ETV Bharat / state

ધોરાજી: ઓવરબ્રિજની કામગીરીથી પરેશાન લોકોએ કર્યો ચક્કાજામ, ઉગ્ર આંદોલનની ચીમકી - RAJKOT PEOPLE PROTEST

ધોરાજીમાં નવનિર્માણ પામી રહેલા રેલવે ફાટક પરના બ્રિજની કામગીરીને લઈને પરેશાન થયેલા લોકોએ છેવટે સૂત્રોચ્ચાર કરી ચક્કાજામ કર્યું હતું.

પરેશાન થયેલા લોકોએ છેવટે સૂત્રોચ્ચાર કરી ચક્કાજામ કર્યું
પરેશાન થયેલા લોકોએ છેવટે સૂત્રોચ્ચાર કરી ચક્કાજામ કર્યું (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : April 16, 2025 at 11:19 AM IST

2 Min Read

રાજકોટ: જિલ્લાના ધોરાજી શહેરમાં જૂનાગઢ રોડ પરની રેલવે ફાટક પર ઓવરબ્રિજ બનાવવાની કામગીરીને લઈને બંધ થયેલો રસ્તો લોકોની સમસ્યાઓ અને તકલીફોનું કારણ બની રહ્યો છે. પરિણામે પરેશાન થયેલા લોકોએ રસ્તો બંધ કરી ચક્કાજામ કર્યું હતું અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો.

મળતી માહિતી અનુસાર, ધોરાજી શહેરમાં આવેલા જૂનાગઢ રોડ પર રેલવે ફાટક આવેલી છે. આ રેલવે ફાટકને બંધ કરી ઓવરબ્રિજ બનાવવા માટેની કામગીરી મંજૂર થયેલ છે જેમાં મંજૂર થયેલું કામ ચાલી રહ્યું છે. ત્યારે આ કામ માટે અહીંયાથી પસાર થતા વાહનો, રાહદારીઓ અને ખેડૂતોને અન્ય વૈકલ્પિક માર્ગ તરફથી પસાર થવા માટેની જે વ્યવસ્થા તેમજ જે વૈકલ્પિક રસ્તો ઊભો કરવામાં આવ્યો છે તે રસ્તો અને બંધ થયેલા આ રસ્તાને કારણે લોકોની અનેક સમસ્યાઓ ફરિયાદો અને તકલીફ વધી રહી હોવાનું સામે આવ્યું છે.

ઓવરબ્રિજની કામગીરીથી પરેશાન લોકોનો ચક્કાજા (Etv Bharat Gujarat)

આ ગોઠવાણને કારણે ખેડૂતો, રાહદારીઓ, વાહનચાલકો અને આ રસ્તા પર આવેલા પ્લાસ્ટિકના કારખાનેદારને ખૂબ પરેશાની થઈ રહી છે. જેને લઇને સ્થાનિક તેમજ કારખાનેદારો, વેપારીઓ સહિતનાઓએ એકત્રિત થઈ હિત સમિતિ બનાવી રસ્તા પર ચક્કાજામ કર્યું હતું અને સૂત્રોચ્ચાર કરી તેમણે થઈ રહેલા તકલીફ અને સમસ્યાનું તંત્ર દ્વારા નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરી છે.

ઉગ્ર આંદોલનની ચીમકી
ઉગ્ર આંદોલનની ચીમકી (Etv Bharat Gujarat)
ઓવરબ્રિજની કામગીરીથી પરેશાન લોકોનો ચક્કાજામ
ઓવરબ્રિજની કામગીરીથી પરેશાન લોકોનો ચક્કાજામ (Etv Bharat Gujarat)

ધોરાજી શહેરમાં જૂનાગઢ રોડ પર આવેલા રેલવે ફાટક પર ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે જેને લઇને આ રસ્તો બંધ કરવાનો હુકમ ફરમાવવામાં આવ્યો છે. ત્યારે આ રસ્તાઓને બંધ કરાતા અન્ય વૈકલ્પિક માર્ગ પસંદ કરવામાં આવ્યો છે તે રસ્તો ખૂબ ખરાબ સમસ્યાનું ઘર અને તકલીફોની મોટી બાબતો પડી રહી હોવાનું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું છે. જેને લઇને કારખાનેદારો, ખેડૂતો અને અહીંયાથી પસાર થતા રાહદારીઓને, વાહન ચાલકોને ખૂબ તકલીફ અને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હોવાનું સામે આવ્યું છે.

ઉગ્ર આંદોલનની ચીમકી
ઉગ્ર આંદોલનની ચીમકી (Etv Bharat Gujarat)
ઓવરબ્રિજની કામગીરીથી પરેશાન લોકોનો ચક્કાજામ
ઓવરબ્રિજની કામગીરીથી પરેશાન લોકોનો ચક્કાજામ (Etv Bharat Gujarat)

અહીંયા 300 ઉપરાંતના પ્લાસ્ટિકના કારખાનેદારોને પણ તેમના માલના આવન જાવન માટે પણ ખૂબ તકલીફ પડી રહી છે. ત્યારે તંત્ર દ્વારા આ મામલે કોઈ પગલાં કે એક્શન નહીં લેવામાં આવતા સ્થાનિકો પોતાની પીડા સરકાર સમક્ષ પહોંચાડવા માટે એકત્રિત થયા હતા અને સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો. સાથે જ ચીમકી આપી છે કે તેઓ આગામી દિવસોની અંદર તેમની સમસ્યાનું નિરાકરણ નહીં કરવામાં આવે તો વધુ ઉગ્ર આંદોલન કરશે.

ઓવરબ્રિજની કામગીરીથી પરેશાન લોકોનો ચક્કાજામ
ઓવરબ્રિજની કામગીરીથી પરેશાન લોકોનો ચક્કાજામ (Etv Bharat Gujarat)
ઉગ્ર આંદોલનની ચીમકી
ઉગ્ર આંદોલનની ચીમકી (Etv Bharat Gujarat)

આ પણ વાંચો:

  1. ભુજની જૂની જેલમાં ભયંકર આગ, પોલીસે જપ્ત કરેલા વાહનો રાખ થયા- Video
  2. ઊંઝા માર્કેટયાર્ડમાં જીરું, વરિયાળી, ઇસબગુલની ભારે આવક: જીરાના ભાવ ઊંચા જાય તેવી શક્યતા

રાજકોટ: જિલ્લાના ધોરાજી શહેરમાં જૂનાગઢ રોડ પરની રેલવે ફાટક પર ઓવરબ્રિજ બનાવવાની કામગીરીને લઈને બંધ થયેલો રસ્તો લોકોની સમસ્યાઓ અને તકલીફોનું કારણ બની રહ્યો છે. પરિણામે પરેશાન થયેલા લોકોએ રસ્તો બંધ કરી ચક્કાજામ કર્યું હતું અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો.

મળતી માહિતી અનુસાર, ધોરાજી શહેરમાં આવેલા જૂનાગઢ રોડ પર રેલવે ફાટક આવેલી છે. આ રેલવે ફાટકને બંધ કરી ઓવરબ્રિજ બનાવવા માટેની કામગીરી મંજૂર થયેલ છે જેમાં મંજૂર થયેલું કામ ચાલી રહ્યું છે. ત્યારે આ કામ માટે અહીંયાથી પસાર થતા વાહનો, રાહદારીઓ અને ખેડૂતોને અન્ય વૈકલ્પિક માર્ગ તરફથી પસાર થવા માટેની જે વ્યવસ્થા તેમજ જે વૈકલ્પિક રસ્તો ઊભો કરવામાં આવ્યો છે તે રસ્તો અને બંધ થયેલા આ રસ્તાને કારણે લોકોની અનેક સમસ્યાઓ ફરિયાદો અને તકલીફ વધી રહી હોવાનું સામે આવ્યું છે.

ઓવરબ્રિજની કામગીરીથી પરેશાન લોકોનો ચક્કાજા (Etv Bharat Gujarat)

આ ગોઠવાણને કારણે ખેડૂતો, રાહદારીઓ, વાહનચાલકો અને આ રસ્તા પર આવેલા પ્લાસ્ટિકના કારખાનેદારને ખૂબ પરેશાની થઈ રહી છે. જેને લઇને સ્થાનિક તેમજ કારખાનેદારો, વેપારીઓ સહિતનાઓએ એકત્રિત થઈ હિત સમિતિ બનાવી રસ્તા પર ચક્કાજામ કર્યું હતું અને સૂત્રોચ્ચાર કરી તેમણે થઈ રહેલા તકલીફ અને સમસ્યાનું તંત્ર દ્વારા નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરી છે.

ઉગ્ર આંદોલનની ચીમકી
ઉગ્ર આંદોલનની ચીમકી (Etv Bharat Gujarat)
ઓવરબ્રિજની કામગીરીથી પરેશાન લોકોનો ચક્કાજામ
ઓવરબ્રિજની કામગીરીથી પરેશાન લોકોનો ચક્કાજામ (Etv Bharat Gujarat)

ધોરાજી શહેરમાં જૂનાગઢ રોડ પર આવેલા રેલવે ફાટક પર ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે જેને લઇને આ રસ્તો બંધ કરવાનો હુકમ ફરમાવવામાં આવ્યો છે. ત્યારે આ રસ્તાઓને બંધ કરાતા અન્ય વૈકલ્પિક માર્ગ પસંદ કરવામાં આવ્યો છે તે રસ્તો ખૂબ ખરાબ સમસ્યાનું ઘર અને તકલીફોની મોટી બાબતો પડી રહી હોવાનું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું છે. જેને લઇને કારખાનેદારો, ખેડૂતો અને અહીંયાથી પસાર થતા રાહદારીઓને, વાહન ચાલકોને ખૂબ તકલીફ અને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હોવાનું સામે આવ્યું છે.

ઉગ્ર આંદોલનની ચીમકી
ઉગ્ર આંદોલનની ચીમકી (Etv Bharat Gujarat)
ઓવરબ્રિજની કામગીરીથી પરેશાન લોકોનો ચક્કાજામ
ઓવરબ્રિજની કામગીરીથી પરેશાન લોકોનો ચક્કાજામ (Etv Bharat Gujarat)

અહીંયા 300 ઉપરાંતના પ્લાસ્ટિકના કારખાનેદારોને પણ તેમના માલના આવન જાવન માટે પણ ખૂબ તકલીફ પડી રહી છે. ત્યારે તંત્ર દ્વારા આ મામલે કોઈ પગલાં કે એક્શન નહીં લેવામાં આવતા સ્થાનિકો પોતાની પીડા સરકાર સમક્ષ પહોંચાડવા માટે એકત્રિત થયા હતા અને સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો. સાથે જ ચીમકી આપી છે કે તેઓ આગામી દિવસોની અંદર તેમની સમસ્યાનું નિરાકરણ નહીં કરવામાં આવે તો વધુ ઉગ્ર આંદોલન કરશે.

ઓવરબ્રિજની કામગીરીથી પરેશાન લોકોનો ચક્કાજામ
ઓવરબ્રિજની કામગીરીથી પરેશાન લોકોનો ચક્કાજામ (Etv Bharat Gujarat)
ઉગ્ર આંદોલનની ચીમકી
ઉગ્ર આંદોલનની ચીમકી (Etv Bharat Gujarat)

આ પણ વાંચો:

  1. ભુજની જૂની જેલમાં ભયંકર આગ, પોલીસે જપ્ત કરેલા વાહનો રાખ થયા- Video
  2. ઊંઝા માર્કેટયાર્ડમાં જીરું, વરિયાળી, ઇસબગુલની ભારે આવક: જીરાના ભાવ ઊંચા જાય તેવી શક્યતા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.