક્રવારે રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા સહિત 21 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા

Published : February 28, 2026 at 4:15 PM IST
નવી દિલ્હી: AAPના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ CM અરવિંદ કેજરીવાલે AAP નેતા મનીષ સિસોદિયા સાથે કનોટ પ્લેસ સ્થિત પ્રાચીન હનુમાન મંદિરમાં જઈ પ્રાર્થના કરી. દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં રાહત મળ્યા બાદ અરવિંદ કેજરીવાલે તેમની પત્ની સુનિતા કેજરીવાલ અને પરિવાર સાથે શનિવારે રાજધાનીના પ્રખ્યાત હનુમાન મંદિરની મુલાકાત લીધી.
આ દરમિયાન આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા, પાર્ટીના સાંસદ સંજય સિંહ અને ધારાસભ્ય દુર્ગેશ પાઠક પણ હાજર હતા. બધા નેતાઓએ મંદિરની મુલાકાત લીધી તથા દર્શન-પૂજા કરીને આશીર્વાદ લીધા.
#WATCH | दिल्ली: AAP के राष्ट्रीय संयोजक अरविंद केजरीवाल ने AAP नेता मनीष सिसोदिया और संजय सिंह के साथ कनॉट प्लेस के प्राचीन हनुमान मंदिर में पूजा-अर्चना की। pic.twitter.com/zKjDW09A9j
— ANI_HindiNews (@AHindinews) February 28, 2026
જણાવી દઈએ કે, શુક્રવારે, રાઉઝ એવન્યુ કોર્ટે અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં અન્ય 21 આરોપીઓને મોટી રાહત આપતા આરોપોમાંથી મુક્ત કર્યા હતા. આ કેસ વર્ષ 2021-22 માટે દિલ્હી એક્સાઇઝ પોલિસી સાથે સંબંધિત હતો, જે આમ આદમી પાર્ટી સરકાર દ્વારા લાગુ કરવામાં આવ્યો હતો. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ આરોપ લગાવ્યો હતો કે, આ નીતિથી કેટલાક ખાનગી દારૂના વેપારીઓને અયોગ્ય લાભ થયો અને દિલ્હી સરકારને નાણાંકીય નુકસાન થયું. કોર્ટના ચુકાદા બાદ આમ આદમી પાર્ટીમાં ખુશી ફેલાઈ ગઈ. સંજય સિંહની પત્નીએ કોર્ટના નિર્ણયનું સ્વાગત કરતા કહ્યું કે, આ દિવસ પક્ષ અને તેમના પરિવાર માટે અત્યંત મહત્વપૂર્ણ છે અને ન્યાયતંત્રે તેમને અપેક્ષા કરતાં વધુ રાહત આપી છે. રાઉઝ એવન્યુ કોર્ટના ન્યાયાધીશ જિતેન્દ્ર સિંહે તેમના આદેશમાં જણાવ્યું હતું કે, તપાસ એજન્સીની સત્તાઓ અને વ્યક્તિના જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકાર વચ્ચે સંતુલન બનાવવું એ બંધારણની સીધી જરૂરિયાત છે. આ કાયદાનો મામલો નથી. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, જો આ સંતુલન બગડે છે, તો કાયદાનું શાસન નબળું પડે છે અને ફોજદારી ન્યાય વ્યવસ્થામાં લોકોનો વિશ્વાસ ડગમગી શકે છે.
આ પણ વાંચો:

