ETV Bharat / state

પંચમહાલના વાટાવછોડા ગામે વિરોધનું વંટોળ, નગરપાલિકામાં કેમ નથી જોડાવા માંગતા ગ્રામજનો ? - VANTAVACHHODA VILLAGERS PROTEST

શહેરા તાલુકાના વાંટાવછોડા ગ્રામ પંચાયતને શહેરા નગરપાલિકામાં સમાવેશ કરવાના નિર્ણય સામે લોકોએ વિરોધ નોંધાવ્યો છે, જાણો સમગ્ર મામલો...

નગરપાલિકા શહેરામાં સમાવેશ નથી થવું - ગ્રામજનો
નગરપાલિકા શહેરામાં સમાવેશ નથી થવું - ગ્રામજનો (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : June 10, 2025 at 9:34 AM IST

2 Min Read

પંચમહાલ: શહેરા તાલુકાના વાટાવછોડા ગામનો નગરપાલિકામાં સમાવેશ કરવાને લઈને ગ્રામજનોએ ભારે વિરોધ નોંધાવ્યો છે. ગ્રામજનોએ એકઠા થઈને સરપંચને મૌખિક રજૂઆત કરતા જણાવ્યું હતું કે, વેરા સહિતની અન્ય ઘણી સમસ્યાઓને લઈને વિરોધ છે. નગરપાલિકામાં ન જોડાવા મામલે રાજ્ય શહેરી વિકાસ કમિશનર સહિત જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.

વાટાવછોડા ગામે વિરોધના વંટોળ:

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં આવેલું વાંટાવછોડા ગામ આશરે ત્રણ હજાર જેટલી વસ્તી ધરાવે છે. આ ગામમાં સાત વોર્ડ આવેલા છે. ગામના લોકો ખેતી અને મજૂરીકામ સાથે જોડાયેલા છે. પંચમહાલ જિલ્લાની શહેરા નગરપાલિકા વર્ષોથી અસ્તિત્વમાં છે. હાલમાં તેમાં કેટલાક અન્ય પરા વિસ્તારના ગામો પણ જોડાયેલા છે. હવે અન્ય ગામોને પણ નગરપાલિકામાં જોડવાની હિલચાલને લઈને વિરોધ જોવા મળી રહ્યા છે.

ગ્રામજનો નગરપાલિકામાં નથી જોડાવા માંગતા (Etv Bharat Gujarat)

કેમ નગરપાલિકામાં નથી જોડાવા માંગતા !

શહેરા નગરપાલિકામાં વાટાવછોડા ગામનો સમાવેશ કરવાના નિર્ણય સામે ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો. ગામના લોકોએ એકઠા થઈ સરપંચને ઉગ્ર રજૂઆત કરી હતી. સાથે જ ઉચ્ચ કક્ષાએ પણ લેખિત રજૂઆત કરતા જણાવ્યું કે, અમારું ગામ ખેતી અને ગ્રામ્ય જીવન પદ્ધતિ પર આધારિત છે. અમે ગામના લોકો પરંપરાગત ગર્વનન્સ પંચાયતી રાજ હેઠળ રહીને વિકાસના કામો કરવા માંગીએ છીએ. અહીંના વિરુદ્ધ કામ કરવું અમારી સ્વતંત્રતા અને પંચાયતી હક્કો વિરુદ્ધ છે.

નગરપાલિકા શહેરામાં સમાવેશ નથી થવું - ગ્રામજનો
નગરપાલિકા શહેરામાં સમાવેશ નથી થવું - ગ્રામજનો (Etv Bharat Gujarat)

"અમારું ગામ નગરપાલિકામાં ન જવું જોઈએ. અમારાથી વેરો ભરાય નહીં. લોકો હાલનો વેરો પણ ભરી શકતા નથી. ગામના લોકો ના પાડે છે કે અમારે પાલિકામાં જોડાવું નથી. ગ્રામલોકોએ મને પણ આ મામલે રજૂઆત કરી છે." - પ્રેમાભાઈ પટેલિયા (સરપંચ)

ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરી:

આ મામલે ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા કલેક્ટર, પાલિકા મુખ્ય અધિકારી, રાજ્ય શહેરી વિકાસ વિભાગ- ગાંધીનગર સહિત લેખિત રજૂઆત કરી હતી. ગ્રામજનોનું કહેવું છે કે, અમારે નગરપાલિકામાં જોડાવું નથી. શહેરા અમારે પાંચ કિમી દૂર થાય છે. અમારે કોઈ સરકારી કામકાજ કરવું હોય તો અમાટે શહેરા દૂર પડે છે. ગ્રામ પંચાયત કચેરી નજીક હોવાથી અમારે કામ ઝડપથી થઈ જાય છે.

વાંટાવછોડાનાં ગ્રામજનોનો વિરોધ
વાંટાવછોડાનાં ગ્રામજનોનો વિરોધ (Etv Bharat Gujarat)
આ પણ વાંચો:
  1. પંચમહાલમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની તૈયારીઓ શરૂ: 266 પંચાયતો માટે ઉમેદવારી ફોર્મ ભરવાનું શરૂ
  2. પંચમહાલ મનરેગા કૌભાંડ : ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ સાથે મેદાને આવ્યું AAP

પંચમહાલ: શહેરા તાલુકાના વાટાવછોડા ગામનો નગરપાલિકામાં સમાવેશ કરવાને લઈને ગ્રામજનોએ ભારે વિરોધ નોંધાવ્યો છે. ગ્રામજનોએ એકઠા થઈને સરપંચને મૌખિક રજૂઆત કરતા જણાવ્યું હતું કે, વેરા સહિતની અન્ય ઘણી સમસ્યાઓને લઈને વિરોધ છે. નગરપાલિકામાં ન જોડાવા મામલે રાજ્ય શહેરી વિકાસ કમિશનર સહિત જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.

વાટાવછોડા ગામે વિરોધના વંટોળ:

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં આવેલું વાંટાવછોડા ગામ આશરે ત્રણ હજાર જેટલી વસ્તી ધરાવે છે. આ ગામમાં સાત વોર્ડ આવેલા છે. ગામના લોકો ખેતી અને મજૂરીકામ સાથે જોડાયેલા છે. પંચમહાલ જિલ્લાની શહેરા નગરપાલિકા વર્ષોથી અસ્તિત્વમાં છે. હાલમાં તેમાં કેટલાક અન્ય પરા વિસ્તારના ગામો પણ જોડાયેલા છે. હવે અન્ય ગામોને પણ નગરપાલિકામાં જોડવાની હિલચાલને લઈને વિરોધ જોવા મળી રહ્યા છે.

ગ્રામજનો નગરપાલિકામાં નથી જોડાવા માંગતા (Etv Bharat Gujarat)

કેમ નગરપાલિકામાં નથી જોડાવા માંગતા !

શહેરા નગરપાલિકામાં વાટાવછોડા ગામનો સમાવેશ કરવાના નિર્ણય સામે ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો. ગામના લોકોએ એકઠા થઈ સરપંચને ઉગ્ર રજૂઆત કરી હતી. સાથે જ ઉચ્ચ કક્ષાએ પણ લેખિત રજૂઆત કરતા જણાવ્યું કે, અમારું ગામ ખેતી અને ગ્રામ્ય જીવન પદ્ધતિ પર આધારિત છે. અમે ગામના લોકો પરંપરાગત ગર્વનન્સ પંચાયતી રાજ હેઠળ રહીને વિકાસના કામો કરવા માંગીએ છીએ. અહીંના વિરુદ્ધ કામ કરવું અમારી સ્વતંત્રતા અને પંચાયતી હક્કો વિરુદ્ધ છે.

નગરપાલિકા શહેરામાં સમાવેશ નથી થવું - ગ્રામજનો
નગરપાલિકા શહેરામાં સમાવેશ નથી થવું - ગ્રામજનો (Etv Bharat Gujarat)

"અમારું ગામ નગરપાલિકામાં ન જવું જોઈએ. અમારાથી વેરો ભરાય નહીં. લોકો હાલનો વેરો પણ ભરી શકતા નથી. ગામના લોકો ના પાડે છે કે અમારે પાલિકામાં જોડાવું નથી. ગ્રામલોકોએ મને પણ આ મામલે રજૂઆત કરી છે." - પ્રેમાભાઈ પટેલિયા (સરપંચ)

ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરી:

આ મામલે ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા કલેક્ટર, પાલિકા મુખ્ય અધિકારી, રાજ્ય શહેરી વિકાસ વિભાગ- ગાંધીનગર સહિત લેખિત રજૂઆત કરી હતી. ગ્રામજનોનું કહેવું છે કે, અમારે નગરપાલિકામાં જોડાવું નથી. શહેરા અમારે પાંચ કિમી દૂર થાય છે. અમારે કોઈ સરકારી કામકાજ કરવું હોય તો અમાટે શહેરા દૂર પડે છે. ગ્રામ પંચાયત કચેરી નજીક હોવાથી અમારે કામ ઝડપથી થઈ જાય છે.

વાંટાવછોડાનાં ગ્રામજનોનો વિરોધ
વાંટાવછોડાનાં ગ્રામજનોનો વિરોધ (Etv Bharat Gujarat)
આ પણ વાંચો:
  1. પંચમહાલમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની તૈયારીઓ શરૂ: 266 પંચાયતો માટે ઉમેદવારી ફોર્મ ભરવાનું શરૂ
  2. પંચમહાલ મનરેગા કૌભાંડ : ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ સાથે મેદાને આવ્યું AAP
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.