ETV Bharat / state

પહેલગામ આતંકી હુમલાના પડઘા વડોદરામાં: હિંદુ સંગઠનોનું વિરોધ પ્રદર્શન, પોલીસ એલર્ટ - VHP PROTEST

વી.એચ.પી અને બજરંગ દળના કાર્યકરો દ્વારા વડોદરાના જયુબિલી બાગ ખાતે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું.

વડોદરામાં VHPનું પ્રદર્શન
વડોદરામાં VHPનું પ્રદર્શન (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : April 24, 2025 at 9:52 PM IST

1 Min Read

વડોદરા: જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે થયેલા ભયાનક આતંકી હુમલામાં 27 નિર્દોષ લોકોના મોત થયા બાદ સમગ્ર દેશમાં શોક અને રોષની લાગણી જોવા મળી રહી છે. વડોદરા શહેરમાં પણ આ ઘટના પાછળ ભારે ઘેરાવ થયા છે. એક તરફ શહેર પોલીસ એલર્ટ મોડ પર છે, તો બીજી તરફ હિંદુ સંગઠનો દ્વારા ઘેરું પ્રતિકાર વ્યક્ત કરવામાં આવ્યો છે.

શહેર પોલીસ કમિશ્નર નરસિંહા કોમારની અધ્યક્ષતામાં મહત્વની બેઠક યોજવામાં આવી હતી. જેમાં સમગ્ર શહેરમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવવાના નિર્દેશ આપવામાં આવ્યા. વડોદરા પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ અને ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. શંકાસ્પદ લોકોને પૂછપરછ માટે અટકાવવામાં આવી રહ્યા છે. સાથે જ શહેરમાં રહેતા વિદેશી વિદ્યા માટે આવેલા વિદ્યાર્થીઓ અને યાત્રીઓની માહિતી પણ એકત્રિત કરવામાં આવી રહી છે.

વડોદરામાં પોલીસ એલર્ટ (ETV Bharat Gujarat)

પોલીસ કમિશ્નરે નાગરિકોને અપીલ કરતા કહ્યું કે, “સોશિયલ મીડિયા પર ફરતી અફવાઓથી દૂર રહો. જો કોઈ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરો. શહેરની શાંતિ જાળવવી આપણા સૌની જવાબદારી છે.”

અન્યત્ર, વી.એચ.પી અને બજરંગ દળના કાર્યકરો દ્વારા વડોદરાના જયુબિલી બાગ ખાતે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું. એટલું જ નહીં, આતંકવાદી હુમલાની નિંદા કરવા માટે આતંકીઓના પૂતળાનું દહન પણ કરવામાં આવ્યું. વિરોધ દરમિયાન "આતંકવાદ મુર્દાબાદ" જેવા નારા લગાવાયા અને સરકાર સમક્ષ આતંકીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.

વી.એચ.પીના મહામંત્રી વિષ્ણુ પ્રજાપતીએ કહ્યું કે, “આવું દુખદ ઘટનાક્રમ બરદાસ્ત કરી શકાય તેમ નથી. આતંકીઓને ઠાર કરવા માટે સરકાર તાત્કાલિક પગલાં ભરે.”

હુમલાની અસર વડોદરાની શાંતિપૂર્ણ સ્થિતિ પર સ્પષ્ટ જોવા મળી રહી છે. શહેરના નાગરિકો ચિંતિત છે પરંતુ સાથે સુરક્ષા એજન્સીઓ પર વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે.

આ પણ વાંચો:

  1. પહેલગામ આતંકી હુમલો: મૃતકોની આત્માની શાંતિ માટે સોમનાથ મંદિરમાં શાંતિ-પાઠનું આયોજન
  2. જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલા બાદ અંબાજી મંદિરમાં બોમ્બ સ્ક્વૉડ-ડૉગ સ્ક્વૉડ દ્વારા સઘન ચેકીંગ

વડોદરા: જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે થયેલા ભયાનક આતંકી હુમલામાં 27 નિર્દોષ લોકોના મોત થયા બાદ સમગ્ર દેશમાં શોક અને રોષની લાગણી જોવા મળી રહી છે. વડોદરા શહેરમાં પણ આ ઘટના પાછળ ભારે ઘેરાવ થયા છે. એક તરફ શહેર પોલીસ એલર્ટ મોડ પર છે, તો બીજી તરફ હિંદુ સંગઠનો દ્વારા ઘેરું પ્રતિકાર વ્યક્ત કરવામાં આવ્યો છે.

શહેર પોલીસ કમિશ્નર નરસિંહા કોમારની અધ્યક્ષતામાં મહત્વની બેઠક યોજવામાં આવી હતી. જેમાં સમગ્ર શહેરમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવવાના નિર્દેશ આપવામાં આવ્યા. વડોદરા પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ અને ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. શંકાસ્પદ લોકોને પૂછપરછ માટે અટકાવવામાં આવી રહ્યા છે. સાથે જ શહેરમાં રહેતા વિદેશી વિદ્યા માટે આવેલા વિદ્યાર્થીઓ અને યાત્રીઓની માહિતી પણ એકત્રિત કરવામાં આવી રહી છે.

વડોદરામાં પોલીસ એલર્ટ (ETV Bharat Gujarat)

પોલીસ કમિશ્નરે નાગરિકોને અપીલ કરતા કહ્યું કે, “સોશિયલ મીડિયા પર ફરતી અફવાઓથી દૂર રહો. જો કોઈ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરો. શહેરની શાંતિ જાળવવી આપણા સૌની જવાબદારી છે.”

અન્યત્ર, વી.એચ.પી અને બજરંગ દળના કાર્યકરો દ્વારા વડોદરાના જયુબિલી બાગ ખાતે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું. એટલું જ નહીં, આતંકવાદી હુમલાની નિંદા કરવા માટે આતંકીઓના પૂતળાનું દહન પણ કરવામાં આવ્યું. વિરોધ દરમિયાન "આતંકવાદ મુર્દાબાદ" જેવા નારા લગાવાયા અને સરકાર સમક્ષ આતંકીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.

વી.એચ.પીના મહામંત્રી વિષ્ણુ પ્રજાપતીએ કહ્યું કે, “આવું દુખદ ઘટનાક્રમ બરદાસ્ત કરી શકાય તેમ નથી. આતંકીઓને ઠાર કરવા માટે સરકાર તાત્કાલિક પગલાં ભરે.”

હુમલાની અસર વડોદરાની શાંતિપૂર્ણ સ્થિતિ પર સ્પષ્ટ જોવા મળી રહી છે. શહેરના નાગરિકો ચિંતિત છે પરંતુ સાથે સુરક્ષા એજન્સીઓ પર વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે.

આ પણ વાંચો:

  1. પહેલગામ આતંકી હુમલો: મૃતકોની આત્માની શાંતિ માટે સોમનાથ મંદિરમાં શાંતિ-પાઠનું આયોજન
  2. જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલા બાદ અંબાજી મંદિરમાં બોમ્બ સ્ક્વૉડ-ડૉગ સ્ક્વૉડ દ્વારા સઘન ચેકીંગ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.