ETV Bharat / state

ડૉ. આંબેડકરની 134મી જન્મજયંતિની ઉજવણી, અમદાવાદમાં થશે ભવ્ય મહાનગર યાત્રાનું આયોજન - AMBEDKAR BIRTH ANNIVERSARY

ડૉ. બાબાસાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિ નિમિત્તે, અમદાવાદમાં 43મી મહાનગર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

ડૉ. આંબેડકરની 134મી જન્મજયંતિની ઉજવણી
ડૉ. આંબેડકરની 134મી જન્મજયંતિની ઉજવણી (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : April 13, 2025 at 10:29 AM IST

Updated : April 13, 2025 at 3:19 PM IST

1 Min Read

અમદાવાદ: 14 એપ્રિલે સમગ્ર દેશમાં બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ ઉજવવામાં આવશે. 134 વર્ષ પહેલા ભારતના બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ રામજી આંબેડકરનો જન્મ થયો હતો. જેમણે ભારતનું બંધારણ ઘડ્યું અને દેશને એક નવી સિદ્ધિ તરફ જવા માટે માર્ગ બતાવ્યો. તેમની 134 મી જન્મજયંતી નિમિત્તે અમદાવાદ ખાતે 43 મી મહાનગર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

તમને જણાવી દઈએ કે, આ મહાનગર યાત્રાનું સામૂહિક નગરયાત્રા સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ મહાનગર યાત્રા 14 એપ્રિલ, સોમવારના રોજ બપોરે 3 કલાકે સિદ્ધાર્થનગર, સરસપુરથી પ્રસ્થાન કરશે અને સાંજે 8 કલાકે માયાનગર, સિવિલ હોસ્પિટલ પાછળ, શાહીબાગ ખાતે તેની સમાપન વિધિ થશે.

ગુજરાત કોંગ્રેસ મુખ્ય પ્રવક્તા મનીષ દોશી (Etv Bharat Gujarat)

આ મહાનગર યાત્રામાં કોંગ્રેસ ગુજરાત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, ગુજરાત વિધાનસભાના ઉપનેતા શૈલેષભાઈ પરમાર, ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને ધારાસભ્ય તુષાર ચૌધરી હજાર રહેશે. ઉપરાંત મુકુલ વાસનીક, રામકિશન ઓઝા, લાલજીભાઈ દેસાઈ મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે.

શહેરમાં ભવ્ય મહાનગર યાત્રાનું આયોજન
શહેરમાં ભવ્ય મહાનગર યાત્રાનું આયોજન (Etv Bharat Gujarat)

ડૉ. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિને લઈને ગુજરાત કોંગ્રેસ મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, કે ભારતના બંધારણ અને સંવિધાન બચાવવા માટે એક એક કોંગ્રેસ અડીખમ યોદ્ધાની જેમ ઊભું રહેશે. સમગ્ર દેશમાં સંવિધાન બચવાની જે મુહિમ ચાલી રહી છે તેને કોંગ્રેસ આગળ લઈ જશે.

ભારતના બંધારણ અને તેને લઈને સત્તામાં રહેલી પાર્ટી ભાજપનું કેવું વલણ છે તે વિશે વાત કરતાં મનીષ દોશીએ કહ્યું કે, ભાજપને અચાનક યાદ આવ્યું છે કે બંધારણની વાત કરવી પડશે, લોકોમાં ભ્રમ પેદા કરવા માટે પણ સંવિધાનની વાત કરવી પડશે. તેમણે સત્તામાં રહેલા પાર્ટી ભાજપ તરફ પ્રશ્નો ચીંધતા પૂછ્યું છે કે, શું તમે સંવિધાન મુજબ દેશમાં શાસન ચલાવવા માંગો છો કે નહીં? સંવિધાનના સિદ્ધાંતોનું તને સન્માન કરો છો કે નહીં? ઉપરાંત બંધારણને અરબી સમુદ્રમાં ફેંકી દેવાના મોહન ભાગવતજીના વિચારો સાથે ભાજપ સહમત છે કે નહીં તેનો ભાજપ જાહેરમાં ખુલાસો કરે.

આ પણ વાંચો:

  1. નેશનલ હેરાલ્ડ મામલોઃ EDની મોટી કાર્યવાહી, સંપત્તિ જપ્ત કરવાની પ્રક્રિયા શરૂ, જાણો શું છે સંપૂર્ણ મામલો
  2. કથાકાર ચંદ્રગોવિંદ દાસનું વિવાદાસ્પદ પ્રવચન,બંધારણ અને મહિલાઓ વિશે આપેલા નિવેદન બાદ માગી માફી

અમદાવાદ: 14 એપ્રિલે સમગ્ર દેશમાં બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ ઉજવવામાં આવશે. 134 વર્ષ પહેલા ભારતના બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ રામજી આંબેડકરનો જન્મ થયો હતો. જેમણે ભારતનું બંધારણ ઘડ્યું અને દેશને એક નવી સિદ્ધિ તરફ જવા માટે માર્ગ બતાવ્યો. તેમની 134 મી જન્મજયંતી નિમિત્તે અમદાવાદ ખાતે 43 મી મહાનગર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

તમને જણાવી દઈએ કે, આ મહાનગર યાત્રાનું સામૂહિક નગરયાત્રા સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ મહાનગર યાત્રા 14 એપ્રિલ, સોમવારના રોજ બપોરે 3 કલાકે સિદ્ધાર્થનગર, સરસપુરથી પ્રસ્થાન કરશે અને સાંજે 8 કલાકે માયાનગર, સિવિલ હોસ્પિટલ પાછળ, શાહીબાગ ખાતે તેની સમાપન વિધિ થશે.

ગુજરાત કોંગ્રેસ મુખ્ય પ્રવક્તા મનીષ દોશી (Etv Bharat Gujarat)

આ મહાનગર યાત્રામાં કોંગ્રેસ ગુજરાત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, ગુજરાત વિધાનસભાના ઉપનેતા શૈલેષભાઈ પરમાર, ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને ધારાસભ્ય તુષાર ચૌધરી હજાર રહેશે. ઉપરાંત મુકુલ વાસનીક, રામકિશન ઓઝા, લાલજીભાઈ દેસાઈ મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે.

શહેરમાં ભવ્ય મહાનગર યાત્રાનું આયોજન
શહેરમાં ભવ્ય મહાનગર યાત્રાનું આયોજન (Etv Bharat Gujarat)

ડૉ. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિને લઈને ગુજરાત કોંગ્રેસ મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, કે ભારતના બંધારણ અને સંવિધાન બચાવવા માટે એક એક કોંગ્રેસ અડીખમ યોદ્ધાની જેમ ઊભું રહેશે. સમગ્ર દેશમાં સંવિધાન બચવાની જે મુહિમ ચાલી રહી છે તેને કોંગ્રેસ આગળ લઈ જશે.

ભારતના બંધારણ અને તેને લઈને સત્તામાં રહેલી પાર્ટી ભાજપનું કેવું વલણ છે તે વિશે વાત કરતાં મનીષ દોશીએ કહ્યું કે, ભાજપને અચાનક યાદ આવ્યું છે કે બંધારણની વાત કરવી પડશે, લોકોમાં ભ્રમ પેદા કરવા માટે પણ સંવિધાનની વાત કરવી પડશે. તેમણે સત્તામાં રહેલા પાર્ટી ભાજપ તરફ પ્રશ્નો ચીંધતા પૂછ્યું છે કે, શું તમે સંવિધાન મુજબ દેશમાં શાસન ચલાવવા માંગો છો કે નહીં? સંવિધાનના સિદ્ધાંતોનું તને સન્માન કરો છો કે નહીં? ઉપરાંત બંધારણને અરબી સમુદ્રમાં ફેંકી દેવાના મોહન ભાગવતજીના વિચારો સાથે ભાજપ સહમત છે કે નહીં તેનો ભાજપ જાહેરમાં ખુલાસો કરે.

આ પણ વાંચો:

  1. નેશનલ હેરાલ્ડ મામલોઃ EDની મોટી કાર્યવાહી, સંપત્તિ જપ્ત કરવાની પ્રક્રિયા શરૂ, જાણો શું છે સંપૂર્ણ મામલો
  2. કથાકાર ચંદ્રગોવિંદ દાસનું વિવાદાસ્પદ પ્રવચન,બંધારણ અને મહિલાઓ વિશે આપેલા નિવેદન બાદ માગી માફી
Last Updated : April 13, 2025 at 3:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.