ETV Bharat / state

સુરતના અવધ ઋતુરાજ ટેક્સટાઇલ માર્કેટમાં આગ, કુલ 10 દુકાનો બળીને ખાખ થઈ - FIRE BREAKS OUT IN SURAT

સુરતના પર્વત પાટિયામાં ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગી હતી, 20 ફાયર ફાઈટરની મદદથી એક કલાકમાં આગ કાબૂમાં લેવામાં આવી હતી.

સુરતના અવધ ઋતુરાજ ટેક્સટાઇલ માર્કેટમાં આગ
સુરતના અવધ ઋતુરાજ ટેક્સટાઇલ માર્કેટમાં આગ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 16, 2025 at 5:56 PM IST

Updated : May 16, 2025 at 7:25 PM IST

2 Min Read

સુરત: શહેરના ટેક્સટાઇલ હબ પર્વત પાટિયા વિસ્તારમાં આજે સવારે મોટી દુર્ઘટના સામે આવી છે. અવધ ઋતુરાજ માર્કેટમાં પાંચમા માળે આગ લાગવાની ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર આગે 10 દુકાનોને ચપેટમાં લીધી હતી. તમને જણાવી દઈએ કે, આ ટેક્સ ટાઇલ્સમાં 3065 થી 3075 નંબર સુધીની દુકાનોમાં આગ લાગી હતી. દુકાનોમાં રહેલો સાડી અને કાપડનો જથ્થો આગની ચપેટમાં આવ્યો હતો. આગની જ્વાળા એટલી ભીષણ હતી કે દૂર સુધી ધુમાડાના ગોટા દેખાતા હતા.

જોકે ઘટના અંગે ફાયર વિભાગને જાણ થતાં 9 ફાયર સ્ટેશનની 20 ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમે એક કલાકની મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે આગ લાગીએ વેળાએ કોઈ હાજર ન હોવાથી એક મોટી દુર્ઘટના થતાં અટકી હતી. સાવચેતીના ભાગ રૂપે હાજર પોલીસ જવાનોએ આ જગ્યા ખાલી કરાવી લોકોને સલામત સ્થળે ખસવા જણાવ્યું હતું. વેપારી દ્વારા લાખોનો માલ ભસ્મીભૂત થયો હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. સદનસીબે, આ આગની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની થવા પામી નથી.

સુરતના અવધ ઋતુરાજ ટેક્સટાઇલ માર્કેટમાં આગ (Etv Bharat Gujarat)

મળતી માહિતી અનુસાર, આગમાં સાડી-કાપડનો જથ્થો અને કેટલાક કમ્પ્યુટર બળીને ખાખ થયા છે. વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયાની આશંકા છે. સાવચેતીના પગલાં રૂપે એક ફાયર ફાઈટરની ગાડી સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને આગનું કારણ માનવામાં આવી રહ્યું છે.

સુરતના અવધ ઋતુરાજ ટેક્સટાઇલ માર્કેટમાં આગ
સુરતના અવધ ઋતુરાજ ટેક્સટાઇલ માર્કેટમાં આગ (Etv Bharat Gujarat)

ઉલ્લેખનીય છે કે, સુરત શહેરમાં સતત આગના બનાવો વધી રહ્યા છે. સુરતના રિંગરોડ આવેલા શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં પણ ગત 25 અને 26 ફેબ્રુઆરી, 2025 એ ઉપરાઉપરી બે દિવસ લાગેલી આગમાં 700 જેટલી દુકાનો લપેટમાં આવી હતી. આ દુર્ઘટનામાં વેપારીઓનો કરોડો રૂપિયાનો માલ બળીને ખાખ થયો હતો. આગને કાબુમાં લીધા બાદ બાંધકામ પણ જર્જરિત થઈ ગયું હતું અને તંત્ર દ્વારા 15 દિવસ સુધી લોકોને અંદર જવા દેવામાં આવ્યા નહોતા.

કુલ 10 દુકાનો બળીને ખાખ થઈ
કુલ 10 દુકાનો બળીને ખાખ થઈ (Etv Bharat Gujarat)

સુરત ફાયર અધિકારીએ ઘટના અંગે જણાવ્યું કે, 'ઉપરોક્ત બનેલી આગની ઘટનાને લઈને અમારી ટીમો તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવામાં આવી છે. કોઈ જાનહાનિના હજુ સમાચાર નથી, હાલ કુલિંગ પ્રક્રિયા ચાલી રહી છે.'

આ પણ વાંચો:

  1. બારડોલીમાં ITIના નિવૃત્ત કર્મચારી બન્યા ડિજિટલ એરેસ્ટનો ભોગ, નકલી CBI અધિકારી, જજે ડરાવીને 61 લાખ પડાવ્યા
  2. સુરતમાં સગીર સાથે ભાગેલી શિક્ષિકાના ગર્ભપાતને કોર્ટની મંજૂરી, DNA ટેસ્ટ માટે ભ્રૂણ સુરક્ષિત

સુરત: શહેરના ટેક્સટાઇલ હબ પર્વત પાટિયા વિસ્તારમાં આજે સવારે મોટી દુર્ઘટના સામે આવી છે. અવધ ઋતુરાજ માર્કેટમાં પાંચમા માળે આગ લાગવાની ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર આગે 10 દુકાનોને ચપેટમાં લીધી હતી. તમને જણાવી દઈએ કે, આ ટેક્સ ટાઇલ્સમાં 3065 થી 3075 નંબર સુધીની દુકાનોમાં આગ લાગી હતી. દુકાનોમાં રહેલો સાડી અને કાપડનો જથ્થો આગની ચપેટમાં આવ્યો હતો. આગની જ્વાળા એટલી ભીષણ હતી કે દૂર સુધી ધુમાડાના ગોટા દેખાતા હતા.

જોકે ઘટના અંગે ફાયર વિભાગને જાણ થતાં 9 ફાયર સ્ટેશનની 20 ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમે એક કલાકની મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે આગ લાગીએ વેળાએ કોઈ હાજર ન હોવાથી એક મોટી દુર્ઘટના થતાં અટકી હતી. સાવચેતીના ભાગ રૂપે હાજર પોલીસ જવાનોએ આ જગ્યા ખાલી કરાવી લોકોને સલામત સ્થળે ખસવા જણાવ્યું હતું. વેપારી દ્વારા લાખોનો માલ ભસ્મીભૂત થયો હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. સદનસીબે, આ આગની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની થવા પામી નથી.

સુરતના અવધ ઋતુરાજ ટેક્સટાઇલ માર્કેટમાં આગ (Etv Bharat Gujarat)

મળતી માહિતી અનુસાર, આગમાં સાડી-કાપડનો જથ્થો અને કેટલાક કમ્પ્યુટર બળીને ખાખ થયા છે. વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયાની આશંકા છે. સાવચેતીના પગલાં રૂપે એક ફાયર ફાઈટરની ગાડી સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને આગનું કારણ માનવામાં આવી રહ્યું છે.

સુરતના અવધ ઋતુરાજ ટેક્સટાઇલ માર્કેટમાં આગ
સુરતના અવધ ઋતુરાજ ટેક્સટાઇલ માર્કેટમાં આગ (Etv Bharat Gujarat)

ઉલ્લેખનીય છે કે, સુરત શહેરમાં સતત આગના બનાવો વધી રહ્યા છે. સુરતના રિંગરોડ આવેલા શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં પણ ગત 25 અને 26 ફેબ્રુઆરી, 2025 એ ઉપરાઉપરી બે દિવસ લાગેલી આગમાં 700 જેટલી દુકાનો લપેટમાં આવી હતી. આ દુર્ઘટનામાં વેપારીઓનો કરોડો રૂપિયાનો માલ બળીને ખાખ થયો હતો. આગને કાબુમાં લીધા બાદ બાંધકામ પણ જર્જરિત થઈ ગયું હતું અને તંત્ર દ્વારા 15 દિવસ સુધી લોકોને અંદર જવા દેવામાં આવ્યા નહોતા.

કુલ 10 દુકાનો બળીને ખાખ થઈ
કુલ 10 દુકાનો બળીને ખાખ થઈ (Etv Bharat Gujarat)

સુરત ફાયર અધિકારીએ ઘટના અંગે જણાવ્યું કે, 'ઉપરોક્ત બનેલી આગની ઘટનાને લઈને અમારી ટીમો તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવામાં આવી છે. કોઈ જાનહાનિના હજુ સમાચાર નથી, હાલ કુલિંગ પ્રક્રિયા ચાલી રહી છે.'

આ પણ વાંચો:

  1. બારડોલીમાં ITIના નિવૃત્ત કર્મચારી બન્યા ડિજિટલ એરેસ્ટનો ભોગ, નકલી CBI અધિકારી, જજે ડરાવીને 61 લાખ પડાવ્યા
  2. સુરતમાં સગીર સાથે ભાગેલી શિક્ષિકાના ગર્ભપાતને કોર્ટની મંજૂરી, DNA ટેસ્ટ માટે ભ્રૂણ સુરક્ષિત
Last Updated : May 16, 2025 at 7:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.