ગોધરા: આર.વી. અસારી પોલીસ મહાનિરીક્ષક પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા તથા હિમાંશુ સોલંકી પોલીસ અધિક્ષક પંચમહાલ ગોધરા નાઓએ પંચમહાલ જીલ્લામાં માન્યતા પ્રાપ્ત ડીગ્રી વગર દવાખાનું ખોલી લોકોના સ્વાસ્થય સાથે ચેડા કરતા હોય તેવા ઇસમો વિરૂધ્ધ કાયદેસર કરવા સારુ જરૂરી સુચનાઓ આપી હતી. જે અનુસંધાને આર.એ. પટેલ પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી. શાખા પંચમહાલ ગોધરા નાઓએ પોલીસ સબ ઇન્સ્પેકટર ડી. જી. વહોનીયા તથા એસ.ઓ.જી. સ્ટાફને આ બાબતે બાતમી હકીકત મેળવી કામગીરી કરવા સુચના આપી હતી.
સુચના આધારે એસ.ઓ.જી. સ્ટાફ મેડીકલ ઓફીસરની ટીમને સાથે રાખી ગોધરા શહેરના ભુરાવાવ ચોકડી પાસે કોઇપણ જાતની માન્યતા પ્રાપ્ત ડીગ્રી વગર આસ્થા હોસ્પીટલ નામથી દવાખાનું ચલાવનાર સંદીપ દતાત્રેયભાઈ ભીંડે રહે. અરીહંત નગર બામરોલી રોડ ગોધરા જી.પંચમહાલ નાને એલોપેથીક દવાઓ તથા મેડીકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ મળી કિંમત 3, 86, 843 ના મુદ્દામાલ સાથે પકડી પાડી તેના વિરૂધ્ધ ગોધરા ટાઉન બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવ્યો હતો.
અત્રે નોંધનીય છે કે, આવા તબીબો સ્વાસ્થ્ય સાથે ચેડા કરે છે, જે લોકોના આરોગ્ય માટે ગંભીર બાબત છે. આ પહેલા પણ પંચમહાલ પોલીસે જિલ્લામાં નકલી તબીબોને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે પણ હજુ તાલુકા લેવલે ગ્રામીણ લેવલે તપાસ હાથ ધરવી જોઈએ કે, આવા અન્ય તબીબો તો દવાખાનું ખોલીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા તો નથી કરી રહ્યા ને ?!!!!
આ પણ વાંચો: