ETV Bharat / bharat

અયોધ્યા રામ મંદિર દાન કૌભાંડ કેસમાં FIR દાખલ, SITની તપાસ બાદ એક્શન

શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટની ફરિયાદના આધારે આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

અયોધ્યા રામ મંદિર
અયોધ્યા રામ મંદિર (ETV Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : June 25, 2026 at 8:59 PM IST

2 Min Read
Choose ETV Bharat

અયોધ્યા: અયોધ્યા રામ મંદિરના દાન કૌભાંડ કેસમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. ઉત્તર પ્રદેશ સરકારના નિર્દેશ પર, આઈપીસીની કલમ 306, 316 (5), 317 (4), 317 (5), 61 અને 3 (5) હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટની ફરિયાદના આધારે આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

આ લોકો સામે નોંધાઇ FIR

અનુકલ્પ મિશ્રા, લવકુશ મિશ્રા, અવિનાશ શુકલા, ટિન્નુ યાદવ, મનીષ યાદવના નામ સામેલ છે જ્યારે કોઇ મોટું નામ FIRમાં સામેલ નથી. આ FIR સાથે જ સમાજવાદી પાર્ટીએ ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે.

નોંધનીય છે કે માત્ર ત્રણ દિવસ પહેલા, સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ ઉત્તર પ્રદેશ સરકારને ઉચાપત કેસનો પ્રારંભિક અહેવાલ સુપરત કર્યો હતો. મંગળવારે, SIT ના મુખ્ય સભ્ય અને લખનૌ ડિવિઝનના કમિશનર વિજય વિશ્વાસ પંતે ટીમના બે અન્ય સભ્યો સાથે આ પ્રારંભિક અહેવાલ અધિક મુખ્ય સચિવ (ગૃહ) સંજય પ્રસાદને સુપરત કર્યો હતો. SIT ના સભ્ય, ડિવિઝનલ કમિશનર વિજય વિશ્વાસ પંતે પ્રાથમિક અહેવાલ એસીએસ ગૃહ સંજય પ્રસાદને સુપરત કર્યો હતો. રિપોર્ટ સબમિટ કરવાનો સત્તાવાર વિડિઓ પણ બહાર પાડવામાં આવ્યો હતો.

એ નોંધવું જોઈએ કે રામ મંદિરમાં દાનની ઉચાપતની ચર્ચા ફક્ત દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ થઈ રહી છે. હાલમાં, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની વિનંતી પર સરકાર દ્વારા રચાયેલી ત્રણ સભ્યોની વિશેષ તપાસ ટીમ (SIT) દ્વારા આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. SIT ની પ્રારંભિક તપાસ 7 દિવસમાં પૂર્ણ થઈ ગઈ હતી.

સમાજવાદી પાર્ટીના પ્રહાર

FIR દાખલ થયા બાદ સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય રવિદાસ મેહરોત્રાએ X પર પોસ્ટ કરતા કહ્યું કે, અયોધ્યામાં રામ મંદિરમાં દાન અને ચઢાવાની ચોરીના કેસ મામલે FIR નોંધવાનો આદેશ આપવામાં આવ્યો છે, જેનાથી સ્પષ્ટ થઇ ગયું કે આ ઘટના ઘણી ગંભીર છે અને રામ મંદિરમાં દાનની ચોરીનો આરોપ લાગ્યા બાદ રાજ્યના મુખ્યમંત્રી પાસે એક દિવસ પણ સત્તામાં રહેવાનો કોઇ નૈતિક અધિકાર નથી. અમે ઇચ્છીએ છીએ કે મુખ્યમંત્રી રાજીનામું આપે અને ઘટનાની નિષ્પક્ષ તપાસ પૂર્ણ થાય. દોષિતો વિરૂદ્ધ કડક કાર્યવાહી થવી જોઇએ અને એવી તપાસ કરવી જોઇએ કે આટલી સુરક્ષા વ્યવસ્થા છતા આટલી મોટી ચોરી કેવી રીતે થઇ? તેના માટે જવાબદાર કોણ?

મહત્ત્વપૂર્ણ છે કે, સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવના રામ મંદિરમાં ગડબડને લઇને કરવામાં આવેલા દાવા બાદ રાજકારણ ગરમાયું હતું. અખિલેશ યાદવે દાવો કર્યો હતો કે, રામ મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા ચઢાવવામાં આવેલા કરોડો રૂપિયાના દાનમાં ગડબડ થઇ છે. અખિલેશ યાદવે કોર્ટને આ મામલે સંજ્ઞાન લેવાની પણ માંગ કરી હતી. તે બાદ વિવાદ વધતા ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા SITની રચના કરવામાં આવી હતી. SITની ટીમે ત્રણ દિવસ પહેલા જ પોતાનો પ્રાથમિક રિપોર્ટ સબમિટ કર્યો છે.

આ પણ વાંચો: