ETV Bharat / state

વિશ્વ ચકલી દિવસ: જૂનાગઢમાં ચકલી પ્રેમીઓએ ઉભું કર્યું 10 હજારથી વધુ ચકલીઓનું જંગલ - WORLD SPARROW DAY

જૂનાગઢમાં સાત વર્ષના ચકલી બચાવો અભિયાન દરમિયાન આજે 10,000 થી 15,000 ચકલીઓનું એક આખું જંગલ ઊભું થયું છે.

આ નાનકડી પક્ષીઓની જાતિ આજે વિશ્વમાંથી લુપ્ત થવાના આરે ઉભી છે
આ નાનકડી પક્ષીઓની જાતિ આજે વિશ્વમાંથી લુપ્ત થવાના આરે ઉભી છે (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : March 20, 2025 at 8:11 AM IST

Updated : March 20, 2025 at 9:32 AM IST

2 Min Read

જૂનાગઢ: આજે વિશ્વ ચકલી દિવસ છે. ઘર ઘરના પક્ષી તરીકે જાણીતી અને માનીતી ચકલીબેન આજે સિમેન્ટના જંગલની વચ્ચે પોતાનું અસ્તિત્વ ગુમાવી રહી છે. આ નાનકડી પક્ષીઓની જાતિ આજે વિશ્વમાંથી લુપ્ત થવાના આરે ઉભી છે. પરિણામે ચકલીને લુપ્ત થવાથી બચાવવા માટે એક વૈશ્વિક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

આ વૈશ્વિક અભિયાનમાં જૂનાગઢના ચકલી પ્રેમી પણ જોડાયા છે અને તેમને ખૂબ સારી સફળતા મળી રહી છે. જૂનાગઢમાં સાત વર્ષના ચકલી બચાવો અભિયાન દરમિયાન આજે 10,000 થી 15,000 ચકલીઓનું એક આખું જંગલ ઊભું થયું છે જે ખરા અર્થમાં ચકલી દિવસની ઉજવણીને સાર્થક બનાવે છે.

જૂનાગઢમાં ચકલી પ્રેમીઓએ ઉભું કર્યું 10,000 થી વધુ ચકલીઓનું જંગલ (Etv Bharat Gujarat)

આજે વિશ્વ ચકલી દિવસ: એક સમયે ઘર ઘરના પક્ષી તરીકે જાણીતી અને માનીતી થયેલી ચકલીની સંખ્યા એટલી હદે ઘટવા માંડી છે કે ચકલીઓને બચાવવા માટે ચકલી દિવસના રૂપમાં વિશેષ ઉજવણી કરવાની સમગ્ર વિશ્વને ફરજ પડી રહી છે. ચકલી લુપ્ત થતી બચાવી શકાય તે માટે દર વર્ષે 20 મી માર્ચના દિવસે વિશ્વ ચકલી દિવસની ઉજવણી થાય છે.

વિશ્વ ચકલી દિવસની અનોખી ઉજવણી
વિશ્વ ચકલી દિવસની અનોખી ઉજવણી (Etv Bharat Gujarat)

આ દિશામાં કાર્ય કરતાં જૂનાગઢના ચકલી પ્રેમીઓને ચકલી બચાવો અભિયાન અંતર્ગત ખૂબ સારી કહી શકાય તેવી સફળતા પ્રાપ્ત થઈ છે. છેલ્લા 5-7 વર્ષના સમયમાં એક ચોક્કસ વિસ્તારમાં ચકલીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે જેની પાછળ 8-10 ચકલી પ્રેમીઓની મહેનત જોવા મળે છે.

વિશ્વ ચકલી દિવસની અનોખી ઉજવણી
વિશ્વ ચકલી દિવસની અનોખી ઉજવણી (Etv Bharat Gujarat)

દરરોજ ચણ અને પાણી નાખી કર્યો ચકલીની સંખ્યામાં વધારો: જૂનાગઢ શહેરની બહાર નીકળતા જ ખલીલપુર ગામના પાટીયા પાસે છેલ્લા 5-7 વર્ષથી ચકલીઓને બચાવવા માટે એક વિશેષ અભિયાન શરૂ થયું છે. અહીં પરસોતમ પોશિયા, સુરેશ મોણપરા, ડાયાભાઈ કટારા અને કારાભાઈ સોજીત્રા સહિત 8 થી 10 મિત્રો છે તેઓ ચકલીઓને બચાવવા માટે કર્યો કરી રહ્યા છે.

જૂનાગઢમાં ચકલી પ્રેમીઓએ ઉભું કર્યું 10,000 થી વધુ ચકલીઓનું જંગલ
જૂનાગઢમાં ચકલી પ્રેમીઓએ ઉભું કર્યું 10,000 થી વધુ ચકલીઓનું જંગલ (Etv Bharat Gujarat)

ચકલીઓ માટે વિશેષ વ્યવસ્થા: આ 8 થી 10 ચકલી પ્રેમી મિત્રો દરરોજ સવાર અને સાંજના સમયે ચકલીઓ માટે ચોખા, બાજરી, મગ સહિત ધાન્યોની ચણ નાખવાની સાથે દિવસમાં બે વખત ચોખ્ખું અને ઠંડુ પાણી ચકલીઓને મળી રહે તે માટે વિશેષ વ્યવસ્થા કરે છે.

ચકલી પ્રેમી
ચકલી પ્રેમી (Etv Bharat Gujarat)

ચકલીઓ માટે કરવામાં આવેલ આ વિશેષ વ્યવસ્થાને પગલે આજે તેનું પરિણામ નજર સમક્ષ જોવા મળી રહ્યું છે. આજથી પાંચ-સાત વર્ષ પૂર્વે ખૂબ જ જુજ માત્રામાં જોવા મળતી ચકલીઓની સંખ્યામાં આજે ખૂબ જ નોંધપાત્ર વધારો થયો છે. એક સમયે જે વિસ્તારમાં ચકલીઓનું જંગલ આજે જોવા મળે છે, ત્યાં પાંચ વર્ષ પૂર્વે માત્ર જાળી જાખરા જોવા મળતા હતા.

ચકલી પ્રેમી
ચકલી પ્રેમી (Etv Bharat Gujarat)
ચકલી પ્રેમી
ચકલી પ્રેમી (Etv Bharat Gujarat)

આ તફાવત અને ચકલીઓની સંખ્યામાં વધારા પાછળ 7-8 ચકલી પ્રેમીઓની મહેનત છે, તેમની આ મહેનત બાદ આજે 8000 થી 10,000 ચકલીઓનું આખું અસ્તિત્વ ઊભું થયું છે જે આજના ચકલી દિવસની ઉજવણીને વિશેષ બનાવે છે.

ચકલી પ્રેમી
ચકલી પ્રેમી (Etv Bharat Gujarat)

આ પણ વાંચો:

  1. આજે વિશ્વ ચકલી દિવસ: 21 વર્ષથી ચકલી બચાવો અભિયાન, જીવદયાનું આ કાર્ય દરેક ઘર સુધી પહોંચ્યું
  2. દાંડીયાત્રાના આજે 95 વર્ષ પૂર્ણ, આજે પણ દાંડીયાત્રા કેમ છે સત્યાગ્રહનું વૈશ્વિક પ્રતીક ?

જૂનાગઢ: આજે વિશ્વ ચકલી દિવસ છે. ઘર ઘરના પક્ષી તરીકે જાણીતી અને માનીતી ચકલીબેન આજે સિમેન્ટના જંગલની વચ્ચે પોતાનું અસ્તિત્વ ગુમાવી રહી છે. આ નાનકડી પક્ષીઓની જાતિ આજે વિશ્વમાંથી લુપ્ત થવાના આરે ઉભી છે. પરિણામે ચકલીને લુપ્ત થવાથી બચાવવા માટે એક વૈશ્વિક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

આ વૈશ્વિક અભિયાનમાં જૂનાગઢના ચકલી પ્રેમી પણ જોડાયા છે અને તેમને ખૂબ સારી સફળતા મળી રહી છે. જૂનાગઢમાં સાત વર્ષના ચકલી બચાવો અભિયાન દરમિયાન આજે 10,000 થી 15,000 ચકલીઓનું એક આખું જંગલ ઊભું થયું છે જે ખરા અર્થમાં ચકલી દિવસની ઉજવણીને સાર્થક બનાવે છે.

જૂનાગઢમાં ચકલી પ્રેમીઓએ ઉભું કર્યું 10,000 થી વધુ ચકલીઓનું જંગલ (Etv Bharat Gujarat)

આજે વિશ્વ ચકલી દિવસ: એક સમયે ઘર ઘરના પક્ષી તરીકે જાણીતી અને માનીતી થયેલી ચકલીની સંખ્યા એટલી હદે ઘટવા માંડી છે કે ચકલીઓને બચાવવા માટે ચકલી દિવસના રૂપમાં વિશેષ ઉજવણી કરવાની સમગ્ર વિશ્વને ફરજ પડી રહી છે. ચકલી લુપ્ત થતી બચાવી શકાય તે માટે દર વર્ષે 20 મી માર્ચના દિવસે વિશ્વ ચકલી દિવસની ઉજવણી થાય છે.

વિશ્વ ચકલી દિવસની અનોખી ઉજવણી
વિશ્વ ચકલી દિવસની અનોખી ઉજવણી (Etv Bharat Gujarat)

આ દિશામાં કાર્ય કરતાં જૂનાગઢના ચકલી પ્રેમીઓને ચકલી બચાવો અભિયાન અંતર્ગત ખૂબ સારી કહી શકાય તેવી સફળતા પ્રાપ્ત થઈ છે. છેલ્લા 5-7 વર્ષના સમયમાં એક ચોક્કસ વિસ્તારમાં ચકલીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે જેની પાછળ 8-10 ચકલી પ્રેમીઓની મહેનત જોવા મળે છે.

વિશ્વ ચકલી દિવસની અનોખી ઉજવણી
વિશ્વ ચકલી દિવસની અનોખી ઉજવણી (Etv Bharat Gujarat)

દરરોજ ચણ અને પાણી નાખી કર્યો ચકલીની સંખ્યામાં વધારો: જૂનાગઢ શહેરની બહાર નીકળતા જ ખલીલપુર ગામના પાટીયા પાસે છેલ્લા 5-7 વર્ષથી ચકલીઓને બચાવવા માટે એક વિશેષ અભિયાન શરૂ થયું છે. અહીં પરસોતમ પોશિયા, સુરેશ મોણપરા, ડાયાભાઈ કટારા અને કારાભાઈ સોજીત્રા સહિત 8 થી 10 મિત્રો છે તેઓ ચકલીઓને બચાવવા માટે કર્યો કરી રહ્યા છે.

જૂનાગઢમાં ચકલી પ્રેમીઓએ ઉભું કર્યું 10,000 થી વધુ ચકલીઓનું જંગલ
જૂનાગઢમાં ચકલી પ્રેમીઓએ ઉભું કર્યું 10,000 થી વધુ ચકલીઓનું જંગલ (Etv Bharat Gujarat)

ચકલીઓ માટે વિશેષ વ્યવસ્થા: આ 8 થી 10 ચકલી પ્રેમી મિત્રો દરરોજ સવાર અને સાંજના સમયે ચકલીઓ માટે ચોખા, બાજરી, મગ સહિત ધાન્યોની ચણ નાખવાની સાથે દિવસમાં બે વખત ચોખ્ખું અને ઠંડુ પાણી ચકલીઓને મળી રહે તે માટે વિશેષ વ્યવસ્થા કરે છે.

ચકલી પ્રેમી
ચકલી પ્રેમી (Etv Bharat Gujarat)

ચકલીઓ માટે કરવામાં આવેલ આ વિશેષ વ્યવસ્થાને પગલે આજે તેનું પરિણામ નજર સમક્ષ જોવા મળી રહ્યું છે. આજથી પાંચ-સાત વર્ષ પૂર્વે ખૂબ જ જુજ માત્રામાં જોવા મળતી ચકલીઓની સંખ્યામાં આજે ખૂબ જ નોંધપાત્ર વધારો થયો છે. એક સમયે જે વિસ્તારમાં ચકલીઓનું જંગલ આજે જોવા મળે છે, ત્યાં પાંચ વર્ષ પૂર્વે માત્ર જાળી જાખરા જોવા મળતા હતા.

ચકલી પ્રેમી
ચકલી પ્રેમી (Etv Bharat Gujarat)
ચકલી પ્રેમી
ચકલી પ્રેમી (Etv Bharat Gujarat)

આ તફાવત અને ચકલીઓની સંખ્યામાં વધારા પાછળ 7-8 ચકલી પ્રેમીઓની મહેનત છે, તેમની આ મહેનત બાદ આજે 8000 થી 10,000 ચકલીઓનું આખું અસ્તિત્વ ઊભું થયું છે જે આજના ચકલી દિવસની ઉજવણીને વિશેષ બનાવે છે.

ચકલી પ્રેમી
ચકલી પ્રેમી (Etv Bharat Gujarat)

આ પણ વાંચો:

  1. આજે વિશ્વ ચકલી દિવસ: 21 વર્ષથી ચકલી બચાવો અભિયાન, જીવદયાનું આ કાર્ય દરેક ઘર સુધી પહોંચ્યું
  2. દાંડીયાત્રાના આજે 95 વર્ષ પૂર્ણ, આજે પણ દાંડીયાત્રા કેમ છે સત્યાગ્રહનું વૈશ્વિક પ્રતીક ?
Last Updated : March 20, 2025 at 9:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.