ભારત અને પાકિસ્તાને એકબીજાને સોંપી પરમાણુ સ્થળોની યાદી, હુમલાઓ ન કરવા સંમતિ વ્યક્ત કરાઈ
ભારત-પાકિસ્તાન પરમાણુ સ્થાપનો કરાર બંને પક્ષોને એકબીજાના પરમાણુ સ્થાપનો પર હુમલો કરવાથી અટકાવે છે.

Published : January 1, 2026 at 5:36 PM IST
નવી દિલ્હી : ત્રણ દાયકાથી વધુ જૂની પ્રથા ચાલુ રાખતા, ભારત અને પાકિસ્તાને ગુરુવારે દ્વિપક્ષીય કરાર હેઠળ તેમના પરમાણુ સ્થાપનોની યાદીઓનું આદાનપ્રદાન કર્યું, જે બંને પક્ષોને એકબીજાના પરમાણુ સ્થાપનો પર હુમલો કરવાથી અટકાવે છે.
ઉલ્લેખનીય છે કે, આ યાદીનું આદાન-પ્રદાન એવા સમયે થયું છે. જ્યારે ગયા મેં મહિનામાં ચાર દિવસના લશ્કરી સંઘર્ષ બાદ બંને દેશો વચ્ચેના સંબંધોમાં નોંધપાત્ર ઠંડક આવી છે. વિદેશ મંત્રાલય (MEA) એ જણાવ્યું હતું કે આ યાદીનું આદાન-પ્રદાન પરમાણુ સ્થાપનો અને સુવિધાઓ પર હુમલા પ્રતિબંધ કરારની જોગવાઈઓ હેઠળ થયું હતું. આ નવી દિલ્હી અને ઇસ્લામાબાદમાં રાજદ્વારી ચેનલો દ્વારા એકસાથે કરવામાં આવ્યું હતું.
India and Pakistan today exchanged, through diplomatic channels, simultaneously at New Delhi and Islamabad, the list of Nuclear Installations and facilities, covered under the Agreement on the Prohibition of Attack against Nuclear Installations and Facilities between India and… pic.twitter.com/dasrCfZxys
— Press Trust of India (@PTI_News) January 1, 2026
વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, "ભારત અને પાકિસ્તાને આજે નવી દિલ્હી અને ઇસ્લામાબાદમાં એક સાથે રાજદ્વારી ચેનલો દ્વારા, ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ સ્થાપનો અને સુવિધાઓ પર હુમલા પ્રતિબંધ કરાર હેઠળ આવરી લેવામાં આવેલા પરમાણુ સ્થાપનો અને સુવિધાઓની યાદીનું આદાનપ્રદાન કર્યું."
આ કરાર 31 ડિસેમ્બર, 1988 ના રોજ હસ્તાક્ષરિત થયો હતો અને 27 જાન્યુઆરી, 1991 ના રોજ અમલમાં આવ્યો હતો. આ કરાર હેઠળ, બંને દેશોએ દર કેલેન્ડર વર્ષની 1 જાન્યુઆરીના રોજ કરાર હેઠળ આવરી લેવામાં આવેલા પરમાણુ સ્થાપનો અને સુવિધાઓ વિશે એકબીજાને જાણ કરવી જરૂરી છે.
એમઈએએ એક સંક્ષિપ્ત નિવેદનમાં જણાવ્યું હતું કે, "બંને દેશો વચ્ચે આવી યાદીઓનું આ સતત 35મું વિનિમય છે, જેમાં પ્રથમ વખત 1 જાન્યુઆરી, 1992ના રોજ આયોજિત કરવામાં આવ્યું હતું."
આ પણ વાંચો...

