ETV Bharat / bharat

જસપાલ રાણાના નિધનના 16 દિવસ બાદ તેમની માતા શ્યામા રાણાનું પણ નિધન, પરિવારમાં શોકનો માહોલ

ઇન્ટરનેશનલ શૂટર અને દ્રોણાચાર્ય એવોર્ડથી સન્માનિત શૂટિંગ કોચ જસપાલ રાણઆની માતાનું રવિવાર મોડી સાંજે નિધન થયું છે.

જસપાલ રાણાની માતાનું નિધન
જસપાલ રાણાની માતાનું નિધન (ETV Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : June 29, 2026 at 12:13 PM IST

2 Min Read
Choose ETV Bharat

નવી દિલ્હી: ઇન્ટરનેશનલ શૂટર અને દ્રોણાચાર્ય એવોર્ડથી સન્માનિત શૂટિંગ કોચ જસપાલ રાણઆની માતાનું રવિવાર મોડી સાંજે નિધન થયું છે. તે 78 વર્ષના હતા. શ્માયા રાણાનું નિધન જસપાલ રાણાના નિધનના 16 દિવસ બાદ થયું છે. તે લાંબા સમયથી બીમાર હતા અને દિલ્હીની રિસર્ચ એન્ડ રેફરલ આર્મી હોસ્પિટલ ધૌલા કુંઆમાં તેમની સારવાર ચાલતી હતી.

જસપાલ રાણાના 12 જૂને મોત બાદ 16 જૂને શ્યામા દેવીની પરિસ્થિતિ બગડી હતી. તે બાદ તેમણે આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરિવારજનો પાસેથી મળતી માહિતી અનુસાર રવિવાર મોડી સાંજે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. હજુ તેમનો પરિવાર જસપાલ રાણાના નિધનના શોકમાંથી બહાર આવ્યો નથી ત્યારે પરિવારમાં વધુ એક સભ્યનું મોત થતા આઘાત લાગ્યો છે. ત્રણ દિવસ પહેલા જ જસપાલ રાણાની ત્રયોદશી વિધિ ત્રણ દિવસ પહેલા જ પૂર્ણ થઇ હતી અને તેના કેટલાક દિવસ બાદ જ તેમની માતાનું નિધન થયું છે.

મહત્ત્વપૂર્ણ છે કે જસપાલ રાણાનો પરિવાર ઉત્તરાખંડના ટિહરી ગઢવાલ જિલ્લાનો છે. તેઓ નૈનબાગ ગામના વતની છે. આ પરિવારે રમતગમતની દુનિયામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. માત્ર 16 દિવસના સમયગાળામાં માતા અને પુત્ર બન્નેના મોતથી રાણા પરિવાર ઊંડા આઘાતમાં છે. રમત જગત અને સહયોગીઓએ ઊંડો શોક વ્યક્તો કર્યો છે અને શ્રદ્ધાંજલિ આપી છે. જસપાલ રાણાના પિતા નારાયણ સિંહ રાણા ખુદ પણ દ્રૌણાચાર્ય એવોર્ડ વિજેતા કોચ રહ્યા છે. આ સિવાય તે ઉત્તરાખંડના રમત મંત્રી પણ રહી ચુક્યા છે. જસપાલ રાણાની એક બહેન સુષ્મા રાણાના લગ્ન કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના મોટા પુત્ર પંકજ સિંહ સાથે થયા છે. પંકજ સિંહ નોઇડાના ભાજપના ધારાસભ્ય છે.

ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી અને હરિદ્વાર કેડી સાંસદ ત્રિવેન્દ્રસિંહ રાવતે પોતાના X હેન્ડલ પર પોસ્ટ લખીને શ્યામા રાણાને શ્રદ્ધાંજલિ આપી છે, તેમણે લખ્યુ કે મહાન શૂટર અને પદ્મ શ્રી સ્વ.જસપાલ રાણાજીના માતા શ્યામા દેવીના નિધનના અત્યંત દુ:ખદ સમાચાર મળ્યા. માતા યમુના તેમના પવિત્ર ચરણોમાં સ્થાન આપે અને શોકગ્રસ્ત પરિવારને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ આપે.

આ પણ વાંચો: