અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આજે ગુરુવારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. તેમાં કેટલાક મોટા નિર્ણય લેવામાં આવ્યા. જેમાં ખાસ કરીને અમદાવાદ શહેરમાં એન્ટ્રી ગેટ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને અમદાવાદના નિકોલ વિસ્તારમાં ગટર ના પાણીની સમસ્યાને લઈને પણ સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચા કરવામાં આવી હતી.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, આજની સ્ટેન્ડિંગ કમિટીમાં અમદાવાદ શહેરમાં એન્ટ્રી ગેટ બનાવવા માટેનું નિર્ણય લેવામાં આવ્યો છે. ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર હોય કે મધ્ય ગુજરાતના પ્રવેશ દ્વાર વિકસાવામાં આવશે. આ મામલે આજની મળેલી ટ્રેનિંગ કમિટી ચર્ચા કરવામાં આવી હતી. આ એન્ટ્રીગેટનું કામ રસ ધરાવતી કંપનીઓને સોંપવામાં આવશે. જો કે કામ કરનાર કંપની પોતાની જાહેરાત પણ કરી શકશે.

આના સિવાય અમદાવાદ અને નિકોલ વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસથી ગટરનું ઉભરાવવાની સમસ્યા સામે આવી રહી હતી. જેને લઇને લોકો ત્રાહિમામ પોકાર્યા હતા કેટલીક વાર રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવી હતી નહીં ત્યારે આ અંગે કોંગ્રેસ દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યું હતું .આ મુદ્દે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નિકોલ ગોપાલ ચોકમાં ગટરનું પાણી ભરાય છે તેને લઈને ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે જ અધિકારીઓ સાથે અવારનવાર નિકોલ વિસ્તારમાં ગટર પાણી ઉભરાઈ રહ્યું છે તેમાં કયા પ્રકારની કામગીરી કરી તેની માહિતી માંગવામાં આવી હતી.
આ મુદ્દે દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, નિકોલ સમસ્યા મામલે આજ રોજ અધિકારીઓએ પણ જણાવ્યું હતું કે, જે નિકોલ વિસ્તારમાં ગટરનું પાણી ઉભરાઈ રહ્યું છે. તેને લઈને તમામ પ્રકારની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે અને હવે નિકોલ વિસ્તારમાં ગટરનું પાણી ના ભરાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.