ETV Bharat / state

ચૈત્રી એકાદશીએ દામોદર કુંડમાં ઉમટ્યું માનવ મહેરામણ, આસ્થાની ડૂબકી લગાવીને પિતૃઓને કર્યા તર્પણ - CHAITRI EKADASHI

ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીને ધાર્મિક રીતે ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. ચૈત્ર મહિનાને પિતૃઓના મહિના તરીકે પણ ઓળખવામાં આવે છે.

દામોદર કુંડમાં ભક્તોએ લગાવી આસ્થાની ડુબકી
દામોદર કુંડમાં ભક્તોએ લગાવી આસ્થાની ડુબકી (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : April 24, 2025 at 10:37 PM IST

2 Min Read

જૂનાગઢ: આજે ચૈત્રી એકાદશી ચૈત્ર મહિનો પિતૃઓને સમર્પિત માનવામાં આવે છે. ત્યારે ગિરનાર તળેટીમાં આવેલા પવિત્ર દામોદર કુંડમાં ભાવિકોએ આસ્થાની ડૂબકી લગાવીને તેમના પિતૃઓનું તર્પણ કર્યું હતું. ચૈત્ર મહિનામાં ધાર્મિક સ્થાનો પર સ્નાનનું પણ આટલું જ મહત્વ છે. સાથે સાથે આજે વૈષ્ણવ સંપ્રદાયના મહાપ્રભુજીનો પ્રાગટ્ય મહોત્સવ હોવાને કારણે પણ લોકોએ પવિત્ર કુંડમાં સ્નાન કરીને ચૈત્રી એકાદશીની ઉજવણી કરી હતી.

દામોદર કુંડમાં ભક્તોએ લગાવી આસ્થાની ડુબકી (ETV Bharat Gujarat)

આજે ચૈત્રી એકાદશી ભાવિકોએ લગાવી આસ્થાની ડુબકી
ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીને ધાર્મિક રીતે ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. ચૈત્ર મહિનાને પિતૃઓના મહિના તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારે કૃષ્ણ પક્ષના અજવાળીયામાં આવતી આ એકાદશીએ પવિત્ર તીર્થસ્થાનો, સરોવરો, તળાવો અને નદીમાં સ્નાન કરવાનું ખૂબ જ ધાર્મિક મહત્વ છે. આજે ચૈત્રી નવરાત્રીના દિવસે ગિરનાર તળેટીમાં આવેલા પવિત્ર દામોદર કુંડમાં ભાવિકોએ આસ્થાની ડુબકી લગાવીને તેમના પિતૃઓનું તર્પણ કર્યું હતું. ચૈત્ર મહિનાના અજવાળી આ પક્ષના 11 દિવસ ખૂબ જ મહત્વના હોય છે. આ દિવસો દરમિયાન કરવામાં આવેલા ધાર્મિક કાર્યોથી સુખ-સમૃદ્ધિ અને આરોગ્યની સાથે કોઈપણ પરિવારની સમૃદ્ધિમાં વધારો થતો હોય છે. જેથી પણ કૃષ્ણ પક્ષના અજવાડિયામાં આવતી ચૈત્રી એકાદશીને ધાર્મિક રીતે પણ મહત્વની માનવામાં આવી છે.

દામોદર કુંડમાં ભક્તોએ લગાવી આસ્થાની ડુબકી
દામોદર કુંડમાં ભક્તોએ લગાવી આસ્થાની ડુબકી (ETV Bharat Gujarat)

ચૈત્રી એકાદશી એ ઉપવાસનું પણ મહત્વ
ચૈત્ર મહિનાની એકાદશી ઉપવાસનું પણ ખૂબ જ મહત્વ જોવા મળે છે. સનાતન ધર્મના ગ્રંથોમાં ઉલ્લેખ થયા મુજબ ચૈત્ર મહિનાની અજવાળી એકાદશીના દિવસે સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધી ઉપવાસ કરવાની પણ એક પરંપરા છે. વધુમાં કેટલાક ગ્રંથોમાં ચૈત્ર મહિનાની એકાદશીના દિવસે યોગ અને ધ્યાન કરવાની સાથે પોતાના ઈષ્ટદેવની સાથે પ્રાર્થના કરવાનું પણ આટલું જ મહત્વ છે. ચૈત્રી એકાદશીએ ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી પણ ખૂબ જ સારું ધાર્મિક પુણ્ય પ્રાપ્ત થતું હોય છે.

દામોદર કુંડમાં ભક્તોએ લગાવી આસ્થાની ડુબકી
દામોદર કુંડમાં ભક્તોએ લગાવી આસ્થાની ડુબકી (ETV Bharat Gujarat)

ચૈત્રી એકાદશી નો પ્રસંગ રાજા હરિશ્ચંદ્ર સાથે પણ જોડાયેલો
ચૈત્રી નવરાત્રી એકાદશીનો પ્રસંગ રાજા હરિશ્ચંદ્ર સાથે જોડાયેલો જોવા મળે છે. આજની એકાદશી એ સતયુગમાં રાજા હરિશ્ચંદ્ર દ્વારા ભગવાન વિષ્ણુ સમક્ષ પ્રાર્થના કરવામાં આવી હતી કે તેઓ સત્યના માર્ગ પર ચાલશે અને લોકોનું કલ્યાણ થાય તે દિશામાં તેઓ સતત કામ કરશે તેવી તેમને શક્તિ પ્રદાન થાય તેવા આશીર્વાદ ભગવાન વિષ્ણુ પાસેથી રાજા હરિશ્ચંદ્રએ પ્રાપ્ત કર્યા હતા. જેને કારણે પણ આજની એકાદશી રાજા હરિશ્ચંદ્ર સાથે પણ જોડીને જોવામાં આવે છે.

દામોદર કુંડમાં ભક્તોએ લગાવી આસ્થાની ડુબકી
દામોદર કુંડમાં ભક્તોએ લગાવી આસ્થાની ડુબકી (ETV Bharat Gujarat)

આ પણ વાંચો:

  1. પહેલગામ આતંકી હુમલો: મૃતકોની આત્માની શાંતિ માટે સોમનાથ મંદિરમાં શાંતિ-પાઠનું આયોજન
  2. 27 વર્ષ બાદ શનિનું પોતાના નક્ષત્રમાં ગોચર, આ 3 રાશિના જાતકોનું ભાગ્ય ખુલશે, બનશે ધનલાભ-સફળતાનો યોગ

જૂનાગઢ: આજે ચૈત્રી એકાદશી ચૈત્ર મહિનો પિતૃઓને સમર્પિત માનવામાં આવે છે. ત્યારે ગિરનાર તળેટીમાં આવેલા પવિત્ર દામોદર કુંડમાં ભાવિકોએ આસ્થાની ડૂબકી લગાવીને તેમના પિતૃઓનું તર્પણ કર્યું હતું. ચૈત્ર મહિનામાં ધાર્મિક સ્થાનો પર સ્નાનનું પણ આટલું જ મહત્વ છે. સાથે સાથે આજે વૈષ્ણવ સંપ્રદાયના મહાપ્રભુજીનો પ્રાગટ્ય મહોત્સવ હોવાને કારણે પણ લોકોએ પવિત્ર કુંડમાં સ્નાન કરીને ચૈત્રી એકાદશીની ઉજવણી કરી હતી.

દામોદર કુંડમાં ભક્તોએ લગાવી આસ્થાની ડુબકી (ETV Bharat Gujarat)

આજે ચૈત્રી એકાદશી ભાવિકોએ લગાવી આસ્થાની ડુબકી
ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીને ધાર્મિક રીતે ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. ચૈત્ર મહિનાને પિતૃઓના મહિના તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારે કૃષ્ણ પક્ષના અજવાળીયામાં આવતી આ એકાદશીએ પવિત્ર તીર્થસ્થાનો, સરોવરો, તળાવો અને નદીમાં સ્નાન કરવાનું ખૂબ જ ધાર્મિક મહત્વ છે. આજે ચૈત્રી નવરાત્રીના દિવસે ગિરનાર તળેટીમાં આવેલા પવિત્ર દામોદર કુંડમાં ભાવિકોએ આસ્થાની ડુબકી લગાવીને તેમના પિતૃઓનું તર્પણ કર્યું હતું. ચૈત્ર મહિનાના અજવાળી આ પક્ષના 11 દિવસ ખૂબ જ મહત્વના હોય છે. આ દિવસો દરમિયાન કરવામાં આવેલા ધાર્મિક કાર્યોથી સુખ-સમૃદ્ધિ અને આરોગ્યની સાથે કોઈપણ પરિવારની સમૃદ્ધિમાં વધારો થતો હોય છે. જેથી પણ કૃષ્ણ પક્ષના અજવાડિયામાં આવતી ચૈત્રી એકાદશીને ધાર્મિક રીતે પણ મહત્વની માનવામાં આવી છે.

દામોદર કુંડમાં ભક્તોએ લગાવી આસ્થાની ડુબકી
દામોદર કુંડમાં ભક્તોએ લગાવી આસ્થાની ડુબકી (ETV Bharat Gujarat)

ચૈત્રી એકાદશી એ ઉપવાસનું પણ મહત્વ
ચૈત્ર મહિનાની એકાદશી ઉપવાસનું પણ ખૂબ જ મહત્વ જોવા મળે છે. સનાતન ધર્મના ગ્રંથોમાં ઉલ્લેખ થયા મુજબ ચૈત્ર મહિનાની અજવાળી એકાદશીના દિવસે સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધી ઉપવાસ કરવાની પણ એક પરંપરા છે. વધુમાં કેટલાક ગ્રંથોમાં ચૈત્ર મહિનાની એકાદશીના દિવસે યોગ અને ધ્યાન કરવાની સાથે પોતાના ઈષ્ટદેવની સાથે પ્રાર્થના કરવાનું પણ આટલું જ મહત્વ છે. ચૈત્રી એકાદશીએ ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી પણ ખૂબ જ સારું ધાર્મિક પુણ્ય પ્રાપ્ત થતું હોય છે.

દામોદર કુંડમાં ભક્તોએ લગાવી આસ્થાની ડુબકી
દામોદર કુંડમાં ભક્તોએ લગાવી આસ્થાની ડુબકી (ETV Bharat Gujarat)

ચૈત્રી એકાદશી નો પ્રસંગ રાજા હરિશ્ચંદ્ર સાથે પણ જોડાયેલો
ચૈત્રી નવરાત્રી એકાદશીનો પ્રસંગ રાજા હરિશ્ચંદ્ર સાથે જોડાયેલો જોવા મળે છે. આજની એકાદશી એ સતયુગમાં રાજા હરિશ્ચંદ્ર દ્વારા ભગવાન વિષ્ણુ સમક્ષ પ્રાર્થના કરવામાં આવી હતી કે તેઓ સત્યના માર્ગ પર ચાલશે અને લોકોનું કલ્યાણ થાય તે દિશામાં તેઓ સતત કામ કરશે તેવી તેમને શક્તિ પ્રદાન થાય તેવા આશીર્વાદ ભગવાન વિષ્ણુ પાસેથી રાજા હરિશ્ચંદ્રએ પ્રાપ્ત કર્યા હતા. જેને કારણે પણ આજની એકાદશી રાજા હરિશ્ચંદ્ર સાથે પણ જોડીને જોવામાં આવે છે.

દામોદર કુંડમાં ભક્તોએ લગાવી આસ્થાની ડુબકી
દામોદર કુંડમાં ભક્તોએ લગાવી આસ્થાની ડુબકી (ETV Bharat Gujarat)

આ પણ વાંચો:

  1. પહેલગામ આતંકી હુમલો: મૃતકોની આત્માની શાંતિ માટે સોમનાથ મંદિરમાં શાંતિ-પાઠનું આયોજન
  2. 27 વર્ષ બાદ શનિનું પોતાના નક્ષત્રમાં ગોચર, આ 3 રાશિના જાતકોનું ભાગ્ય ખુલશે, બનશે ધનલાભ-સફળતાનો યોગ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.