ETV Bharat / state

કથાકાર મોરારિ બાપુના ધર્મપત્નીનું 79 વર્ષની વયે નિધન : કૈલાશવાડીમાં અપાઈ સમાધિ - MORARI BAPU WIFE PASSES AWAY

કથાકાર મોરારિ બાપુના પત્નીએ 79 વયે નિધન થયું છે. તેમના પાર્થિવ દેહને કૈલાશવાડીમાં સમાધિ અપાઈ હતી

કથાકાર મોરારિ બાપુના ધર્મ પત્નીનું નિધન
કથાકાર મોરારિ બાપુના ધર્મ પત્નીનું નિધન (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : June 11, 2025 at 1:03 PM IST

Updated : June 11, 2025 at 7:01 PM IST

1 Min Read

ભાવનગર: મહુવાના તલગાજરડાના કથાકાર પૂજ્ય મોરારિ બાપુના ધર્મ પત્ની નર્મદા બાનું નિધન થયું છે. તલગાજરડા ગામ સ્વયંભૂ સંપૂર્ણ બંધ રહેવા પામ્યું છે. નર્મદા બાના નિધન બાદ તેમને સમાધિ આપવામાં આવી હતી. આ સમયે સમગ્ર પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.

મોરારિ બાપુના ધર્મ પત્નીનું નિધન થતાં જ તલગાજરડા ખાતે સ્વયંભૂ બંધ પાળવામાં આવ્યો હતો. તો મહુવા શહેર અને તાલુકામાં પણ શોકનું મોજું પ્રસરી ગયું છે. મોરારિ બાપુના સમર્થકો અને તેમના પરિવારજનો નર્મદા બાના અવસાન પર શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યાં છે.

તલગાજરડાની કૈલાશવાડીમાં અપાઈ સમાધિ
તલગાજરડાની કૈલાશવાડીમાં અપાઈ સમાધિ (Etv Bharat Gujarat)

કૈલાસવાડીમાં અપાઈ સમાધિ

કથાકાર મોરારિ બાપુના પત્ની નર્મદા બાનું પિયર વણાટ ગામ હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. સવારે 9.00 કલાકે નર્મદા બાને કૈલાસ વાડી ખાતે સમાધિ આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. નર્મદા બાના નિધનને પગલે પૂજ્ય મોરારિ બાપુના ભક્તોમાં શોકનું મોજું પ્રસરી ગયું છે.

મોરારિ બાપુના ધર્મ પત્ની નર્મદાબાનું 79 વયે નિધન
મોરારિ બાપુના ધર્મ પત્ની નર્મદાબાનું 79 વયે નિધન (Etv Bharat Gujarat)

ઉલ્લેખનીય છે કે, મોરારિ બાપુને સંતાનમાં એક દીકરો અને ત્રણ દીકરી હોવાનું જાણવા મળ્યું છે. જો કે મોરારિ બાપુ તલગાજરડા ઉપસ્થિત હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. તલગાજરડાના સ્થાનિકે જણાવ્યું હતું કે સમાધિ સમયે સમગ્ર પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.

મોરારિ બાપુનો પરિવાર
મોરારિ બાપુનો પરિવાર (Etv Bharat Gujarat)

મોરારિ બાપુનું આખું નામ મોરારિદાસ પ્રભુદાસ હરિયાણવી છે. તેમની માતાનું નામ સાવિત્રી બેન અને પિતાનું નામ પ્રભુદાસ બાપુ હરિયાણવી છે. તેઓ લોકોમાં મોરારિ બાપુ તરીકે પ્રખ્યાત છે. મોરારિ બાપુનો જન્મ 2 માર્ચ 1946 હિંદુ કેલેન્ડર મુજબ મહા શિવરાત્રીના રોજ ગુજરાતના ભાવનગર જિલ્લાના તલગાજરડા ગામમાં પ્રભુદાસ હરિયાણી અને સાવિત્રીબેન હરિયાણીને ત્યાં છ ભાઈઓ અને બે બહેનોના પરિવારમાં થયો હતો. મોરારિ બાપુ દેશ-વિદેશમાં રામકથાનું આયોજન કરે છે.

  1. HMPV વાયરસ અંગે બોલ્યા મોરારી બાપુઃ 'હવે નવું જંતુ આવ્યું છે, હાથ ના મિલાવવા'
  2. રાજકોટ મધ્યસ્થ જેલની મુલાકાતે આવ્યા મોરારી બાપુ, જેલમાં બનેલા ભોજનની ભિક્ષા માંગી

ભાવનગર: મહુવાના તલગાજરડાના કથાકાર પૂજ્ય મોરારિ બાપુના ધર્મ પત્ની નર્મદા બાનું નિધન થયું છે. તલગાજરડા ગામ સ્વયંભૂ સંપૂર્ણ બંધ રહેવા પામ્યું છે. નર્મદા બાના નિધન બાદ તેમને સમાધિ આપવામાં આવી હતી. આ સમયે સમગ્ર પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.

મોરારિ બાપુના ધર્મ પત્નીનું નિધન થતાં જ તલગાજરડા ખાતે સ્વયંભૂ બંધ પાળવામાં આવ્યો હતો. તો મહુવા શહેર અને તાલુકામાં પણ શોકનું મોજું પ્રસરી ગયું છે. મોરારિ બાપુના સમર્થકો અને તેમના પરિવારજનો નર્મદા બાના અવસાન પર શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યાં છે.

તલગાજરડાની કૈલાશવાડીમાં અપાઈ સમાધિ
તલગાજરડાની કૈલાશવાડીમાં અપાઈ સમાધિ (Etv Bharat Gujarat)

કૈલાસવાડીમાં અપાઈ સમાધિ

કથાકાર મોરારિ બાપુના પત્ની નર્મદા બાનું પિયર વણાટ ગામ હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. સવારે 9.00 કલાકે નર્મદા બાને કૈલાસ વાડી ખાતે સમાધિ આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. નર્મદા બાના નિધનને પગલે પૂજ્ય મોરારિ બાપુના ભક્તોમાં શોકનું મોજું પ્રસરી ગયું છે.

મોરારિ બાપુના ધર્મ પત્ની નર્મદાબાનું 79 વયે નિધન
મોરારિ બાપુના ધર્મ પત્ની નર્મદાબાનું 79 વયે નિધન (Etv Bharat Gujarat)

ઉલ્લેખનીય છે કે, મોરારિ બાપુને સંતાનમાં એક દીકરો અને ત્રણ દીકરી હોવાનું જાણવા મળ્યું છે. જો કે મોરારિ બાપુ તલગાજરડા ઉપસ્થિત હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. તલગાજરડાના સ્થાનિકે જણાવ્યું હતું કે સમાધિ સમયે સમગ્ર પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.

મોરારિ બાપુનો પરિવાર
મોરારિ બાપુનો પરિવાર (Etv Bharat Gujarat)

મોરારિ બાપુનું આખું નામ મોરારિદાસ પ્રભુદાસ હરિયાણવી છે. તેમની માતાનું નામ સાવિત્રી બેન અને પિતાનું નામ પ્રભુદાસ બાપુ હરિયાણવી છે. તેઓ લોકોમાં મોરારિ બાપુ તરીકે પ્રખ્યાત છે. મોરારિ બાપુનો જન્મ 2 માર્ચ 1946 હિંદુ કેલેન્ડર મુજબ મહા શિવરાત્રીના રોજ ગુજરાતના ભાવનગર જિલ્લાના તલગાજરડા ગામમાં પ્રભુદાસ હરિયાણી અને સાવિત્રીબેન હરિયાણીને ત્યાં છ ભાઈઓ અને બે બહેનોના પરિવારમાં થયો હતો. મોરારિ બાપુ દેશ-વિદેશમાં રામકથાનું આયોજન કરે છે.

  1. HMPV વાયરસ અંગે બોલ્યા મોરારી બાપુઃ 'હવે નવું જંતુ આવ્યું છે, હાથ ના મિલાવવા'
  2. રાજકોટ મધ્યસ્થ જેલની મુલાકાતે આવ્યા મોરારી બાપુ, જેલમાં બનેલા ભોજનની ભિક્ષા માંગી
Last Updated : June 11, 2025 at 7:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.