ETV Bharat / state

ભાવનગરમાં પારો 40 ઉપર જતા લૂનું પ્રમાણ વધ્યું: સ્વાસ્થ્યને લઈને શું કરવું જોઈએ? જાણો - HEATWAVE HEALTH UPDATES

ચાલુ વર્ષે ઉનાળાની એન્ટ્રી આકરી દેખાઈ રહી છે. એપ્રિલ શરૂ થતાં તાપમાનનો પારો 40 ઉપર પહોંચ્યો છે...

ભાવનગરમાં પારો 40 ઉપર જતા લૂનું પ્રમાણ વધ્યું
ભાવનગરમાં પારો 40 ઉપર જતા લૂનું પ્રમાણ વધ્યું (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : April 3, 2025 at 4:18 PM IST

2 Min Read

ચિરાગ ત્રિવેદી.ભાવનગરઃ ચાલુ વર્ષે ઉનાળાની એન્ટ્રી આકરી દેખાઈ રહી છે. એપ્રિલ શરૂ થતાં તાપમાનનો પારો 40 ઉપર પોહચ્યો છે. રસ્તા પર લૂ લાગી રહી છે ત્યારે ગરમીમાં શરીરને સાચવવું જરૂરી બને છે. ડિહાઇડ્રેશનથી બચવા માટે આરોગ્ય અધિકારીએ ઉપાયો દર્શાવ્યા છે.

ભાવનગર શહેરમાં છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો ઊંચકાઈ ગયો છે. બપોરના 12 કલાકથી 4 કલાક દરમિયાન વાહન લઈને બહાર નીકળો એટલે લૂનો સામનો કરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આકરી ગરમીની શરૂઆત વચ્ચે શરીરને લઈને કાળજી રાખવી અતી હિતાવહ બની જાય છે, ત્યારે ભાવનગર શહેરમાં વધેલા તાપમાનના પારા વચ્ચે શરીરને લઈને કેવી કાળજી રાખવી અને શું આરોગવું જોઈએ તેને લઈને મહાનગરપાલિકાના તબીબ અને આરોગ્ય અધિકારી પાસેથી જાણવાની કોશિશ કરી હતી. ચાલો જાણીએ...

સ્વાસ્થ્યને લઈને શું કરવું જોઈએ? જાણો (Etv Bharat Gujarat)

તાપમાનનો પારો ઊંચકાતા સાવચેતીમાં પાણી

ભાવનગર શહેરમાં છેલ્લા બે દિવસમાં તાપમાનનો પારો 41 થી 42 ડિગ્રી આસપાસ રહેવા પામ્યો છે. બપોરે 12 કલાકથી 4 કલાક વચ્ચે વાહન લઇને નીકળો તો ભારે લૂનો સામનો કરવો પડી રહ્યો છે. આ સ્થિતિમાં મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડો આર કે સિન્હાએ જણાવ્યું હતું કે આપણા ભાવનગરમાં છેલ્લા બે દિવસથી ગરમી પડી રહી છે અને ટેમ્પરેચર 40 ડિગ્રી ઉપર ગયું છે. ત્યારે ખાસ કરીને આવી ગરમી પડે તો 12 થી 4ના સમયમાં બહાર નીકળવાનું ટાળવું જોઈએ. જરૂરી હોય તો છાયડા નીચે ચાલવુ હિતાવહ હોય છે. આ સાથે માથા ઉપર રૂમાલ રાખો કે ટુવાલ રાખવો, ટોપી પહેરવી, છત્રી રાખવી... વગેરે કે જેનાથી સન લાઈટ સીધી માથા ઉપર આવે નહીં. આ સમયમાં પાણીનો પીવાનું વધુ રાખવું, લીંબુ પાણી પણ પીવું જોઈએ. તે શરીરને એનર્જી આપે છે. બહારના ખોરાકને લઈને સાવચેતી રાખવી જોઈએ. લારી ગલ્લા કે અસ્વચ્છતા હોય ત્યાં જે તે આરોગવામાં ચેતવું જોઈએ.

તરબૂચ શેરડી રસમાં સાવચેતી જરૂરી

ભાવનગર મહાનગરપાલિકાના આખલોલ આરોગ્ય કેન્દ્રના ડૉ. રણજીત પરમારે જણાવ્યું હતું કે, અત્યારે બેવડી ઋતુ ચાલે છે દિવસે અતિ ગરમી અને રાત્રે ઠંડીનો માહોલ જોવા મળે છે. જો કે ગરમીમાં હળવા કપડાં પહેરવા જોઈએ અને તડકામાં બહાર નીકળવાનું ટાળવું જોઈએ. તડકામાં ડિહાઇડ્રેશન થતું હોય એટલે પાણી વધુ પ્રમાણમાં પીવું જોઈએ. આ સાથે ઘર બનાવટના લીંબુ પાણી કે પ્રવાહી પીવા જોઈએ. હાલના સમયમાં તરબૂચે આરોગી શકાય છે પણ વધારે પ્રમાણમાં ના લેવાય કારણ કે હજુ શરૂઆત છે. જેના કારણે કુદરતી રીતે પાકેલા ન હોય તો અવળી અસર થાય અને ઝાડા ઉલટી થઈ શકે છે, તે જ રીતે શેરડીના રસમાં પણ અનાનસ અને બરફ નાખીને આરોગવામાં આવે છે પરંતુ હાલમાં ગરમીની શરૂઆત હોય ત્યારે તેમાં પણ સાવચેતી જરૂરી બને છે, નહીં તો ઝાડા ઉલટી થઈ શકે છે. બને ત્યાં સુધી ઘરેથી જ પાણી કે લીંબુ પાણી કે સાદું પાણી કે પ્રવાહી લેવાનો આગ્રહ રાખવો જોઈએ.

શહેરમાં બે અઠવાડિયા ઝાડા ઉલ્ટીના કેસો

ભાવનગર શહેરમાં મહાનગરપાલિકા અંતર્ગત કુલ 14 જેટલા આરોગ્ય કેન્દ્ર આવેલા છે ત્યારે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી ડૉ. વિજય કાપડિયાએ ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ અઠવાડિયામાં ઝાડા ઉલટીના આંકડાઓ જોઈએ તો ગયા વીકમાં 176 તેની પહેલા 183 અને તેની પહેલા 150 જેટલા કેસો નોંધાયેલા છે. જો કે હજુ ગરમીની શરૂઆત છે ત્યારે ઝાડા ઉલટીને પગલે સાવચેતી જરૂર બની જાય છે.

  1. દ્વારકાધીશ વિશે ટિપ્પણી મુદ્દે છેડાયું "ધર્મયુદ્ધ", મોગલ ધામના મહંત મણીધર બાપુ ઉપવાસ બેઠા
  2. રાજકોટ ફાઇનાન્સ કંપનીમાં ફ્રોડ: કર્મચારીઓએ લોન ધારકો સાથે મળીને આચર્યું 4 કરોડનું કૌભાંડ

ચિરાગ ત્રિવેદી.ભાવનગરઃ ચાલુ વર્ષે ઉનાળાની એન્ટ્રી આકરી દેખાઈ રહી છે. એપ્રિલ શરૂ થતાં તાપમાનનો પારો 40 ઉપર પોહચ્યો છે. રસ્તા પર લૂ લાગી રહી છે ત્યારે ગરમીમાં શરીરને સાચવવું જરૂરી બને છે. ડિહાઇડ્રેશનથી બચવા માટે આરોગ્ય અધિકારીએ ઉપાયો દર્શાવ્યા છે.

ભાવનગર શહેરમાં છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો ઊંચકાઈ ગયો છે. બપોરના 12 કલાકથી 4 કલાક દરમિયાન વાહન લઈને બહાર નીકળો એટલે લૂનો સામનો કરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આકરી ગરમીની શરૂઆત વચ્ચે શરીરને લઈને કાળજી રાખવી અતી હિતાવહ બની જાય છે, ત્યારે ભાવનગર શહેરમાં વધેલા તાપમાનના પારા વચ્ચે શરીરને લઈને કેવી કાળજી રાખવી અને શું આરોગવું જોઈએ તેને લઈને મહાનગરપાલિકાના તબીબ અને આરોગ્ય અધિકારી પાસેથી જાણવાની કોશિશ કરી હતી. ચાલો જાણીએ...

સ્વાસ્થ્યને લઈને શું કરવું જોઈએ? જાણો (Etv Bharat Gujarat)

તાપમાનનો પારો ઊંચકાતા સાવચેતીમાં પાણી

ભાવનગર શહેરમાં છેલ્લા બે દિવસમાં તાપમાનનો પારો 41 થી 42 ડિગ્રી આસપાસ રહેવા પામ્યો છે. બપોરે 12 કલાકથી 4 કલાક વચ્ચે વાહન લઇને નીકળો તો ભારે લૂનો સામનો કરવો પડી રહ્યો છે. આ સ્થિતિમાં મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડો આર કે સિન્હાએ જણાવ્યું હતું કે આપણા ભાવનગરમાં છેલ્લા બે દિવસથી ગરમી પડી રહી છે અને ટેમ્પરેચર 40 ડિગ્રી ઉપર ગયું છે. ત્યારે ખાસ કરીને આવી ગરમી પડે તો 12 થી 4ના સમયમાં બહાર નીકળવાનું ટાળવું જોઈએ. જરૂરી હોય તો છાયડા નીચે ચાલવુ હિતાવહ હોય છે. આ સાથે માથા ઉપર રૂમાલ રાખો કે ટુવાલ રાખવો, ટોપી પહેરવી, છત્રી રાખવી... વગેરે કે જેનાથી સન લાઈટ સીધી માથા ઉપર આવે નહીં. આ સમયમાં પાણીનો પીવાનું વધુ રાખવું, લીંબુ પાણી પણ પીવું જોઈએ. તે શરીરને એનર્જી આપે છે. બહારના ખોરાકને લઈને સાવચેતી રાખવી જોઈએ. લારી ગલ્લા કે અસ્વચ્છતા હોય ત્યાં જે તે આરોગવામાં ચેતવું જોઈએ.

તરબૂચ શેરડી રસમાં સાવચેતી જરૂરી

ભાવનગર મહાનગરપાલિકાના આખલોલ આરોગ્ય કેન્દ્રના ડૉ. રણજીત પરમારે જણાવ્યું હતું કે, અત્યારે બેવડી ઋતુ ચાલે છે દિવસે અતિ ગરમી અને રાત્રે ઠંડીનો માહોલ જોવા મળે છે. જો કે ગરમીમાં હળવા કપડાં પહેરવા જોઈએ અને તડકામાં બહાર નીકળવાનું ટાળવું જોઈએ. તડકામાં ડિહાઇડ્રેશન થતું હોય એટલે પાણી વધુ પ્રમાણમાં પીવું જોઈએ. આ સાથે ઘર બનાવટના લીંબુ પાણી કે પ્રવાહી પીવા જોઈએ. હાલના સમયમાં તરબૂચે આરોગી શકાય છે પણ વધારે પ્રમાણમાં ના લેવાય કારણ કે હજુ શરૂઆત છે. જેના કારણે કુદરતી રીતે પાકેલા ન હોય તો અવળી અસર થાય અને ઝાડા ઉલટી થઈ શકે છે, તે જ રીતે શેરડીના રસમાં પણ અનાનસ અને બરફ નાખીને આરોગવામાં આવે છે પરંતુ હાલમાં ગરમીની શરૂઆત હોય ત્યારે તેમાં પણ સાવચેતી જરૂરી બને છે, નહીં તો ઝાડા ઉલટી થઈ શકે છે. બને ત્યાં સુધી ઘરેથી જ પાણી કે લીંબુ પાણી કે સાદું પાણી કે પ્રવાહી લેવાનો આગ્રહ રાખવો જોઈએ.

શહેરમાં બે અઠવાડિયા ઝાડા ઉલ્ટીના કેસો

ભાવનગર શહેરમાં મહાનગરપાલિકા અંતર્ગત કુલ 14 જેટલા આરોગ્ય કેન્દ્ર આવેલા છે ત્યારે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી ડૉ. વિજય કાપડિયાએ ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ અઠવાડિયામાં ઝાડા ઉલટીના આંકડાઓ જોઈએ તો ગયા વીકમાં 176 તેની પહેલા 183 અને તેની પહેલા 150 જેટલા કેસો નોંધાયેલા છે. જો કે હજુ ગરમીની શરૂઆત છે ત્યારે ઝાડા ઉલટીને પગલે સાવચેતી જરૂર બની જાય છે.

  1. દ્વારકાધીશ વિશે ટિપ્પણી મુદ્દે છેડાયું "ધર્મયુદ્ધ", મોગલ ધામના મહંત મણીધર બાપુ ઉપવાસ બેઠા
  2. રાજકોટ ફાઇનાન્સ કંપનીમાં ફ્રોડ: કર્મચારીઓએ લોન ધારકો સાથે મળીને આચર્યું 4 કરોડનું કૌભાંડ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.