ETV Bharat / state

ચૈત્ર નવરાત્રીનું સાતમું નોરતું: આશાપુરા માતાના મઢમાં હોમ હવનની ધાર્મિક વિધિ સાથે બીડું હોમાયું - CHAITRA NAVRATRI 2025

બીડું હોમવામાં આવ્યું ત્યારે ઉપસ્થિત માઈ ભક્તોએ ઢોલ શરણાઈના સૂર સાથે આશાપુરા માતાજીનો જય જયકાર કરી વાતાવરણ ધર્મમય બનાવ્યું હતું.

ચૈત્ર નવરાત્રીનું સાતમું નોરતું
ચૈત્ર નવરાત્રીનું સાતમું નોરતું (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : April 5, 2025 at 9:37 AM IST

Updated : April 5, 2025 at 10:00 AM IST

1 Min Read

કચ્છ: જિલ્લાની કુળદેવી મા આશાપુરા માતાના મઢ ખાતે ચૈત્રી નવરાત્રિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો અને પૂજા વિધિ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે માતાના મઢમાં સાતમા નોરતે હોમ હવનની ધાર્મિક વિધિ સાથે બીડું હોમાયું હતું. અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત માઈ ભક્તોએ જયજયકાર કર્યો હતો.

ચૈત્રી નવરાત્રી પર્વના સાતમા નોરતે હોમ હવનની ધાર્મિક વિધિ યોજાઈ: કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ દેશ દેવી મા આશાપુરા માતાજીના સ્થાનક માતાના મઢ ખાતે ચૈત્રી નવરાત્રી પર્વના શુક્રવારે સાતમા નોરતે રાત્રે 10 કલાકે જગદંબા પૂજન સાથે હોમ હવનની ધાર્મિક વિધિ યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

આશાપુરા માતાજીના જય જયકાર સાથે વાતાવરણ ધર્મમય બનાવ્યું (Etv Bharat Gujarat)

જાગીર અધ્યક્ષ યોગેન્દ્રસિંહજી રાજાબાવાના હસ્તે બીડું હોમાયું: સ્થાનિક ભરતભાઈ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, મંદિર પરિસરમાં યજ્ઞશાળા ખાતે હવનની ધાર્મિક વિધિ આચાર્ય શાસ્ત્રી દેવકૃષ્ણ મૂલશંકર વાસુ તેમજ ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર અને જગદંબા પૂજન સાથે કરાવી હતી. મોડી રાતે મઢ જાગીર અધ્યક્ષ યોગેન્દ્રસિંહજી રાજાબાવાના હસ્તે બીડું હોમવામાં આવ્યું ત્યારે ઉપસ્થિત માઈ ભક્તોએ ઢોલ શરણાઈના સૂર સાથે આશાપુરા માતાજીનો જય જયકાર કરી વાતાવરણ ધર્મમય બનાવ્યું હતું.

આશાપુરા માતાના મઢમાં હોમ હવનની ધાર્મિક વિધિ સાથે બીડું હોમાયું
આશાપુરા માતાના મઢમાં હોમ હવનની ધાર્મિક વિધિ સાથે બીડું હોમાયું (Etv Bharat Gujarat)
ચૈત્ર નવરાત્રીનું સાતમું નોરતું
ચૈત્ર નવરાત્રીનું સાતમું નોરતું (Etv Bharat Gujarat)

મોટી સંખ્યામાં માઇ ભક્તો જોડાયા: માતાના મઢ જાગીરના અધ્યક્ષે આશાપુરા માતાજી તેમજ હિંગળાજ માતાજીના મંદિરે માતાજીનું પૂજન અર્ચન સાથે તેમની આરતી ઉતારી હતી. આ પ્રસંગે માતાના મઢ જાગીરના ટ્રસ્ટીઓ ખેંગારજી જાડેજા, વિનોદભાઈ સોલંકી, ચત્રભુજ ભાનુશાલી તેમજ કનૈયાલાલ ભાનુશાલી, મયુરસિંહ જાડેજા, મંદિરના પૂજારી તેમજ ટિલાટ પરિવારના ગજુભા ચૌહાણ,, સિદ્ધરાજસિંહ, ધ્રુવરાજસિંહ સહિત મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.

આશાપુરા માતાના મઢમાં હોમ હવનની ધાર્મિક વિધિ સાથે બીડું હોમાયું
આશાપુરા માતાના મઢમાં હોમ હવનની ધાર્મિક વિધિ સાથે બીડું હોમાયું (Etv Bharat Gujarat)
કુળદેવી મા આશાપુરા માતાના મઢ
કુળદેવી મા આશાપુરા માતાના મઢ (Etv Bharat Gujarat)

આ પણ વાંચો:

  1. માધવપુરના ઐતિહાસિક સ્થળો જે બન્યા હતા કૃષ્ણ અને રૂક્ષ્મણીના વિવાહના સાક્ષી
  2. ડાકોરના ઠાકોરની લીલા ! પ્રભુના સ્પર્શ માત્રથી લીમડામાં એક ડાળ મીઠી બની

કચ્છ: જિલ્લાની કુળદેવી મા આશાપુરા માતાના મઢ ખાતે ચૈત્રી નવરાત્રિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો અને પૂજા વિધિ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે માતાના મઢમાં સાતમા નોરતે હોમ હવનની ધાર્મિક વિધિ સાથે બીડું હોમાયું હતું. અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત માઈ ભક્તોએ જયજયકાર કર્યો હતો.

ચૈત્રી નવરાત્રી પર્વના સાતમા નોરતે હોમ હવનની ધાર્મિક વિધિ યોજાઈ: કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ દેશ દેવી મા આશાપુરા માતાજીના સ્થાનક માતાના મઢ ખાતે ચૈત્રી નવરાત્રી પર્વના શુક્રવારે સાતમા નોરતે રાત્રે 10 કલાકે જગદંબા પૂજન સાથે હોમ હવનની ધાર્મિક વિધિ યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

આશાપુરા માતાજીના જય જયકાર સાથે વાતાવરણ ધર્મમય બનાવ્યું (Etv Bharat Gujarat)

જાગીર અધ્યક્ષ યોગેન્દ્રસિંહજી રાજાબાવાના હસ્તે બીડું હોમાયું: સ્થાનિક ભરતભાઈ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, મંદિર પરિસરમાં યજ્ઞશાળા ખાતે હવનની ધાર્મિક વિધિ આચાર્ય શાસ્ત્રી દેવકૃષ્ણ મૂલશંકર વાસુ તેમજ ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર અને જગદંબા પૂજન સાથે કરાવી હતી. મોડી રાતે મઢ જાગીર અધ્યક્ષ યોગેન્દ્રસિંહજી રાજાબાવાના હસ્તે બીડું હોમવામાં આવ્યું ત્યારે ઉપસ્થિત માઈ ભક્તોએ ઢોલ શરણાઈના સૂર સાથે આશાપુરા માતાજીનો જય જયકાર કરી વાતાવરણ ધર્મમય બનાવ્યું હતું.

આશાપુરા માતાના મઢમાં હોમ હવનની ધાર્મિક વિધિ સાથે બીડું હોમાયું
આશાપુરા માતાના મઢમાં હોમ હવનની ધાર્મિક વિધિ સાથે બીડું હોમાયું (Etv Bharat Gujarat)
ચૈત્ર નવરાત્રીનું સાતમું નોરતું
ચૈત્ર નવરાત્રીનું સાતમું નોરતું (Etv Bharat Gujarat)

મોટી સંખ્યામાં માઇ ભક્તો જોડાયા: માતાના મઢ જાગીરના અધ્યક્ષે આશાપુરા માતાજી તેમજ હિંગળાજ માતાજીના મંદિરે માતાજીનું પૂજન અર્ચન સાથે તેમની આરતી ઉતારી હતી. આ પ્રસંગે માતાના મઢ જાગીરના ટ્રસ્ટીઓ ખેંગારજી જાડેજા, વિનોદભાઈ સોલંકી, ચત્રભુજ ભાનુશાલી તેમજ કનૈયાલાલ ભાનુશાલી, મયુરસિંહ જાડેજા, મંદિરના પૂજારી તેમજ ટિલાટ પરિવારના ગજુભા ચૌહાણ,, સિદ્ધરાજસિંહ, ધ્રુવરાજસિંહ સહિત મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.

આશાપુરા માતાના મઢમાં હોમ હવનની ધાર્મિક વિધિ સાથે બીડું હોમાયું
આશાપુરા માતાના મઢમાં હોમ હવનની ધાર્મિક વિધિ સાથે બીડું હોમાયું (Etv Bharat Gujarat)
કુળદેવી મા આશાપુરા માતાના મઢ
કુળદેવી મા આશાપુરા માતાના મઢ (Etv Bharat Gujarat)

આ પણ વાંચો:

  1. માધવપુરના ઐતિહાસિક સ્થળો જે બન્યા હતા કૃષ્ણ અને રૂક્ષ્મણીના વિવાહના સાક્ષી
  2. ડાકોરના ઠાકોરની લીલા ! પ્રભુના સ્પર્શ માત્રથી લીમડામાં એક ડાળ મીઠી બની
Last Updated : April 5, 2025 at 10:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.