ETV Bharat / state

અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, અમદાવાદમાં રોગચાળો અને કોરોનાની શું સ્થિતિ છે જાણો - AHEMDABAD EPIDEMIC

અમદાવાદ શહેરમાં મચ્છરોના બ્રેડિંગ શોધવા તંત્ર દ્વારા વિવિધ એકમોમાં ચેકિંગ કરવામાં આવશે.

શહેરમાં 589 કેસ એક્ટિવ છે
શહેરમાં 589 કેસ એક્ટિવ છે (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : June 21, 2025 at 10:51 AM IST

1 Min Read

અમદાવાદ : ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે. અમદાવાદ શહેરમાં ચોમાસાની શરૂઆત થતાં જ સામાન્ય રીતે રોકચાળો વધવાની ઘટનાઓ સામે આવે છે. અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 39 કેસ નોંધાયા છે. અને બીજી તરફ રોગચાળો વધવાની શરૂઆત થઈ છે. જાડા ઉલટીના 410 કેસો પણ નોંધાયા છે.

હેલ્થ ઓફિસરે જણાવ્યું : અમદાવાદ શહેરમાં કોરોના કેસમાં ઘટાડો થયો છે. આ અંગે હેલ્થ ઓફિસર ડોક્ટર ભાવિન સોલંકી એ જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં 39 કેસ નોંધાયા છે. શહેરમાં એક્ટિવ કેસની વાત કરવામાં આવે તો 589 કેસ એક્ટિવ છે.

અમદાવાદમાં ચોમાસાની શરૂઆત થતાં રોગચાળો વકર્યો, (Etv Bharat Gujarat)

કોરોના ઉપરાંત અન્ય રોગચાળાની વાત કરવામાં આવે તો આ મહિનામાં એકથી ચૌદ તારીખ દરમિયાન ઝાડા ઉલટી - ૪૧૦, કમળો - ૧૨૧, ટાઈફોઈડ - ૨૦૫, કોલેરા - ૯, ડેન્ગ્યુ - ૮ અને મલેરિયાના ૧૭ કેસ નોંધાયા છે.

હેલ્થ કમિટીની બેઠકમાં રોગચાળા મુદે ચર્ચા : અમદાવાદ મહાનગરપાલિકાની હેલ્થ કમિટીની બેઠકમાં રોગચાળા મુદે ચર્ચા કરવામાં આવી હતી. ચોમાસાની સિઝન થાય ત્યારે મચ્છરોની ઉત્પતિ વધે છે. રોગચાળો વધે છે.

હેલ્થ ઓફિસરે રોગચાળાની માહિતી આપી
હેલ્થ ઓફિસરે રોગચાળાની માહિતી આપી (Etv Bharat Gujarat)

હેલ્થ ઓફિસર ભાવિન સોલંકી એ જણાવ્યું કે, રોગચાળો વકરે નહીં તે માટે શહેરમાં મોટા પાયે ફોગિંગ કરવા સૂચના આપવામાં આવી છે. મચ્છરોના બ્રેડિંગ શોધવા તંત્ર દ્વારા વિવિધ એકમોમાં ચેકિંગ કરવામાં આવશે. જ્યાં પણ મચ્છરોનું બ્રેડિંગ હોય તો નાગરિકો એ 155 303 પર ફરિયાદ કરવાની રહેશે. મહાનગરપાલિકા પાસે 200 જેટલા ફોગીન મશીન છે. ચોમાસામાં વધુ ફોગિંગની જરૂરિયાત રહેતી હોવાથી મહાનગરપાલિકા દ્વારા બીજા 200 જેટલા ફોગિંગ મશીન ભાડે લેવામાં આવ્યા છે.

આ પણ વાંચો :

  1. દિવાળી બાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીમચ્છરજન્ય-પાણીજન્ય રોગચાળો વકર્યો :
  2. જામનગરમાં વધ્યો રોગચાળો, જીજી હોસ્પિટલમાં દર્દીઓની લાગી લાંબી લાંબી લાઈનો...

અમદાવાદ : ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે. અમદાવાદ શહેરમાં ચોમાસાની શરૂઆત થતાં જ સામાન્ય રીતે રોકચાળો વધવાની ઘટનાઓ સામે આવે છે. અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 39 કેસ નોંધાયા છે. અને બીજી તરફ રોગચાળો વધવાની શરૂઆત થઈ છે. જાડા ઉલટીના 410 કેસો પણ નોંધાયા છે.

હેલ્થ ઓફિસરે જણાવ્યું : અમદાવાદ શહેરમાં કોરોના કેસમાં ઘટાડો થયો છે. આ અંગે હેલ્થ ઓફિસર ડોક્ટર ભાવિન સોલંકી એ જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં 39 કેસ નોંધાયા છે. શહેરમાં એક્ટિવ કેસની વાત કરવામાં આવે તો 589 કેસ એક્ટિવ છે.

અમદાવાદમાં ચોમાસાની શરૂઆત થતાં રોગચાળો વકર્યો, (Etv Bharat Gujarat)

કોરોના ઉપરાંત અન્ય રોગચાળાની વાત કરવામાં આવે તો આ મહિનામાં એકથી ચૌદ તારીખ દરમિયાન ઝાડા ઉલટી - ૪૧૦, કમળો - ૧૨૧, ટાઈફોઈડ - ૨૦૫, કોલેરા - ૯, ડેન્ગ્યુ - ૮ અને મલેરિયાના ૧૭ કેસ નોંધાયા છે.

હેલ્થ કમિટીની બેઠકમાં રોગચાળા મુદે ચર્ચા : અમદાવાદ મહાનગરપાલિકાની હેલ્થ કમિટીની બેઠકમાં રોગચાળા મુદે ચર્ચા કરવામાં આવી હતી. ચોમાસાની સિઝન થાય ત્યારે મચ્છરોની ઉત્પતિ વધે છે. રોગચાળો વધે છે.

હેલ્થ ઓફિસરે રોગચાળાની માહિતી આપી
હેલ્થ ઓફિસરે રોગચાળાની માહિતી આપી (Etv Bharat Gujarat)

હેલ્થ ઓફિસર ભાવિન સોલંકી એ જણાવ્યું કે, રોગચાળો વકરે નહીં તે માટે શહેરમાં મોટા પાયે ફોગિંગ કરવા સૂચના આપવામાં આવી છે. મચ્છરોના બ્રેડિંગ શોધવા તંત્ર દ્વારા વિવિધ એકમોમાં ચેકિંગ કરવામાં આવશે. જ્યાં પણ મચ્છરોનું બ્રેડિંગ હોય તો નાગરિકો એ 155 303 પર ફરિયાદ કરવાની રહેશે. મહાનગરપાલિકા પાસે 200 જેટલા ફોગીન મશીન છે. ચોમાસામાં વધુ ફોગિંગની જરૂરિયાત રહેતી હોવાથી મહાનગરપાલિકા દ્વારા બીજા 200 જેટલા ફોગિંગ મશીન ભાડે લેવામાં આવ્યા છે.

આ પણ વાંચો :

  1. દિવાળી બાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીમચ્છરજન્ય-પાણીજન્ય રોગચાળો વકર્યો :
  2. જામનગરમાં વધ્યો રોગચાળો, જીજી હોસ્પિટલમાં દર્દીઓની લાગી લાંબી લાંબી લાઈનો...
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.