નર્મદા: સામાન્ય રીતે ઉનાળાની ગરમીમાં પ્રવાસીઓ હિલ સ્ટેશનનો અને ઠંડા પ્રદેશો પર જવાનું ઇચ્છતા હોય છે, ત્યારે નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા જિલ્લામાં કોઈ પણ સીઝન હોય પ્રવાસીઓ માટે બધી સીઝન માટે અનુકૂળ જગ્યાઓ છે. જ્યાં પ્રવાસીઓ પોતાનું વેકેશન મનોરંજન મેળવે છે.
ગરુડેશ્વર ગામના શકવા ગામે આવેલ વનવગડો આમ તો રિસોર્ટ જેવો લાગશે. જંગલ વિસ્તારમાં અંતરિયાળ હોય જ્યાં એક લાખ કરતા વધુ વૃક્ષો લીલાછમ હોય અહીંયા, અન્ય જગ્યા કરતા 15 થી 20 ડિગ્રી તાપમાન ઓછું જ જોવા મળશે.
કુદરતી વાતવરણ પણ એટલું સુંદર કે, અહીંયાથી બહાર જવાનું મન ના થાય અને રાત્રે તો ઠંડી હવા એવી આવે કે એસી પંખાની પણ જરૂર ના પડે, આ વનવગડો કોઈ ઉંચાઈ પર નથી પણ ફૂલ ઝાડ થી એટલું સુંદર વિકાસ કર્યો છે કે, હિલ સ્ટેશનનો અહેસાસ કરાવે છે.
આ પણ વાંચો: