ETV Bharat / state

આ પ્રકારની ઘટનામાં જવાબદારી નક્કી થવી જોઈએ, સરકારે વળતર આપવું જોઈએ: મલ્લિકાર્જુન ખડગે - MALLIKARJUN KHARGE IN AHMEDABAD

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિતના નેતાઓ સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા.

સિવિલ હોસ્પિટલમાં મલ્લિકાર્જુન ખડગે ઈજાગ્રસ્ત દર્દી સાથે
સિવિલ હોસ્પિટલમાં મલ્લિકાર્જુન ખડગે ઈજાગ્રસ્ત દર્દી સાથે (X/@kharge)
author img

By ETV Bharat Gujarati Team

Published : June 14, 2025 at 10:10 PM IST

1 Min Read

અમદાવાદ: અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ એક પછી એક મોટા નેતાઓ ઘટના સ્થળ અને સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવી રહ્યા છે. તો આજે દુર્ઘટનામાં ઘાયલોના ખબર અંતર પૂછવા માટે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશીના આવ્યા બાદ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિતના નેતાઓ સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા.

દરમિયાન પ્રેસ કોન્ફરન્સ કરીને મલ્લિકાર્જુન ખડગે જણાવ્યું હતું કે, આ ઘટના પછી જે બ્લેક બોક્સ મળ્યું છે તેમાંથી હકીકત બહાર આવશે. અત્યારે કોઈના પર આરોપ મૂકવું યોગ્ય નથી. ટેકનીકલ બાબત છે. જે સામે આવ્યા બાદ ટિપ્પણી કરીશું. આ ઘટનામાં વળતર તો મળવું જ જોઈએ. સાથે જવાબદારી પણ ફિક્સ કરવામાં આવે એવી અમારી માંગ છે. કોઈ વાતને હલકામાં ના લેવા જોઈએ. અમારા કોંગ્રેસના નેતાઓ જ્યારથી ઘટના બની ત્યારથી અહીં મદદ કરવા માટે ઊભા છે. અને હેલ્પલાઇન તરીકે કામ કરી રહ્યા છે.

તેમણે જણાવ્યું હતું કે, આવા દુઃખના સમયમાં કોઈએ ક્રેડિટ લેવાનો પ્રયાસ ના કરવો જોઈએ. જે લોકો આ ઘટનામાં મૃત્યુ પામ્યા છે અમે એમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. બ્લેક બોક્સમાં શું નીકળશે એના આધાર પછી અમે ઇન્કવાયરી માટે માંગ કરીશું. એનાથી પહેલા કોઈને દોષ આપવો એ સારું નથી.

આ પણ વાંચો:

  1. પ્લેન ક્રેશના મૃતકોના મૃતદેહો રાખવા વડોદરામાં બની રહ્યા છે 120 કોફીન, કારીગરે કહ્યું- બનાવતા હાથ ધ્રુજે છે
  2. 'પ્લેન ક્રેશના બે દિવસ પછી લોકો ડરથી ભયભીત છે', લંડનથી ફ્લાઈટમાં મુંબઈ આવતી ગુજરાતી એક્ટ્રેસે જણાવી સ્થિતિ

અમદાવાદ: અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ એક પછી એક મોટા નેતાઓ ઘટના સ્થળ અને સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવી રહ્યા છે. તો આજે દુર્ઘટનામાં ઘાયલોના ખબર અંતર પૂછવા માટે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશીના આવ્યા બાદ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિતના નેતાઓ સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા.

દરમિયાન પ્રેસ કોન્ફરન્સ કરીને મલ્લિકાર્જુન ખડગે જણાવ્યું હતું કે, આ ઘટના પછી જે બ્લેક બોક્સ મળ્યું છે તેમાંથી હકીકત બહાર આવશે. અત્યારે કોઈના પર આરોપ મૂકવું યોગ્ય નથી. ટેકનીકલ બાબત છે. જે સામે આવ્યા બાદ ટિપ્પણી કરીશું. આ ઘટનામાં વળતર તો મળવું જ જોઈએ. સાથે જવાબદારી પણ ફિક્સ કરવામાં આવે એવી અમારી માંગ છે. કોઈ વાતને હલકામાં ના લેવા જોઈએ. અમારા કોંગ્રેસના નેતાઓ જ્યારથી ઘટના બની ત્યારથી અહીં મદદ કરવા માટે ઊભા છે. અને હેલ્પલાઇન તરીકે કામ કરી રહ્યા છે.

તેમણે જણાવ્યું હતું કે, આવા દુઃખના સમયમાં કોઈએ ક્રેડિટ લેવાનો પ્રયાસ ના કરવો જોઈએ. જે લોકો આ ઘટનામાં મૃત્યુ પામ્યા છે અમે એમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. બ્લેક બોક્સમાં શું નીકળશે એના આધાર પછી અમે ઇન્કવાયરી માટે માંગ કરીશું. એનાથી પહેલા કોઈને દોષ આપવો એ સારું નથી.

આ પણ વાંચો:

  1. પ્લેન ક્રેશના મૃતકોના મૃતદેહો રાખવા વડોદરામાં બની રહ્યા છે 120 કોફીન, કારીગરે કહ્યું- બનાવતા હાથ ધ્રુજે છે
  2. 'પ્લેન ક્રેશના બે દિવસ પછી લોકો ડરથી ભયભીત છે', લંડનથી ફ્લાઈટમાં મુંબઈ આવતી ગુજરાતી એક્ટ્રેસે જણાવી સ્થિતિ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.