ETV Bharat / bharat

જેસલમેર બસમાં આગ લાગવાના કારણ પર આરોગ્ય મંત્રીએ કહ્યું- AC કોમ્પ્રેસર ફાટ્યું અને...

જેસલમેર બસ અકસ્માતનું કારણ તપાસવામાં આવી રહ્યું છે. દરમિયાન, આરોગ્ય મંત્રીએ એક નિવેદન સામે આવ્યું છે.

જેસલમેર બસ અકસ્માત
જેસલમેર બસ અકસ્માત (ETV Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : October 15, 2025 at 11:44 AM IST

|

Updated : October 15, 2025 at 11:58 AM IST

2 Min Read
Choose ETV Bharat

રાજસ્થાન : જેસલમેર-જોધપુર રૂટ પર એક AC લક્ઝરી બસમાં આગ લાગવાથી 20 લોકોના મોત થયા છે. આ અકસ્માત માટે અનેક કારણો જણાવવામાં આવી રહ્યા છે, જેમાં બસની ડેકીમાં ફટાકડા હોવાનો પણ સમાવેશ થાય છે. એવી પણ શંકા છે કે આગ ફટાકડાના કારણે લાગી હતી, જોકે આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

આગ લાગવાના કારણ અંગે આરોગ્ય મંત્રીનું નિવેદન

આ બનાવ અંગે આરોગ્ય મંત્રી ગજેન્દ્ર સિંહ ખીંવસરે મહાત્મા ગાંધી હોસ્પિટલમાં જણાવ્યું હતું કે, બસના કોમ્પ્રેસરમાં વિસ્ફોટ થવાને કારણે ભીષણ આગ લાગી હોવાની શક્યતા છે. બસમાં ફક્ત એક જ નિકળવાનો રસ્તો હતો. કેટલાક લોકો કાચ તોડીને બહાર આવ્યા. સેનાની મદદથી બચાવેલા લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. કેટલાક લોકો લાપતા હોવાના અહેવાલો પણ છે. મૃતદેહોના DNA ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

બસમાં પાછળના લોકો ફસાઈ ગયા : આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે છે કે વિસ્ફોટ એસી કોમ્પ્રેસર ફાટવાથી થયો હતો. બસના આગળના લોકો નીકળી ગયા હતા. બસમાંથી બહાર નીકળવાનો એક જ રસ્તો હોવાથી, પાછળના લોકો અંદર ફસાઈ ગયા હતા. કોમ્પ્રેસર ફાટવાની સંપૂર્ણ FSL તપાસ કરવામાં આવશે. સરકાર દરેક પરિવારને મદદ કરશે અને વળતર આપશે.

DNA ટેસ્ટ માટે જોધપુર લાવવામાં આવ્યા મૃતદેહ : અકસ્માત બાદ DNA નમૂના લેવા માટે 19 મૃતદેહને જોધપુર લાવવામાં આવ્યા હતા. આમાંથી નવ મૃતદેહ મહાત્મા ગાંધી હોસ્પિટલમાં અને દસ એઈમ્સ જોધપુરમાં લાવવામાં આવ્યા હતા. એક મૃતદેહ પહેલેથી જ જોધપુરમાં છે. આ 20 મૃતદેહોનું DNA પરીક્ષણ ચાલી રહ્યું છે.

મહાત્મા ગાંધી હોસ્પિટલના અધિક્ષક ડૉ. ફતેહ સિંહે જણાવ્યું હતું કે, હાલની અપડેટ મુજબ પાંચ દર્દીઓ આવી ગયા છે, જે વેન્ટિલેટર પર છે. આઠ દર્દીની હાલત ગંભીર છે. બાકીના દર્દીઓની સારવાર ચાલી રહી છે. ડોકટરો અને નર્સિંગ સ્ટાફ દરેક દર્દી પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે, અને નિષ્ણાતો અને ડોકટરો તેમની પ્રગતિ પર નજર રાખી રહ્યા છે.

જોધપુરની મહાત્મા ગાંધી હોસ્પિટલના કોટેજ 4 અને 5 અને જેસલમેરમાં જવાહર હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લા કલેકટર ગૌરવ અગ્રવાલે જણાવ્યું હતું કે, DNA ઓળખ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે અજમેર અને બિકાનેરથી એક નિષ્ણાત ટીમ જોધપુર આવી રહી છે.

અકસ્માતગ્રસ્તો માટે સહાય જાહેર : આ દરમિયાન PMO દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પ્રધાનમંત્રીએ મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે, અને ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે. પ્રધાનમંત્રીએ મૃતકોના પરિવારને PMNRF માંથી રૂપિયા 2 લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા 50,000 ની સહાયની જાહેરાત કરી છે.

ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણને લખ્યું કે, "રાજસ્થાનના જેસલમેરમાં થયેલી દુ:ખદ બસ આગમાં થયેલા જાનહાનિથી હું ખૂબ જ દુઃખી છું. શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું."

આ પણ વાંચો...

Last Updated : October 15, 2025 at 11:58 AM IST