ETV Bharat / state

અહો આશ્ચર્યમ ! માધાપરની મહિલાઓનો અદ્ભુત વિચાર, કીડીઓ માટે નાળિયેરમાં પૂર્યું કીડિયારું - FOOD FOR ANIMALS

માધાપરના મહિલાઓ દ્વારા અનોખી રીતે નાળિયેરમાં 7 ધાનનો ઉપયોગ કરી કીડિયારું બનાવવામાં આવ્યું છે. અન્ય પશુ-પક્ષી માટે પણ ભોજનની વ્યવસ્થા કરે છે.

તમે ક્યારેય આવું કીડિયારું જોયું છે?
તમે ક્યારેય આવું કીડિયારું જોયું છે? (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : April 11, 2025 at 1:32 PM IST

2 Min Read

કચ્છ: હિન્દુ શાસ્ત્રોમાં કીડિયારું પૂરવાનો અનેરો મહિમા રહેલો છે. ઘરમાં રહેલા સૌથી સૂક્ષ્મ જીવ એટલે કે, કીડી તેનું પણ ખૂબ જ મહત્વ રહેલું છે. ત્યારે કીડીઓ ખાઈ શકે તે માટે કીડીયારુ બનાવવાની કામગીરી માધાપરના સેવાભાવી મહિલાઓ દ્વારા કરવામાં આવે છે. સામાન્ય રીતે કોઈ ધાનને કરકરો પીસીને લોકો કીડિયારું પૂરતા હોય છે પરંતુ આ મહિલાઓ દ્વારા નાળિયેરની અંદર કાણું કરી અનોખી રીતે કીડિયારું પૂરવામાં આવે છે.

કીડી પાર્ટી! નાળિયેર સ્ટાઈલ: ચૈત્ર માસમાં કીડીઓને ખોરાક આપવાથી દુઃખ અને ગરીબી દૂર થાય છે. આ મહિનો કીડીયારું પૂરવાનું અને કીડીઓ માટે ખોરાક ભેગો કરવાનો છે. આ સમયગાળા દરમિયાન ઝાડ પાસે પોચી માટીમાં કીડીયારું પૂરવું એ એક પુણ્યનું કાર્ય છે.ત્યારે માધાપર ગામની મહિલાઓ દ્વારા નાળિયેરની અંદર કાણું કરીને કીડિયારું પૂરવામાં આવી રહ્યું છે.

માધાપરની મહિલાઓનો અદ્ભુત વિચાર (Etv Bharat Gujarat)

નાળિયેરમાં 7 ધાનનો ઉપયોગ: આ કીડીયારામાં 7 ધાનનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં ઘઉંનો લોટ, બાજરીનો લોટ, અડદ,તલ અને ઘી તેમજ સાકરનો ઉપયોગ કરવામાં આવે છે.આ ઉપરાંત તેમાં સાકર અને ઘી પણ ઉમેરવામાં આવી રહ્યું છે.આ બધાનું મિશ્રણ કરીને છોલેલા નાળિયેરની અંદર કાણા કરીને મિશ્રણ મૂકીને તેના પર ગોળ ચોળવામાં આવે છે .ત્યારબાદ જુદી જુદી જગ્યાએ આ કીડિયારું ભરેલું નાળિયેર મૂકવામાં આવે છે. કીડીઓની સાથે સાથે ગાય અને કૂતરાઓ માટે પણ બહેનો દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.

માધાપરની મહિલાઓનો અદ્ભુત વિચાર
માધાપરની મહિલાઓનો અદ્ભુત વિચાર (Etv Bharat Gujarat)
નાળિયેરમાં કીડીઓ માટે ભોજન
નાળિયેરમાં કીડીઓ માટે ભોજન (Etv Bharat Gujarat)

દર 15-20 દિવસે પશુ, પક્ષીઓ-જીવજંતુઓ માટે કાર્ય: નારી શક્તિ મહિલા મંડળના તુષારીબેન વેકરિયાના પ્રેરણાથી આ સેવા કાર્ય કરવામાં આવી રહ્યું છે.હાલમાં મહિલાઓ દ્વારા 105 નાળિયેર તૈયાર કરવામાં આવ્યા છે આ અગાઉ 251 જેટલા નાળિયેર તૈયાર કરવામાં આવ્યા હતા. દર 15 - 20 દિવસે પશુ પક્ષીઓ તેમજ જીવજંતુઓ માટે આ પ્રકારના સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યા છે.

માધાપરની મહિલાઓનો અદ્ભુત વિચાર
માધાપરની મહિલાઓનો અદ્ભુત વિચાર (Etv Bharat Gujarat)
નાળિયેરમાં કીડીઓ માટે ભોજન
નાળિયેરમાં કીડીઓ માટે ભોજન (Etv Bharat Gujarat)

ગાય અને કૂતરા માટે ભોજનની વ્યવસ્થા: છેલ્લા 15 વર્ષથી આ પ્રકારની જીવદયા પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે.ઉલ્લેખનીય છે કે ચૈત્ર મહિનામાં કીડિયારું પૂરવાનો પણ અનેરો મહત્વ રહેલું છે.આ સિવાય કૂતરાઓને શીરો, રોટલો તેમજ ખીચડી મળી રહે તેના માટે પણ મહિલાઓ પ્રયત્નશીલ રહે છે.આ સેવાકીય પ્રવૃત્તિઓમાં મહિલાઓ પોતાની યથા શક્તિ મુજબ આર્થિક સહયોગ પણ આપી રહી છે.આમ 25 જેટલી મહિલાઓ દ્વારા કીડીઓ, ગાય અને કૂતરા માટે ભોજનની વ્યવસ્થા કરીને પુણ્યનું કામ કરવામાં આવી રહ્યું છે.

નાળિયેરમાં કીડીઓ માટે ભોજન
નાળિયેરમાં કીડીઓ માટે ભોજન (Etv Bharat Gujarat)
નાળિયેરમાં કીડીઓ માટે ભોજન
નાળિયેરમાં કીડીઓ માટે ભોજન (Etv Bharat Gujarat)

આ પણ વાંચો:

  1. મનુષ્ય અને પક્ષીની અનોખી મૈત્રી, કેમ દરરોજ સાંજે હિતેશભાઈની વાટ જોવે છે આ મોર ?
  2. ઉનાળામાં પાલતુ પ્રાણીઓ કેમ બને છે "હુમલાખોર"? જાણો કેવી રીતે લેશો પેટ્સની કાળજી

કચ્છ: હિન્દુ શાસ્ત્રોમાં કીડિયારું પૂરવાનો અનેરો મહિમા રહેલો છે. ઘરમાં રહેલા સૌથી સૂક્ષ્મ જીવ એટલે કે, કીડી તેનું પણ ખૂબ જ મહત્વ રહેલું છે. ત્યારે કીડીઓ ખાઈ શકે તે માટે કીડીયારુ બનાવવાની કામગીરી માધાપરના સેવાભાવી મહિલાઓ દ્વારા કરવામાં આવે છે. સામાન્ય રીતે કોઈ ધાનને કરકરો પીસીને લોકો કીડિયારું પૂરતા હોય છે પરંતુ આ મહિલાઓ દ્વારા નાળિયેરની અંદર કાણું કરી અનોખી રીતે કીડિયારું પૂરવામાં આવે છે.

કીડી પાર્ટી! નાળિયેર સ્ટાઈલ: ચૈત્ર માસમાં કીડીઓને ખોરાક આપવાથી દુઃખ અને ગરીબી દૂર થાય છે. આ મહિનો કીડીયારું પૂરવાનું અને કીડીઓ માટે ખોરાક ભેગો કરવાનો છે. આ સમયગાળા દરમિયાન ઝાડ પાસે પોચી માટીમાં કીડીયારું પૂરવું એ એક પુણ્યનું કાર્ય છે.ત્યારે માધાપર ગામની મહિલાઓ દ્વારા નાળિયેરની અંદર કાણું કરીને કીડિયારું પૂરવામાં આવી રહ્યું છે.

માધાપરની મહિલાઓનો અદ્ભુત વિચાર (Etv Bharat Gujarat)

નાળિયેરમાં 7 ધાનનો ઉપયોગ: આ કીડીયારામાં 7 ધાનનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં ઘઉંનો લોટ, બાજરીનો લોટ, અડદ,તલ અને ઘી તેમજ સાકરનો ઉપયોગ કરવામાં આવે છે.આ ઉપરાંત તેમાં સાકર અને ઘી પણ ઉમેરવામાં આવી રહ્યું છે.આ બધાનું મિશ્રણ કરીને છોલેલા નાળિયેરની અંદર કાણા કરીને મિશ્રણ મૂકીને તેના પર ગોળ ચોળવામાં આવે છે .ત્યારબાદ જુદી જુદી જગ્યાએ આ કીડિયારું ભરેલું નાળિયેર મૂકવામાં આવે છે. કીડીઓની સાથે સાથે ગાય અને કૂતરાઓ માટે પણ બહેનો દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.

માધાપરની મહિલાઓનો અદ્ભુત વિચાર
માધાપરની મહિલાઓનો અદ્ભુત વિચાર (Etv Bharat Gujarat)
નાળિયેરમાં કીડીઓ માટે ભોજન
નાળિયેરમાં કીડીઓ માટે ભોજન (Etv Bharat Gujarat)

દર 15-20 દિવસે પશુ, પક્ષીઓ-જીવજંતુઓ માટે કાર્ય: નારી શક્તિ મહિલા મંડળના તુષારીબેન વેકરિયાના પ્રેરણાથી આ સેવા કાર્ય કરવામાં આવી રહ્યું છે.હાલમાં મહિલાઓ દ્વારા 105 નાળિયેર તૈયાર કરવામાં આવ્યા છે આ અગાઉ 251 જેટલા નાળિયેર તૈયાર કરવામાં આવ્યા હતા. દર 15 - 20 દિવસે પશુ પક્ષીઓ તેમજ જીવજંતુઓ માટે આ પ્રકારના સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યા છે.

માધાપરની મહિલાઓનો અદ્ભુત વિચાર
માધાપરની મહિલાઓનો અદ્ભુત વિચાર (Etv Bharat Gujarat)
નાળિયેરમાં કીડીઓ માટે ભોજન
નાળિયેરમાં કીડીઓ માટે ભોજન (Etv Bharat Gujarat)

ગાય અને કૂતરા માટે ભોજનની વ્યવસ્થા: છેલ્લા 15 વર્ષથી આ પ્રકારની જીવદયા પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે.ઉલ્લેખનીય છે કે ચૈત્ર મહિનામાં કીડિયારું પૂરવાનો પણ અનેરો મહત્વ રહેલું છે.આ સિવાય કૂતરાઓને શીરો, રોટલો તેમજ ખીચડી મળી રહે તેના માટે પણ મહિલાઓ પ્રયત્નશીલ રહે છે.આ સેવાકીય પ્રવૃત્તિઓમાં મહિલાઓ પોતાની યથા શક્તિ મુજબ આર્થિક સહયોગ પણ આપી રહી છે.આમ 25 જેટલી મહિલાઓ દ્વારા કીડીઓ, ગાય અને કૂતરા માટે ભોજનની વ્યવસ્થા કરીને પુણ્યનું કામ કરવામાં આવી રહ્યું છે.

નાળિયેરમાં કીડીઓ માટે ભોજન
નાળિયેરમાં કીડીઓ માટે ભોજન (Etv Bharat Gujarat)
નાળિયેરમાં કીડીઓ માટે ભોજન
નાળિયેરમાં કીડીઓ માટે ભોજન (Etv Bharat Gujarat)

આ પણ વાંચો:

  1. મનુષ્ય અને પક્ષીની અનોખી મૈત્રી, કેમ દરરોજ સાંજે હિતેશભાઈની વાટ જોવે છે આ મોર ?
  2. ઉનાળામાં પાલતુ પ્રાણીઓ કેમ બને છે "હુમલાખોર"? જાણો કેવી રીતે લેશો પેટ્સની કાળજી
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.