ETV Bharat / state

જૂનાગઢમાં ગુડ ફ્રાઇડેની ભાવભીની ઉજવણી, ઈસુ ખ્રિસ્ત પર થયેલી યાતનાનું નાટ્ય રૂપાંતરણ કરાયું - GOOD FRIDAY

જૂનાગઢ ચર્ચ ખાતે ખૂબ મોટી સંખ્યામાં ઈસાઈ સમુદાયના લોકો હાજર રહીને ભગવાનને આપવામાં આવેલ યાતનાઓનું નાટ્ય રૂપાંતર અને નિહાળ્યું હતું.

જૂનાગઢમાં ગુડ ફ્રાઇડેની ભાવભીની ઉજવણી
જૂનાગઢમાં ગુડ ફ્રાઇડેની ભાવભીની ઉજવણી (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : April 18, 2025 at 12:47 PM IST

Updated : April 18, 2025 at 5:07 PM IST

2 Min Read

જૂનાગઢ: આજે ગુડ ફ્રાઈડે છે. ત્યારે ખ્રિસ્તીઓ દ્વારા ભગવાન ઈસુ ખ્રિસ્તને આપવામાં આવેલી યાતનાઓનું નાટ્ય રૂપાંતરણ કરીને જે તે સમયે ભગવાને ભોગવેલી પીડાઓને નજર સમક્ષ નિહાળીને ગુડ ફ્રાઇડેનો તહેવાર મનાવવામાં આવ્યો હતો.

જૂનાગઢ ચર્ચ ખાતે મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમુદાયના લોકોએ ઉપસ્થિત રહીને ભગવાનને આપવામાં આવેલી યાતનાઓ નજર સમક્ષ નિહાળીને પોતે પણ ભગવાનને થયેલ યાતનાઓની અનુભૂતિ સાથે તહેવારની ઉજવણી કરી હતી.

ગુડ ફ્રાઇડે તહેવારની જૂનાગઢમાં ઉજવણી: ખ્રિસ્તી સમુદાય આજે ગુડ ફ્રાઇડેનો તહેવાર મનાવી રહ્યું છે આજથી ચોથી સદીમાં ઘટેલી આ ઘટનાને આજે ૨૧મી સદીમાં ખ્રિસ્તી સમુદાયના લોકો ભગવાન ઈસુ ખ્રિસ્તને જે પ્રકારે યાતનાઓ આપવામાં આવી હતી તેમને જીવતા ક્રોસ પર જડી દેવામાં આવ્યા હતા.

જૂનાગઢમાં ગુડ ફ્રાઇડેની ભાવભીની ઉજવણી (Etv Bharat Gujarat)

આ ઘટનાનું નાટ્ય રૂપાંતર જૂનાગઢના ચર્ચમાં કરીને ખ્રિસ્તી સમુદાય ભગવાન ઈસુ ખ્રિસ્તને આપવામાં આવેલી યાતનાઓ આજે નજર સમક્ષ નિહાળી હતી. તેમજ ભગવાનને થયેલા કષ્ટની અનુભૂતિ સાથે ગુડ ફ્રાઇડેનો તહેવાર મનાવ્યો હતો. જેમાં જૂનાગઢ ચર્ચ ખાતે ખૂબ મોટી સંખ્યામાં ઈશાઈ સમુદાયના લોકો હાજર રહીને ભગવાનને આપવામાં આવેલ યાતનાઓનું નાટ્ય રૂપાંતર અને નિહાળ્યું હતું.

ઈસુ ખ્રિસ્તની યાતનાઓને નાટ્ય રૂપાંતરણ દ્વારા કરાઈ યાદ
ઈસુ ખ્રિસ્તની યાતનાઓને નાટ્ય રૂપાંતરણ દ્વારા કરાઈ યાદ (Etv Bharat Gujarat)

ચોથી સદીમાં ઘટેલી ઘટના: ગુડ ફ્રાઇડેનો તહેવાર ચોથી સદીમાં ઘટેલી ઘટના બાદ ઉજવવામાં આવી રહ્યો છે. આજના દિવસે ઉપવાસની સાથે ખ્રિસ્તી સમાજના લોકો પ્રાર્થના પણ કરતા હોય છે. આજના દિવસે ખ્રિસ્તી સમાજના લોકો ખાસ બાઇબલના વાંચન કરીને સમાજ સેવા સાથે જોડાયેલા કાર્ય કરતા હોય છે. આજના દિવસે ભગવાન ઈસુ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવા માટે ઈશાઈ સમાજના કેટલાક લોકો ઉપવાસ કરવાની સાથે બાઇબલના વાંચન કરીને ધર્મકાર્યમાં જોડાતા હોય છે.

જૂનાગઢમાં ગુડ ફ્રાઇડેની ભાવભીની ઉજવણી
જૂનાગઢમાં ગુડ ફ્રાઇડેની ભાવભીની ઉજવણી (Etv Bharat Gujarat)
ઈસુ ખ્રિસ્તની યાતનાઓને નાટ્ય રૂપાંતરણ દ્વારા કરાઈ યાદ
ઈસુ ખ્રિસ્તની યાતનાઓને નાટ્ય રૂપાંતરણ દ્વારા કરાઈ યાદ (Etv Bharat Gujarat)

ચોથી સદીમાં કેટલાક લોકો દ્વારા ભગવાન ઈસુ ખ્રિસ્તને ખૂબ યાતનાઓ આપી અને જીવતા ક્રોસ પર જડી દીધા હતા, ત્યારબાદ ભગવાન ઈશુનું ક્રોસ પર અવસાન થતાં દર વર્ષે ખ્રિસ્તી સમાજ ગુડ ફ્રાઇડેનો તહેવાર મનાવે છે, જે ભગવાન ઈસુ ખ્રિસ્તની પ્રતિબધ્ધતા અને સમાજ પ્રત્યેની તેમની નિષ્ઠાને વ્યક્ત કરે છે. જેની ઉજવણીમાં જૂનાગઢના ખ્રિસ્તી સમાજ જોડાઈને આજે ગુડ ફ્રાઇડેના તહેવારે ભગવાન ઈસુને યાદ કર્યા હતા.

આ પણ વાંચો:

  1. અમદાવાદ મનપા ખરીદશે "ડીપ ટ્રેકર રોબોટ", જાણો ઊંડા પાણીમાં કેવી રીતે થશે ઉપયોગી...
  2. સુરત પોલીસ મહિલા અધિકારીઓનો અનોખો અંદાજ ! DCP અને PIએ કથ્થક રજૂ કર્યું, દર્શકો થયા મંત્રમુગ્ધ

જૂનાગઢ: આજે ગુડ ફ્રાઈડે છે. ત્યારે ખ્રિસ્તીઓ દ્વારા ભગવાન ઈસુ ખ્રિસ્તને આપવામાં આવેલી યાતનાઓનું નાટ્ય રૂપાંતરણ કરીને જે તે સમયે ભગવાને ભોગવેલી પીડાઓને નજર સમક્ષ નિહાળીને ગુડ ફ્રાઇડેનો તહેવાર મનાવવામાં આવ્યો હતો.

જૂનાગઢ ચર્ચ ખાતે મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમુદાયના લોકોએ ઉપસ્થિત રહીને ભગવાનને આપવામાં આવેલી યાતનાઓ નજર સમક્ષ નિહાળીને પોતે પણ ભગવાનને થયેલ યાતનાઓની અનુભૂતિ સાથે તહેવારની ઉજવણી કરી હતી.

ગુડ ફ્રાઇડે તહેવારની જૂનાગઢમાં ઉજવણી: ખ્રિસ્તી સમુદાય આજે ગુડ ફ્રાઇડેનો તહેવાર મનાવી રહ્યું છે આજથી ચોથી સદીમાં ઘટેલી આ ઘટનાને આજે ૨૧મી સદીમાં ખ્રિસ્તી સમુદાયના લોકો ભગવાન ઈસુ ખ્રિસ્તને જે પ્રકારે યાતનાઓ આપવામાં આવી હતી તેમને જીવતા ક્રોસ પર જડી દેવામાં આવ્યા હતા.

જૂનાગઢમાં ગુડ ફ્રાઇડેની ભાવભીની ઉજવણી (Etv Bharat Gujarat)

આ ઘટનાનું નાટ્ય રૂપાંતર જૂનાગઢના ચર્ચમાં કરીને ખ્રિસ્તી સમુદાય ભગવાન ઈસુ ખ્રિસ્તને આપવામાં આવેલી યાતનાઓ આજે નજર સમક્ષ નિહાળી હતી. તેમજ ભગવાનને થયેલા કષ્ટની અનુભૂતિ સાથે ગુડ ફ્રાઇડેનો તહેવાર મનાવ્યો હતો. જેમાં જૂનાગઢ ચર્ચ ખાતે ખૂબ મોટી સંખ્યામાં ઈશાઈ સમુદાયના લોકો હાજર રહીને ભગવાનને આપવામાં આવેલ યાતનાઓનું નાટ્ય રૂપાંતર અને નિહાળ્યું હતું.

ઈસુ ખ્રિસ્તની યાતનાઓને નાટ્ય રૂપાંતરણ દ્વારા કરાઈ યાદ
ઈસુ ખ્રિસ્તની યાતનાઓને નાટ્ય રૂપાંતરણ દ્વારા કરાઈ યાદ (Etv Bharat Gujarat)

ચોથી સદીમાં ઘટેલી ઘટના: ગુડ ફ્રાઇડેનો તહેવાર ચોથી સદીમાં ઘટેલી ઘટના બાદ ઉજવવામાં આવી રહ્યો છે. આજના દિવસે ઉપવાસની સાથે ખ્રિસ્તી સમાજના લોકો પ્રાર્થના પણ કરતા હોય છે. આજના દિવસે ખ્રિસ્તી સમાજના લોકો ખાસ બાઇબલના વાંચન કરીને સમાજ સેવા સાથે જોડાયેલા કાર્ય કરતા હોય છે. આજના દિવસે ભગવાન ઈસુ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવા માટે ઈશાઈ સમાજના કેટલાક લોકો ઉપવાસ કરવાની સાથે બાઇબલના વાંચન કરીને ધર્મકાર્યમાં જોડાતા હોય છે.

જૂનાગઢમાં ગુડ ફ્રાઇડેની ભાવભીની ઉજવણી
જૂનાગઢમાં ગુડ ફ્રાઇડેની ભાવભીની ઉજવણી (Etv Bharat Gujarat)
ઈસુ ખ્રિસ્તની યાતનાઓને નાટ્ય રૂપાંતરણ દ્વારા કરાઈ યાદ
ઈસુ ખ્રિસ્તની યાતનાઓને નાટ્ય રૂપાંતરણ દ્વારા કરાઈ યાદ (Etv Bharat Gujarat)

ચોથી સદીમાં કેટલાક લોકો દ્વારા ભગવાન ઈસુ ખ્રિસ્તને ખૂબ યાતનાઓ આપી અને જીવતા ક્રોસ પર જડી દીધા હતા, ત્યારબાદ ભગવાન ઈશુનું ક્રોસ પર અવસાન થતાં દર વર્ષે ખ્રિસ્તી સમાજ ગુડ ફ્રાઇડેનો તહેવાર મનાવે છે, જે ભગવાન ઈસુ ખ્રિસ્તની પ્રતિબધ્ધતા અને સમાજ પ્રત્યેની તેમની નિષ્ઠાને વ્યક્ત કરે છે. જેની ઉજવણીમાં જૂનાગઢના ખ્રિસ્તી સમાજ જોડાઈને આજે ગુડ ફ્રાઇડેના તહેવારે ભગવાન ઈસુને યાદ કર્યા હતા.

આ પણ વાંચો:

  1. અમદાવાદ મનપા ખરીદશે "ડીપ ટ્રેકર રોબોટ", જાણો ઊંડા પાણીમાં કેવી રીતે થશે ઉપયોગી...
  2. સુરત પોલીસ મહિલા અધિકારીઓનો અનોખો અંદાજ ! DCP અને PIએ કથ્થક રજૂ કર્યું, દર્શકો થયા મંત્રમુગ્ધ
Last Updated : April 18, 2025 at 5:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.