ETV Bharat / bharat

ઈરાન યુદ્ધ: ફેમસ કૉમેડિયનનો પુત્ર કુવૈતમાં ફસાયો, PM મોદી અને મુખ્યમંત્રીને રડતી આંખે કરી અપીલ

મરાઠી અભિનેત્રી વિશાખા સુબેદારનો દીકરો ઈંગ્લેન્ડ જઈ રહ્યો હતો, પરંતુ કુવૈતમાં ફસાઈ ગયો

મરાઠી અભિનેત્રી વિશાખા સુબેદારનો દીકરો ઈંગ્લેન્ડ જઈ રહ્યો હતો, પરંતુ કુવૈતમાં ફસાઈ ગયો
મરાઠી અભિનેત્રી વિશાખા સુભેદારનો દીકરો ઈંગ્લેન્ડ જઈ રહ્યો હતો, પરંતુ કુવૈતમાં ફસાઈ ગયો (ETV Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : March 3, 2026 at 9:39 PM IST

2 Min Read
Choose ETV Bharat

મુંબઈ: ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધને કારણે પશ્ચિમ એશિયામાં તણાવમાં નોંધપાત્ર વધારો થયો છે. કામ કે પર્યટન માટે ખાડી દેશોમાં ગયેલા ઘણા ભારતીય નાગરિકો ત્યાં ફસાયેલા છે. મરાઠી અભિનેત્રી વિશાખા સુભેદારનો પુત્ર છેલ્લા ચાર દિવસથી કુવૈતમાં ફસાયેલ છે. વિશાખા સુભેદારે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો, જેમાં તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને તેના બાળકના સુરક્ષિત ભારત પરત આવવાની વ્યવસ્થા કરવા માટે ભાવનાત્મક અપીલ કરી.

વિશાખા સુભેદારની ભાવનાત્મક અપીલ

મરાઠી અભિનેત્રી વિશાખા સુભેદારનો પુત્ર ઇંગ્લેન્ડની મુસાફરી કરી રહ્યો હતો પરંતુ કુવૈતમાં ફસાયો છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં, તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને વિનંતી કરી હતી કે તેઓ કુવૈતમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા માટે યોગ્ય વ્યવસ્થા કરે, જેમ તેઓ અગાઉ ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે પાછા લાવ્યા છે.

વીડિયોમાં શું છે?

"નમસ્તે, હું વિશાખા સુબેદાર છું... મારી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક વિનંતી છે. મારો પુત્ર લંડન જઈ રહ્યો હતો, પરંતુ કુવૈતમાં લેઓવરને કારણે તેની ફ્લાઇટ ડાયવર્ટ કરવામાં આવી હતી. એરસ્પેસ ઉપલબ્ધ ન હોવાથી છેલ્લા ચાર દિવસથી બધી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે, જેના કારણે મારો પુત્ર કુવૈતમાં ફસાઈ ગયો છે."

વીડિયોમાં, તેેણે આગળ કહ્યું, "હું સમાચાર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખી રહી છું અને મારો પુત્ર પોતે તેનો અનુભવ કરી રહ્યો છે. કુવૈતમાં અનેક ડ્રોન હુમલાઓ થઈ રહ્યા છે. એરલાઈને હાલમાં તેના માટે હોટલમાં રોકાવાની વ્યવસ્થા કરી છે. હું હાથ જોડીને વિનંતી કરું છું કે જેમ દુબઈથી લોકોને સુરક્ષિત રીતે પાછા લાવવામાં આવ્યા છે, તેવી જ રીતે કુવૈતમાં ફસાયેલા નાગરિકોને પાછા લાવવાની પણ વ્યવસ્થા કરવામાં આવે."

વિશાખા સુભેદારે કહ્યું, "ઘણી માતાઓ અને પરિવારો તેમના બાળકો ઘરે પાછા ફરવાની રાહ જોઈ રહ્યા છે. તેથી, તેમને શક્ય તેટલી વહેલી તકે પાછા લાવવાની વ્યવસ્થા કરવી જોઈએ. અમારા બાળકોનું ધ્યાન રાખવું જોઈએ. ભારત સરકાર અને વડા પ્રધાનને મારી વિનંતી છે કે તેઓ શક્ય તેટલી વહેલી તકે આનો ઉકેલ શોધે."

એકનાથ શિંદેએ અભિનેત્રી સાથે વાત કરી

  • મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જણાવ્યું કે, "મેં વિશાખા સુભેદાર સાથે વાત કરી. તેમનો પુત્ર કુવૈતમાં છે. અમે તેને કુવૈતથી પરત લાવવાની વ્યવસ્થા કરી રહ્યા છીએ. અમે ત્યાં તેની સલામતી પણ સુનિશ્ચિત કરી રહ્યા છીએ." એકનાથ શિંદેએ કહ્યું કે, ઘણા લોકો દેશની બહાર ફસાયેલા છે. વડાપ્રધાન મોદી અને રાજ્ય સરકાર તેમને સુરક્ષિત રીતે પાછા લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

હવાઈ સરહદો કેમ બંધ છે?

અમેરિકા અને ઇઝરાયલે સંયુક્ત રીતે ઇરાન પર હુમલો કર્યો, જેમાં ઇરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ ખામેનેઈની હત્યા કરવામાં આવી. ઇરાને બદલો લેતા મહત્વપૂર્ણ યુએસ અને ઇઝરાયલી ઠેકાણાઓ પર હુમલો કર્યો, જેનાથી પશ્ચિમ એશિયામાં યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાઈ. અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે કતાર, કુવૈત અને સંયુક્ત આરબ અમીરાત (UAE) સહિત અનેક દેશોએ તેમની હવાઈ સરહદો બંધ કરી દીધી છે.

આ પણ વાંચો: