બેંગલુરુમાં મોટી દુર્ઘટના: પથ્થરની ખાણમાં ખડક ધસી પડતાં 7 મજૂરોના મોત
બેંગલુરુમાં આજે સવારે સ્ટોન ક્રશર સાઈટ પર મોટી દુર્ઘટના બની. બિહાર અને આસામના 7 મજૂરોના મોત થઈ ગયા.

Published : July 2, 2026 at 12:01 PM IST
બેંગલુરુ: કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં ગુરુવારે સવારે એક મોટી દુર્ઘટના ઘટી. પથ્થરની ખાણમાં ખડક પડવાથી સાત મજૂરોના મોત થયા. આ ઘટના બેંગલુરુ દક્ષિણ જિલ્લાના મડાપટ્ટણા ખાતે વહેલી સવારે બની હતી.
તમામ મૃતકો સ્ટોન ક્રશર સાઇટ પર કામ કરનારા મજૂરો હતા અને પડેલા પથ્થરની નીચે ફસાઈ ગયા હતા અને તેમનું સ્થળ પર જ મોત થઈ ગયું. આ દુર્ઘટના ત્યારે બની જ્યારે મજૂરો ખાણમાં કામ કરી રહ્યા હતા. એવું માનવામાં આવે છે કે બધા મૃતકો બિહાર અને આસામના મજૂરો હતા. ખડક નીચે હજુ પણ વધુ મજૂરો ફસાયેલા હોવાની આશંકા હોવાથી બચાવ કામગીરી ચાલી રહી છે.
VIDEO | Karnataka: Seven workers from Bihar were killed after a massive rock collapsed at a stone quarry in Bengaluru on Thursday, police said. According to police, the tragedy occurred in the early morning at Madapattana in Bengaluru South Taluk. Visuals from the incident site.… pic.twitter.com/ft28kUtaP6
— Press Trust of India (@PTI_News) July 2, 2026
ઘાયલોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલોની ચોક્કસ સંખ્યાની ચકાસણી કરવામાં આવી રહી છે, પરંતુ પ્રારંભિક અહેવાલો દર્શાવે છે કે ઘણા મજૂરોને ઈજા થઈ છે. ખડક ધસી પડ્યા બાદ, બચાવ કર્મચારીઓ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચીને કામગીરી શરૂ કરી છે.
વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે, અને અધિકારીઓએ કાટમાળ હટાવવાનું અને અન્ય ફસાયેલા મજૂરોનું સર્ચ શરૂ કરી દીધું છે. અહેવાલ છે કે સ્થળ પર આશરે 18 મજૂરો કામ કરી રહ્યા હતા. લગભગ 40 ફૂટની ઊંચાઈથી એક મોટો પથ્થર મજૂરો પર પડ્યો. પોલીસે જણાવ્યું કે બધા મૃતકો બિહારના હતા અને તેમના પરિવારોને જાણ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પોલીસે ઉમેર્યું કે ખડક પડવાનું કારણ નક્કી કરવા અને ખાણમાં કોઈ બેદરકારી કે સલામતીના ધોરણોનું ઉલ્લંઘન થયું છે કે કેમ તે શોધવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો:

