વહેલી સવારે ભૂકંપના આંચકાથી આસામની ધરતી ધ્રુજી, મોરીગાંવમાં 5.1ની તીવ્રતાનો નોંધાયો ભૂકંપનો આંચકો
ભારતના કેટલાંક પૂર્વોત્તર રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જોકે ભૂકંપના કોઈ નુકસાન થયું નથી.

Published : January 5, 2026 at 9:46 AM IST
ગુવાહાટી: સોમવારે વહેલી સવારે આસામના મોરીગાંવમાં એક શક્તિશાળી ભૂકંપનો આંચકો અનુભવાયો. આ ભુકંપનું કેન્દ્રબિંદુ આસામના મોરીગાંવ જિલ્લામાં નોંધાયું છે. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર આશરે 5.1 માપવામાં આવી હતી. ભૂકંપ લગભગ 4:17 વાગ્યે આવ્યો હતો.
આસામ અને ભારતના ઉત્તરપૂર્વીય રાજ્યોના અન્ય ઘણા ભાગોમાં ભૂકંપના આંચકા નોંધાયા છે. ભૂકંપનાં આંચકા સમયે લોકો ગાઢ નિંદ્રામાં હતા અને ગભરાઈ ગયા હતા અને ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે અત્યાર સુધી કોઈ ઈજા કે નુકસાનના અહેવાલ નથી. બ્રહ્મપુત્ર નદીના દક્ષિણ કિનારે આવેલા મોરીગાંવ જિલ્લામાં 50 કિમીની ઊંડાઈએ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. તેમણે જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર મધ્ય આસામમાં હતું.
An earthquake with a magnitude of 5.1 on the Richter Scale hit Morigaon, Assam, at 04:17:40 IST today: National Centre for Seismology (NCS) pic.twitter.com/xd4JGvr5VG
— ANI (@ANI) January 4, 2026
આસામના પાડોશી જિલ્લા કામરૂપ મેટ્રોપોલિટન, નાગાંવ, પૂર્વ કાર્બી આંગલોંગ, પશ્ચિમ કાર્બી આંગલોંગ, હોજઈ, દીમા હસાઓ, ગોલાઘાટ, જોરહાટ, શિવસાગર, ચરાઈદેવ, કછાર, કરીમગંજ, હૈલાકાંડી, ધુબરી, દક્ષિણ સલમારા-માનકાચર અને ગોલપારાના લોકોએ પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
બ્રહ્મપુત્રાના ઉત્તરી કાંઠે સ્થિત દરરંગ, તામુલપુર, સોનિતપુર, કામરૂપ, વિશ્વનાથ, ઉદલગુરી, નલબારી, બાજલી, બરપેટા, બક્સા, ચિરાંગ, કોકરાઝાર, બોંગાઈગાંવ અને લખીમપુરમાં પણ આંચકા અનુભવાયા હતા.
An earthquake with a magnitude of 3.9 on the Richter Scale hit Gomati, Tripura, at 03:33:32 IST today: National Centre for Seismology (NCS) pic.twitter.com/8tyI5DSAxt
— ANI (@ANI) January 4, 2026
મધ્ય-પશ્ચિમ અરુણાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં, સમગ્ર મેઘાલય અને નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં ભૂકંપ અનુભવાયો હતો. અહેવાલો દર્શાવે છે કે મધ્ય-પૂર્વીય ભૂટાન, ચીનના ભાગો અને બાંગ્લાદેશ પણ હચમચી ગયા હતા. ઉત્તર-પૂર્વીય ક્ષેત્ર ઉચ્ચ સિસ્મિક ઝોનમાં આવે છે, જેના કારણે અહીં હંમેશા ભૂકંપનો ભય રહે છે.

