ETV Bharat / state

વિચારોનું વાવેતર કાર્યક્રમ: PSI ઉર્વશી મેંદપરાએ કહ્યું, 'શરમ આવે છે...દારૂ અને સાઈબર ગુનામાં 50 % પટેલ !' - SUB INSPECTOR URVASHI MENDPARA

પટેલ સમાજ દ્વારા 'વિચારોનું વાવેતર કાર્યક્રમ'નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સરથાણા પોલીસ મથકના સબ ઇન્સ્પેક્ટર ઉર્વશી મેંદપરાએ સંબોધન આપ્યું હતું.

વિચારોનું વાવેતર કાર્યક્રમ 2025
વિચારોનું વાવેતર કાર્યક્રમ 2025 (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : February 13, 2025 at 1:26 PM IST

2 Min Read

સુરત: તાજેતરમાં પટેલ સમાજ દ્વારા પ્રેરિત 'વિચારોનું વાવેતર કાર્યક્રમ'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન સરથાણા પોલીસ મથકના મહિલા સબ ઇન્સ્પેક્ટર ઉર્વશી મેંદપરાએ સંબોધન આપ્યું હતું. અહીં તેમણે કહેલા વાક્યો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યા છે. જો તમે વિચારશો કે સબ ઇન્સ્પેક્ટર ઉર્વશી એવું તો શું કહ્યું, તો ચાલો જાણીએ..

'દારૂના નશામાં પકડાતા 15 નશાખોર વ્યક્તિમાંથી 10 યુવાનો પટેલ સમાજના હોય છે. આ ઘણી દુઃખદ બાબત છે. આવું જ્યારે જ્યારે બહાર આવે છે ત્યારે ફરજ દરમિયાન મને શરમ આવે છે.' જી હા, આ શબ્દો છે સરથાણા પોલીસ મથકના મહિલા સબ ઇન્સ્પેક્ટર ઉર્વશી મેંદપરાના. જે બાદ સમગ્ર પટેલ સમાજમાં હલચલ મચી છે. પીએસઆઈ ઉર્વશી મેંદપરાએ પોતાના સમાજ બાબતે વ્યક્ત કરેલી આ વ્યથાથી અનેક ચર્ચાઓ છેડાઈ છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ અનેક પ્રતિક્રિયાઓ આવી રહી છે.

પટેલ સમાજ દ્વારા 'વિચારોનું વાવેતર કાર્યક્રમ'નું આયોજન કરવામાં આવ્યું હતું (Etv Bharat Gujarat)

સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા અઠવાડિયામાં એક વાર સરથાણામાં જુદા જુદા વક્તાને મંચ પર લાવીને વિચારોનું વાવેતર કાર્યક્રમ યોજવામાં આવે છે. કડીમાં મૂળ ભૂતિયા ગામ, ભાવનગરની રહેવાસી પટેલ પરિવારની ગૌરવ સમી મહિલા પોલીસ ઓફિસર ઉર્વશી મેંદપરાને જોડવામાં આવ્યા હતા. તેમણે સમાજની દીકરીને કરિયાવરમાં ડિગ્રી આપવાની હિમાયત કરી હતી, તો સમાજના યુવકો બાબતે ચિંતા વ્યક્ત કરી હતી.

સરથાણા પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર ઉર્વશી મેંદાપરા
સરથાણા પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર ઉર્વશી મેંદાપરા (Etv Bharat Gujarat)

સબ ઇન્સ્પેક્ટર ઉર્વશીએ સંબોધનમાં જણાવ્યું હતું કે, "પોલીસ વિભાગની સર્વિસમાં સરથાણાની હદમાં ફરતા નશાખોરો પર સકંજો કસવાની વાત આવે ત્યારે ભારે હૈયે કહેવું પડે છે કે, ઝડપાતાં 15 માંથી 10 નશાખોરો પટેલ સમાજના હોય છે. મારે દુ:ખ સાથે કહેવું પડે છે, કે હું જ્યારે તેમની અટક કરું છું ત્યારે સંબંધીઓ ભલામણ માટે દોડી આવીને કહે છે કે મેડમ આપણા સમાજના છે, તેમને છોડી મૂકો. પરંતુ નશાખોર યુવાન એક દિવસ પોલીસ લોકઅપમાં રાત રહેશે તો બીજી વાર તે નશો કરતા પહેલા વિચારશે. આ ખૂબ વિચારવા જેવી વાત છે. આ ઉપરાંત સાયબર ફોડના 50 % કેસમાં પણ આરોપી તરીકે પટેલ સમાજના લોકો નોંધપાત્ર સંખ્યામાં હોય છે."

"મારી સાથે ફરજ બજાવતા સ્ટાફ મિત્રો મને કહે છે, મેડમ તમારા પટેલ સમાજના જ આરોપીઓ છે. મને શરમજનક લાગે છે. ત્યારે શા માટે પતનના માર્ગે જવું જોઈએ. સમાજના આગેવાનોએ આ બાબતે મનોમંથન કરીને સખાવતની રકમનો સદઉપયોગ કરે એ જરૂરી છે." -- સરથાણા પોલીસ મથકના મહિલા સબ ઇન્સ્પેક્ટર ઉર્વશી મેંદપરા

તમને જણાવી દઈએ કે, વિચારોનું વાવેતરના આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ મહિલા વિંગના કોકીલાબેન નવાપરા, જયશ્રીબેન ભાલાળા, વર્ષાબેન ત્રાગડિયા અમિતાબેન દેસાઈ અને વીણાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો:

  1. વેરાવળમાં સરકારી જમીન પર દબાણ : 4 કરોડની જમીન પર કબજો કરી ભાડે આપી
  2. જુનાગઢમાં પણ ફરી શકે છે દાદાનું બુલડોઝર, કેશોદ નજીક ધાર્મિક સ્થાનમાં જોવા મળી અનિયમિતતા

સુરત: તાજેતરમાં પટેલ સમાજ દ્વારા પ્રેરિત 'વિચારોનું વાવેતર કાર્યક્રમ'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન સરથાણા પોલીસ મથકના મહિલા સબ ઇન્સ્પેક્ટર ઉર્વશી મેંદપરાએ સંબોધન આપ્યું હતું. અહીં તેમણે કહેલા વાક્યો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યા છે. જો તમે વિચારશો કે સબ ઇન્સ્પેક્ટર ઉર્વશી એવું તો શું કહ્યું, તો ચાલો જાણીએ..

'દારૂના નશામાં પકડાતા 15 નશાખોર વ્યક્તિમાંથી 10 યુવાનો પટેલ સમાજના હોય છે. આ ઘણી દુઃખદ બાબત છે. આવું જ્યારે જ્યારે બહાર આવે છે ત્યારે ફરજ દરમિયાન મને શરમ આવે છે.' જી હા, આ શબ્દો છે સરથાણા પોલીસ મથકના મહિલા સબ ઇન્સ્પેક્ટર ઉર્વશી મેંદપરાના. જે બાદ સમગ્ર પટેલ સમાજમાં હલચલ મચી છે. પીએસઆઈ ઉર્વશી મેંદપરાએ પોતાના સમાજ બાબતે વ્યક્ત કરેલી આ વ્યથાથી અનેક ચર્ચાઓ છેડાઈ છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ અનેક પ્રતિક્રિયાઓ આવી રહી છે.

પટેલ સમાજ દ્વારા 'વિચારોનું વાવેતર કાર્યક્રમ'નું આયોજન કરવામાં આવ્યું હતું (Etv Bharat Gujarat)

સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા અઠવાડિયામાં એક વાર સરથાણામાં જુદા જુદા વક્તાને મંચ પર લાવીને વિચારોનું વાવેતર કાર્યક્રમ યોજવામાં આવે છે. કડીમાં મૂળ ભૂતિયા ગામ, ભાવનગરની રહેવાસી પટેલ પરિવારની ગૌરવ સમી મહિલા પોલીસ ઓફિસર ઉર્વશી મેંદપરાને જોડવામાં આવ્યા હતા. તેમણે સમાજની દીકરીને કરિયાવરમાં ડિગ્રી આપવાની હિમાયત કરી હતી, તો સમાજના યુવકો બાબતે ચિંતા વ્યક્ત કરી હતી.

સરથાણા પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર ઉર્વશી મેંદાપરા
સરથાણા પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર ઉર્વશી મેંદાપરા (Etv Bharat Gujarat)

સબ ઇન્સ્પેક્ટર ઉર્વશીએ સંબોધનમાં જણાવ્યું હતું કે, "પોલીસ વિભાગની સર્વિસમાં સરથાણાની હદમાં ફરતા નશાખોરો પર સકંજો કસવાની વાત આવે ત્યારે ભારે હૈયે કહેવું પડે છે કે, ઝડપાતાં 15 માંથી 10 નશાખોરો પટેલ સમાજના હોય છે. મારે દુ:ખ સાથે કહેવું પડે છે, કે હું જ્યારે તેમની અટક કરું છું ત્યારે સંબંધીઓ ભલામણ માટે દોડી આવીને કહે છે કે મેડમ આપણા સમાજના છે, તેમને છોડી મૂકો. પરંતુ નશાખોર યુવાન એક દિવસ પોલીસ લોકઅપમાં રાત રહેશે તો બીજી વાર તે નશો કરતા પહેલા વિચારશે. આ ખૂબ વિચારવા જેવી વાત છે. આ ઉપરાંત સાયબર ફોડના 50 % કેસમાં પણ આરોપી તરીકે પટેલ સમાજના લોકો નોંધપાત્ર સંખ્યામાં હોય છે."

"મારી સાથે ફરજ બજાવતા સ્ટાફ મિત્રો મને કહે છે, મેડમ તમારા પટેલ સમાજના જ આરોપીઓ છે. મને શરમજનક લાગે છે. ત્યારે શા માટે પતનના માર્ગે જવું જોઈએ. સમાજના આગેવાનોએ આ બાબતે મનોમંથન કરીને સખાવતની રકમનો સદઉપયોગ કરે એ જરૂરી છે." -- સરથાણા પોલીસ મથકના મહિલા સબ ઇન્સ્પેક્ટર ઉર્વશી મેંદપરા

તમને જણાવી દઈએ કે, વિચારોનું વાવેતરના આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ મહિલા વિંગના કોકીલાબેન નવાપરા, જયશ્રીબેન ભાલાળા, વર્ષાબેન ત્રાગડિયા અમિતાબેન દેસાઈ અને વીણાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો:

  1. વેરાવળમાં સરકારી જમીન પર દબાણ : 4 કરોડની જમીન પર કબજો કરી ભાડે આપી
  2. જુનાગઢમાં પણ ફરી શકે છે દાદાનું બુલડોઝર, કેશોદ નજીક ધાર્મિક સ્થાનમાં જોવા મળી અનિયમિતતા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.