ETV Bharat / bharat

પાઇરસી પર કાર્યવાહી! કેન્દ્રનો ટેલીગ્રામને ગેરકાયદે ફિલ્મ, OTT કન્ટેન્ટ ડિસ્ટ્રીબ્યુશન વિરુદ્ધ કાર્યવાહી કરવા નિર્દેશ

કેન્દ્ર સરકારે પાયરસી મુદ્દા અંગે ટેલિગ્રામને નોટિસ ફટકારી છે અને 15 દિવસની અંદર રિપોર્ટ માંગ્યો છે.

મેસેજિંગ એપ ટેલિગ્રામ
મેસેજિંગ એપ ટેલિગ્રામ (ANI)
author img

By ETV Bharat Gujarati Team

Published : July 4, 2026 at 3:04 PM IST

2 Min Read
Choose ETV Bharat

નવી દિલ્હી: માહિતી અને પ્રસારણ મંત્રાલય (I&B) એ મેસેજિંગ એપ ટેલિગ્રામને વ્યાપક પાયરસી અંગે નોટિસ જાહેર કરી છે. મંત્રાલયે પ્લેટફોર્મને પાઇરેટેડ ફિલ્મો અને OTT સામગ્રીના ગેરકાયદેસર વિતરણને રોકવા માટે તાત્કાલિક પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે. ટેલિગ્રામને 15 દિવસની અંદર એક વ્યાપક 'કાર્યવાહી રિપોર્ટ' સબમિટ કરવા કહ્યું છે, જેમાં આ ઉલ્લંઘનોને દૂર કરવા માટે અપનાવવામાં આવેલા પગલાંની વિગતો આપવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકારના આ પગલાનો હેતુ ભારતના ઝડપથી વિકસતી ક્રિએટર ઈકોનોમીનું રક્ષણ કરવાનો અને ફિલ્મ ઉદ્યોગ, બ્રોડકાસ્ટર્સ, OTT પ્લેટફોર્મ, નિર્માતાઓ અને વિતરકોના હિતોનું રક્ષણ કરવાનો છે, જે બધા ડિજિટલ પાયરસીને કારણે મોટા નાણાકીય નુકસાનનો સામનો કરે છે. તાજેતરમાં, જૂનમાં યોજાયેલી NEET-UG રી-ટેસ્ટ પહેલા ટેલિગ્રામને ભારતમાં એક અઠવાડિયાના પ્રતિબંધનો સામનો કરવો પડ્યો હતો.

દરમિયાન, મેસેજિંગ સેવાઓ અંગે ચકાસણીનો વ્યાપ વધારતા, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે 'યુઝરનેમ' ફીચરની રજૂઆત અંગે ટેલિગ્રામ, સિગ્નલ અને મેટાને નોટિસ મોકલી છે. ટેલિગ્રામ અને સિગ્નલ બંનેને તેમના 'યુઝરનેમ' ફીચર્સ અને નકલ અને દુરુપયોગ અટકાવવા માટે લેવામાં આવેલા પગલાં અંગે સ્પષ્ટતા આપવા માટે કહેવામાં આવ્યું છે.

નોટિસમાં જણાવાયું છે કે, "એવું માનવામાં આવે છે કે આ ફીચર ખરાબ તત્વો (સાયબર ગુનેગારો) ને પીડિતોને લલચાવવા અને મેસેજ મોકલવા માટે સક્ષમ બનાવીને ઓનલાઈન છેતરપિંડી, ફિશિંગ, 'ડિજિટલ એરેસ્ટ' કૌભાંડો અને વેશપલટો કરીને કરતા ફ્રોડની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો કરી શકે છે. વધુમાં, વાસ્તવિક વ્યક્તિઓ અથવા સંસ્થાઓ જેવા યુઝરનેમને મંજૂરી આપીને, આ ફીચર વ્યક્તિઓ, જાહેર અધિકારીઓ, નાણાકીય સંસ્થાઓ અને સરકારી એજન્સઓ બનીને છેતરપિંડીને સરળ બનાવી શકે છે."

કેન્દ્ર સરકારે મેટાને સરકાર સાથે સંતોષકારક પરામર્શ ન થાય ત્યાં સુધી આ ફીચર શરૂ ન કરવા જણાવ્યું છે. જો કે, મેસેજિંગ સર્વિસ પ્લેટફોર્મ (WhatsApp) એ "કૌભાંડો સામે રક્ષણના બહુવિધ સ્તરો" વિકસાવ્યા હોવાનો દાવો કર્યો છે. WhatsApp ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, તેઓએ વપરાશકર્તાઓ માટે પ્લેટફોર્મ પર તેમનું મનપસંદ વપરાશકર્તાનામ રિઝર્વ રાખવાનો વિકલ્પ જાહેર કર્યો છે.

નિવેદનમાં લખ્યું છે કે, "યુઝરનેમનો ઉપયોગ કરવાની ક્ષમતા હજુ સુધી લાઇવ નથી અને આ વર્ષના અંતમાં ધીમે ધીમે તેને લાગુ કરવામાં આવશે. નકલ રોકવા માટે, અમે સૌથી હાઇ-પ્રોફાઇલ નામો - જેમ કે જાહેર વ્યક્તિઓ, સરકારી સંસ્થાઓ, સેલિબ્રિટીઓ અને ચકાસાયેલ મેટા એકાઉન્ટ્સના નામ રિઝર્વ રાખ્યા છે જેથી ફક્ત તેમના કાયદેસર માલિકો જ તેમનો દાવો કરી શકે. વધુમાં, જાણીતા નામો જેવા નામોને પણ હોલ્ડ પર રાખવામાં આવ્યા છે."

આ પણ વાંચો:

  1. WhatsApp નું નવું યુઝરનેમ ફીચરથી છેતરપિંડીનું જોખમ?, કેન્દ્ર સરકાર કરશે સંભવિત જોખમોનું મૂલ્યાંકન
  2. WhatsApp પર ચેટ માટે હવે નહીં પડે નંબરની જરૂર, આવ્યું આ નવું ફિચર