ETV Bharat / state

ડાકોરમાં રણછોડરાયજીને વસ્ત્રો ધરાવવાની સેવા માટે 3 એપ્રિલથી ઓનલાઈન બુકિંગ શરૂ - ONLINE BOOKING IN DAKOR

ભાવિકો ભગવાનને વસ્ત્રો ધરાવી પુણ્ય મેળવતા હોય છે. ત્યારે ટેમ્પલ કમિટી દ્વારા ઓનલાઈન વસ્ત્રોની નોંધણી સેવા શરૂ કરાશે.

ટેમ્પલ કમિટી દ્વારા ઓનલાઈન વસ્ત્રોની નોંધણી સેવા શરૂ
ટેમ્પલ કમિટી દ્વારા ઓનલાઈન વસ્ત્રોની નોંધણી સેવા શરૂ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : April 3, 2025 at 1:19 PM IST

1 Min Read

ખેડા: સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે મંદિરમાં ભગવાન રણછોડરાયજીને વસ્ત્રો ધરાવવા માટે આજે 3 એપ્રિલથી ટેમ્પલ કમિટી દ્વારા ઓનલાઈન બુકિંગ સેવા શરૂ કરવામાં આવશે. ભાવિકો મંદિર દ્વારા નક્કી કરાયેલ લાગો (પેમેન્ટ) ઓનલાઈન ભરીને સવાર અને સાંજના વસ્ત્રોની નોંધણી કરાવી શકશે. 31 માર્ચ 2026 સુધીના વસ્ત્રોની ઓનલાઈન નોંધણી થઈ શકશે. ભાવિકો ભગવાનને વસ્ત્રો ધરાવી પુણ્ય મેળવતા હોય છે. ત્યારે ટેમ્પલ કમિટી દ્વારા ઓનલાઈન વસ્ત્રોની નોંધણી સેવા શરૂ કરાશે.

સવાર અને સાંજના વસ્ત્રો માટે લાગો નક્કી કરાયો: ટેમ્પલ કમિટી તરફથી મળેલી વિગતો મુજબ ભગવાન રણછોડરાયજીને સવાર અને સાંજના વસ્ત્રોની ઓનલાઈન નોંધણી માટે ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા લાગો નક્કી કરાયો છે. જે મુજબ રાજાધિરાજના સવારના વસ્ત્રો માટે રૂપિયા 5000 અને સાંજના વસ્ત્રો માટે રૂપિયા 2500 નક્કી કર્યા છે.

વસ્ત્રો ધરાવવાની સેવા માટે 3 એપ્રિલથી ઓનલાઈન બુકિંગ શરૂ
વસ્ત્રો ધરાવવાની સેવા માટે 3 એપ્રિલથી ઓનલાઈન બુકિંગ શરૂ (Etv Bharat Gujarat)

મંદિરની વેબસાઈટ પર નોંધણી કરાવી શકાશે: ભાવિકો મંદિરની વેબસાઈટ પર વસ્ત્રો માટે નોંધણી કરાવી શકશે. જે માટે નક્કી કરવામાં આવેલ લાગોની રકમ નોંધણી કરવાના સમયે ચૂકવવાની રહેશે. લાગો ચુકવાયાના સમયને ધ્યાનમાં રાખી વસ્ત્ર નોંધણી ક્રમ નક્કી કરાશે. ધનુર્માસના પ્રારંભથી અંત સુધીના દિવસોની તારીખ અને મંદિર દ્વારા નક્કી કરવામાં આવેલ દિવસોની તારીખ ભાવિકોને આપવામાં આવશે નહીં, તે મુજબનો નિર્ણય કમિટી દ્વારા કરવામાં આવ્યો છે. ભાવિકોએ નોંધણીના નિયમોનું પાલન કરવાનું રહેશે.

ટેમ્પલ કમિટી દ્વારા ઓનલાઈન વસ્ત્રોની નોંધણી સેવા શરૂ
ટેમ્પલ કમિટી દ્વારા ઓનલાઈન વસ્ત્રોની નોંધણી સેવા શરૂ (Etv Bharat Gujarat)

આ પણ વાંચો:

  1. ચૈત્ર નવરાત્રી: માતાના મઢમાં ગરબાની રમઝટ, ઉમેશ બારોટના ગીતો પર ભક્તો ડોલ્યા
  2. સ્વરક્ષણ માટે કચ્છી મહિલાઓએ લીધી તલવારબાજીની તાલીમ, દેશની મહિલાઓને આપ્યો આ સંદેશ

ખેડા: સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે મંદિરમાં ભગવાન રણછોડરાયજીને વસ્ત્રો ધરાવવા માટે આજે 3 એપ્રિલથી ટેમ્પલ કમિટી દ્વારા ઓનલાઈન બુકિંગ સેવા શરૂ કરવામાં આવશે. ભાવિકો મંદિર દ્વારા નક્કી કરાયેલ લાગો (પેમેન્ટ) ઓનલાઈન ભરીને સવાર અને સાંજના વસ્ત્રોની નોંધણી કરાવી શકશે. 31 માર્ચ 2026 સુધીના વસ્ત્રોની ઓનલાઈન નોંધણી થઈ શકશે. ભાવિકો ભગવાનને વસ્ત્રો ધરાવી પુણ્ય મેળવતા હોય છે. ત્યારે ટેમ્પલ કમિટી દ્વારા ઓનલાઈન વસ્ત્રોની નોંધણી સેવા શરૂ કરાશે.

સવાર અને સાંજના વસ્ત્રો માટે લાગો નક્કી કરાયો: ટેમ્પલ કમિટી તરફથી મળેલી વિગતો મુજબ ભગવાન રણછોડરાયજીને સવાર અને સાંજના વસ્ત્રોની ઓનલાઈન નોંધણી માટે ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા લાગો નક્કી કરાયો છે. જે મુજબ રાજાધિરાજના સવારના વસ્ત્રો માટે રૂપિયા 5000 અને સાંજના વસ્ત્રો માટે રૂપિયા 2500 નક્કી કર્યા છે.

વસ્ત્રો ધરાવવાની સેવા માટે 3 એપ્રિલથી ઓનલાઈન બુકિંગ શરૂ
વસ્ત્રો ધરાવવાની સેવા માટે 3 એપ્રિલથી ઓનલાઈન બુકિંગ શરૂ (Etv Bharat Gujarat)

મંદિરની વેબસાઈટ પર નોંધણી કરાવી શકાશે: ભાવિકો મંદિરની વેબસાઈટ પર વસ્ત્રો માટે નોંધણી કરાવી શકશે. જે માટે નક્કી કરવામાં આવેલ લાગોની રકમ નોંધણી કરવાના સમયે ચૂકવવાની રહેશે. લાગો ચુકવાયાના સમયને ધ્યાનમાં રાખી વસ્ત્ર નોંધણી ક્રમ નક્કી કરાશે. ધનુર્માસના પ્રારંભથી અંત સુધીના દિવસોની તારીખ અને મંદિર દ્વારા નક્કી કરવામાં આવેલ દિવસોની તારીખ ભાવિકોને આપવામાં આવશે નહીં, તે મુજબનો નિર્ણય કમિટી દ્વારા કરવામાં આવ્યો છે. ભાવિકોએ નોંધણીના નિયમોનું પાલન કરવાનું રહેશે.

ટેમ્પલ કમિટી દ્વારા ઓનલાઈન વસ્ત્રોની નોંધણી સેવા શરૂ
ટેમ્પલ કમિટી દ્વારા ઓનલાઈન વસ્ત્રોની નોંધણી સેવા શરૂ (Etv Bharat Gujarat)

આ પણ વાંચો:

  1. ચૈત્ર નવરાત્રી: માતાના મઢમાં ગરબાની રમઝટ, ઉમેશ બારોટના ગીતો પર ભક્તો ડોલ્યા
  2. સ્વરક્ષણ માટે કચ્છી મહિલાઓએ લીધી તલવારબાજીની તાલીમ, દેશની મહિલાઓને આપ્યો આ સંદેશ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.