ETV Bharat / state

જાંબુડાથી લઈને જોડિયા સુધી 10 થી વધુ બ્રિજ જર્જરિત હાલતમાં: તંત્ર મોટી દુર્ઘટનાની રાહમાં? - BRIDGES IN DILAPIDATED CONDITION

RND વિભાગના અધિકારી સાથે વાત કરતા ગોળ ગોળ જવાબો સામે આવ્યા

જાંબુડાથી લઈને જોડિયા સુધી 10 થી વધુ બ્રિજ જર્જરિત હાલતમાં
જાંબુડાથી લઈને જોડિયા સુધી 10 થી વધુ બ્રિજ જર્જરિત હાલતમાં (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : April 24, 2025 at 10:02 PM IST

2 Min Read

જામનગરઃ જામનગર જિલ્લાના જોડીયા તાલુકામાં પુલ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે. જાંબુડાથી લઈને જોડિયા સુધી 10 થી વધુ બ્રિજ જર્જરિત હાલતમાં હોવાનું સામે આવ્યું છે. આ અંગે RND વિભાગના અધિકારી સાથે વાત કરતા ગોળ ગોળ જવાબો સામે આવ્યા હતા. હાલતો તમામ બ્રિજોને 30 વર્ષ જેટલો સમય થઈ ગયો હોવા છતાં કોઈ પણ પ્રકારનું સમારકામ કરવામાં આવ્યું નથી.

જામનગરથી જોડીયા જવાના રસ્તે તમામ પુલો જર્જરિત હાલતમાં છે. જેમાં પુલની નીચેની બાજુ ગાબડાં પાડયા છે અને સળિયા પણ દેખાય છે. તેમ છતાં તંત્ર દ્વારા અહીं એક વાર પણ સમાર કામ કરવામાં આવ્યું નથી. અહિયાંથી દરરોજ 20 હજારથી વધુ લોકો અવર-જ્વર કરે છે. આ પુલની ચોમાસામાં હાલત દયનિય હોય છે. મોટા વાહનો જયારે પુલ પરથી પસાર થાય ત્યારે લોકોને એમ થાય કે પુલ હમણાં જ તૂટી જશે. ચોમાસા દરમિયાન પુલ નીચેથી જયારે પાણી પસાર થતું હોય ત્યારે લોકોને આ પુલ ઉપરથી અવર-જ્વર બંધ કરવામાં આવે છે. અને આ પુલની લોખંડની ગ્રીલ જર્જરિત છે.

જાંબુડાથી લઈને જોડિયા સુધી 10 થી વધુ બ્રિજ જર્જરિત હાલતમાં (Etv Bharat Gujarat)

જામનગરથી કચ્છ જવા માટે જાંબુડા થઈને જોડિયાથી કંડલાને જોડતો સ્ટેટ્સ હાઇવે આવેલો છે. આ રોડ હાલ માત્ર 6 મીટર પહોળો છે. અહીં દારોજ મોટી સંખ્યામા ભારે વાહનો અને ગ્રામજનો પસાર થાય છે. ધ્રોલ પાસે સોયલ ટોલનાકુ હોવાથી ભારે વાહનલ જોડિયા-જાંબુડાના સ્ટેટ હાઇવેથી પસાર થાય છે. એક તો રોડ નાનો, ઉપરથી ભારે વાહનની અવરજ્વરને કારણે અવાર નવાર અહીં અકસ્માત સર્જાય છે. બીજી બાજુ આ રોડ પર આવેલા નાના-મોટા તમામ પૂલ હાલ જર્જરિત હાલતમા છે.

જામનગર જિલ્લાના આર એન ડી વિભાગના અધિકારી સાથે આ મામલે પ્રશ્નો કર્યા હતા. જેના જવાબમા ખુદ અધિકારીએ સ્વીકાર્યું કે આ રોડ પર અનેક નાના-મોટાભાઈ પૂલ જર્જરિત છે. બીજું રોડ અને પૂલના કામ માટે વન વિભાગની મંજૂરી લેવી પડે છે. હાલ મંજૂરી મળી ગઈ છે બસ હવે સરકારમાંથી મંજૂરી લેવાની બાકી છે. જો મંજૂરી મળી જશે તો બે વર્ષમા કામ શરુ થઈ જશે.

રાજ્યમાं દિવસેને દિવસે અકસ્માતનું પ્રમાણ વધી રહ્યું છે. અકસ્માત પાછળ ઊંડાણ પૂર્વક તપાસ કરીએ તો ક્યાંકને ક્યાંક જર્જરિત પૂલ અથવા જર્જરિત રસ્તો પણ એટલો જ જવાબદાર હોઈ શકે છે. અધિકારીઓ માત્ર નામ પૂરતી કામગીરી કરે છે અને મંજૂરી નથી મળી અથવા ટેન્ડર કર્યા છે એવી વાતો કરે છે. પરંતુ હકીકતમાં અહીંથી પસાર થતા લોકો માથે કાળ ફરી રહ્યો હોઈ તેમ ગામે તે ઘડીએ મોટો અકસ્માત સર્જાય તેવી શકતાઓ રહેલી છે.

  1. પહેલગામ આતંકી હુમલો: મૃતકોની આત્માની શાંતિ માટે સોમનાથ મંદિરમાં શાંતિ-પાઠનું આયોજન
  2. જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલા બાદ અંબાજી મંદિરમાં બોમ્બ સ્ક્વૉડ-ડૉગ સ્ક્વૉડ દ્વારા સઘન ચેકીંગ

જામનગરઃ જામનગર જિલ્લાના જોડીયા તાલુકામાં પુલ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે. જાંબુડાથી લઈને જોડિયા સુધી 10 થી વધુ બ્રિજ જર્જરિત હાલતમાં હોવાનું સામે આવ્યું છે. આ અંગે RND વિભાગના અધિકારી સાથે વાત કરતા ગોળ ગોળ જવાબો સામે આવ્યા હતા. હાલતો તમામ બ્રિજોને 30 વર્ષ જેટલો સમય થઈ ગયો હોવા છતાં કોઈ પણ પ્રકારનું સમારકામ કરવામાં આવ્યું નથી.

જામનગરથી જોડીયા જવાના રસ્તે તમામ પુલો જર્જરિત હાલતમાં છે. જેમાં પુલની નીચેની બાજુ ગાબડાં પાડયા છે અને સળિયા પણ દેખાય છે. તેમ છતાં તંત્ર દ્વારા અહીं એક વાર પણ સમાર કામ કરવામાં આવ્યું નથી. અહિયાંથી દરરોજ 20 હજારથી વધુ લોકો અવર-જ્વર કરે છે. આ પુલની ચોમાસામાં હાલત દયનિય હોય છે. મોટા વાહનો જયારે પુલ પરથી પસાર થાય ત્યારે લોકોને એમ થાય કે પુલ હમણાં જ તૂટી જશે. ચોમાસા દરમિયાન પુલ નીચેથી જયારે પાણી પસાર થતું હોય ત્યારે લોકોને આ પુલ ઉપરથી અવર-જ્વર બંધ કરવામાં આવે છે. અને આ પુલની લોખંડની ગ્રીલ જર્જરિત છે.

જાંબુડાથી લઈને જોડિયા સુધી 10 થી વધુ બ્રિજ જર્જરિત હાલતમાં (Etv Bharat Gujarat)

જામનગરથી કચ્છ જવા માટે જાંબુડા થઈને જોડિયાથી કંડલાને જોડતો સ્ટેટ્સ હાઇવે આવેલો છે. આ રોડ હાલ માત્ર 6 મીટર પહોળો છે. અહીં દારોજ મોટી સંખ્યામા ભારે વાહનો અને ગ્રામજનો પસાર થાય છે. ધ્રોલ પાસે સોયલ ટોલનાકુ હોવાથી ભારે વાહનલ જોડિયા-જાંબુડાના સ્ટેટ હાઇવેથી પસાર થાય છે. એક તો રોડ નાનો, ઉપરથી ભારે વાહનની અવરજ્વરને કારણે અવાર નવાર અહીં અકસ્માત સર્જાય છે. બીજી બાજુ આ રોડ પર આવેલા નાના-મોટા તમામ પૂલ હાલ જર્જરિત હાલતમા છે.

જામનગર જિલ્લાના આર એન ડી વિભાગના અધિકારી સાથે આ મામલે પ્રશ્નો કર્યા હતા. જેના જવાબમા ખુદ અધિકારીએ સ્વીકાર્યું કે આ રોડ પર અનેક નાના-મોટાભાઈ પૂલ જર્જરિત છે. બીજું રોડ અને પૂલના કામ માટે વન વિભાગની મંજૂરી લેવી પડે છે. હાલ મંજૂરી મળી ગઈ છે બસ હવે સરકારમાંથી મંજૂરી લેવાની બાકી છે. જો મંજૂરી મળી જશે તો બે વર્ષમા કામ શરુ થઈ જશે.

રાજ્યમાं દિવસેને દિવસે અકસ્માતનું પ્રમાણ વધી રહ્યું છે. અકસ્માત પાછળ ઊંડાણ પૂર્વક તપાસ કરીએ તો ક્યાંકને ક્યાંક જર્જરિત પૂલ અથવા જર્જરિત રસ્તો પણ એટલો જ જવાબદાર હોઈ શકે છે. અધિકારીઓ માત્ર નામ પૂરતી કામગીરી કરે છે અને મંજૂરી નથી મળી અથવા ટેન્ડર કર્યા છે એવી વાતો કરે છે. પરંતુ હકીકતમાં અહીંથી પસાર થતા લોકો માથે કાળ ફરી રહ્યો હોઈ તેમ ગામે તે ઘડીએ મોટો અકસ્માત સર્જાય તેવી શકતાઓ રહેલી છે.

  1. પહેલગામ આતંકી હુમલો: મૃતકોની આત્માની શાંતિ માટે સોમનાથ મંદિરમાં શાંતિ-પાઠનું આયોજન
  2. જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલા બાદ અંબાજી મંદિરમાં બોમ્બ સ્ક્વૉડ-ડૉગ સ્ક્વૉડ દ્વારા સઘન ચેકીંગ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.