ETV Bharat / state

રક્ષા મંત્રી રાજનાથ સિંહ ભુજમાં: વાયુસેના સાથે કરી વાતચીત, જાણો તેમણે શું કહ્યું - RAJNATH SINGH IN BHUJ

રક્ષા મંત્રીએ કહ્યું કે, લોકો નાસ્તો કરવામાં જેટલો સમય લે છે, તેટલા સમયમાં તમે દુશ્મનોને હરાવી દીધા હતા.

રક્ષા મંત્રી રાજનાથ સિંહ
રક્ષા મંત્રી રાજનાથ સિંહ (ANI twitter)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 16, 2025 at 2:00 PM IST

2 Min Read

કચ્છ: કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલા બાદ ભારતે "ઓપરેશન સિંદૂર" હાથ ધર્યું હતું. જેમાં મહત્વપૂર્ણ ભાગ ભજવનાર ભુજ એરબેઝ સ્ટેશનની મુલાકાત લેવા માટે દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહ બે દિવસ એટલે કે આજ રોજ 16 અને 17 મે એ કચ્છ આવ્યા છે.

દિલ્હીથી ભુજ આવ્યા બાદ તેમનું એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યું. તેમની આ મુલાકાત દરમિયાન એરફોર્સ ચીફ એર ચીફ માર્શલ એપી સિંહ પણ તેમની સાથે ભુજ પહોંચ્યા હતા. રક્ષા મંત્રીએ ભુજમાં સ્મૃતિ વનની મુલાકાત લીધી હતી ત્યારબાદ તેઓ ભુજ એરફોર્સ સ્ટેશન પહોંચ્યા. તેઓએ અહીં પર એર વોરિયર્સ સાથે વાતચીત કરી.

ભુજ એરફોર્સ સ્ટેશન પર ભુજ વિશે વાત કરતાં તેમણે કહ્યું કે, .. 1965માં ભુજ પાકિસ્તાન સામેની આપણી જીતનું સાક્ષી હતું, અને આજે ફરી એકવાર તે પાકિસ્તાન સામેની આપણી જીતનું સાક્ષી બન્યું છે. મને અહીં હાજર રહીને ગર્વ થાય છે.

તેમણે કહ્યું કે, ઓપરેશન સિંદૂર દરમિયાન તમે જે કંઈ કર્યું, તેણે બધા ભારતીયોને ગર્વ અપાવ્યો છે, ભલે તે ભારતમાં હોય કે વિદેશમાં. આપણા વાયુસેના માટે પાકિસ્તાનમાં છૂપાયેલા આતંકવાદીઓને કચડી નાખવા માટે ફક્ત 23 મિનિટ પૂરતી હતી, અને આ ગર્વની બાબત છે.

યુદ્ધની સ્થતિ જણાવતા રક્ષા મંત્રીએ કહ્યું કે, પાકિસ્તાને પણ બ્રહ્મોસ મિસાઇલની શક્તિનો સ્વીકાર કર્યો છે. આપણા દેશમાં એક જૂની કહેવત છે, "દિન મેં તારે દેખના." ભારતમાં બનેલી બ્રહ્મોસ મિસાઇલે પાકિસ્તાનને 'રાતના અંધારામાં દિવસનો પ્રકાશ' બતાવ્યો છે. મારા માટે એ કહેવું ખોટું નહીં હોય કે લોકો નાસ્તો કરવામાં જેટલો સમય લે છે, તેટલા સમયમાં તમે દુશ્મનોને હરાવી દીધા હતા. તમે દુશ્મનોની ભૂમિ પર જઈને મિસાઇલો છોડી. તેનો પડઘો ફક્ત ભારતની સરહદો સુધી મર્યાદિત ન રહ્યો, આખી દુનિયાએ તે સાંભળ્યો છે. જેનો શ્રેય માત્ર મિસાઇલોનો જ નહીં પણ તમારી બહાદુરી અને ભારતીય સશસ્ત્ર દળોના જવાનોની બહાદુરીને જાય છે.

વીર જવાનોને સંબોધતા તેમણે કહ્યું કે, "ઓપરેશન સિંદૂર હજુ પૂરું થયું નથી. જે ​​કંઈ થયું તે ફક્ત એક ટ્રેલર હતું. જ્યારે યોગ્ય સમય આવશે, ત્યારે અમે દુનિયાને સંપૂર્ણ ચિત્ર બતાવીશું. હવે, આતંકવાદ સામેની લડાઈ ફક્ત સુરક્ષાનો વિષય નથી, પરંતુ તે હવે રાષ્ટ્રીય સંરક્ષણ સિદ્ધાંતનો પણ એક ભાગ છે. રક્ષા મંત્રી તરીકે, હું આ સંકલ્પને ફરીથી વ્યક્ત કરવા માંગુ છું. આપણે ભગવાન રામને અનુસરીને આગળ વધી રહ્યા છીએ જ્યાં તેમણે રાક્ષસી શક્તિઓનો નાશ કરવાનો સંકલ્પ કર્યો હતો - निसिचर हीन करउँ महि भुज उठाइ पन कीन्ह, તેનો અર્થ એ છે કે જે રીતે ભગવાન રામે પોતાના હાથ ઉંચા કર્યા અને આ દુનિયાને રાક્ષસમુક્ત બનાવવાનો સંકલ્પ કર્યો, તેવી જ રીતે, ભગવાન રામના સિદ્ધાંતોને અનુસરીને, આપણે આતંકવાદને જડમૂળથી ઉખેડી નાખવાનો સંકલ્પ કર્યો છે."

આ પણ વાંચો:

  1. કચ્છના પ્રવાસે રાજનાથ સિંહ, ભારત-પાકિસ્તાન સરહદ અને ભુજ એરબેઝની મુલાકાત કરશે
  2. કંગનાએ સોશિયલ મીડિયા પર ટ્રમ્પ અને મોદી વિશું આ શું લખ્યું? જેપી નડ્ડાએ તાત્કાલિક સાંસદને લગાવ્યો ફોન

કચ્છ: કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલા બાદ ભારતે "ઓપરેશન સિંદૂર" હાથ ધર્યું હતું. જેમાં મહત્વપૂર્ણ ભાગ ભજવનાર ભુજ એરબેઝ સ્ટેશનની મુલાકાત લેવા માટે દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહ બે દિવસ એટલે કે આજ રોજ 16 અને 17 મે એ કચ્છ આવ્યા છે.

દિલ્હીથી ભુજ આવ્યા બાદ તેમનું એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યું. તેમની આ મુલાકાત દરમિયાન એરફોર્સ ચીફ એર ચીફ માર્શલ એપી સિંહ પણ તેમની સાથે ભુજ પહોંચ્યા હતા. રક્ષા મંત્રીએ ભુજમાં સ્મૃતિ વનની મુલાકાત લીધી હતી ત્યારબાદ તેઓ ભુજ એરફોર્સ સ્ટેશન પહોંચ્યા. તેઓએ અહીં પર એર વોરિયર્સ સાથે વાતચીત કરી.

ભુજ એરફોર્સ સ્ટેશન પર ભુજ વિશે વાત કરતાં તેમણે કહ્યું કે, .. 1965માં ભુજ પાકિસ્તાન સામેની આપણી જીતનું સાક્ષી હતું, અને આજે ફરી એકવાર તે પાકિસ્તાન સામેની આપણી જીતનું સાક્ષી બન્યું છે. મને અહીં હાજર રહીને ગર્વ થાય છે.

તેમણે કહ્યું કે, ઓપરેશન સિંદૂર દરમિયાન તમે જે કંઈ કર્યું, તેણે બધા ભારતીયોને ગર્વ અપાવ્યો છે, ભલે તે ભારતમાં હોય કે વિદેશમાં. આપણા વાયુસેના માટે પાકિસ્તાનમાં છૂપાયેલા આતંકવાદીઓને કચડી નાખવા માટે ફક્ત 23 મિનિટ પૂરતી હતી, અને આ ગર્વની બાબત છે.

યુદ્ધની સ્થતિ જણાવતા રક્ષા મંત્રીએ કહ્યું કે, પાકિસ્તાને પણ બ્રહ્મોસ મિસાઇલની શક્તિનો સ્વીકાર કર્યો છે. આપણા દેશમાં એક જૂની કહેવત છે, "દિન મેં તારે દેખના." ભારતમાં બનેલી બ્રહ્મોસ મિસાઇલે પાકિસ્તાનને 'રાતના અંધારામાં દિવસનો પ્રકાશ' બતાવ્યો છે. મારા માટે એ કહેવું ખોટું નહીં હોય કે લોકો નાસ્તો કરવામાં જેટલો સમય લે છે, તેટલા સમયમાં તમે દુશ્મનોને હરાવી દીધા હતા. તમે દુશ્મનોની ભૂમિ પર જઈને મિસાઇલો છોડી. તેનો પડઘો ફક્ત ભારતની સરહદો સુધી મર્યાદિત ન રહ્યો, આખી દુનિયાએ તે સાંભળ્યો છે. જેનો શ્રેય માત્ર મિસાઇલોનો જ નહીં પણ તમારી બહાદુરી અને ભારતીય સશસ્ત્ર દળોના જવાનોની બહાદુરીને જાય છે.

વીર જવાનોને સંબોધતા તેમણે કહ્યું કે, "ઓપરેશન સિંદૂર હજુ પૂરું થયું નથી. જે ​​કંઈ થયું તે ફક્ત એક ટ્રેલર હતું. જ્યારે યોગ્ય સમય આવશે, ત્યારે અમે દુનિયાને સંપૂર્ણ ચિત્ર બતાવીશું. હવે, આતંકવાદ સામેની લડાઈ ફક્ત સુરક્ષાનો વિષય નથી, પરંતુ તે હવે રાષ્ટ્રીય સંરક્ષણ સિદ્ધાંતનો પણ એક ભાગ છે. રક્ષા મંત્રી તરીકે, હું આ સંકલ્પને ફરીથી વ્યક્ત કરવા માંગુ છું. આપણે ભગવાન રામને અનુસરીને આગળ વધી રહ્યા છીએ જ્યાં તેમણે રાક્ષસી શક્તિઓનો નાશ કરવાનો સંકલ્પ કર્યો હતો - निसिचर हीन करउँ महि भुज उठाइ पन कीन्ह, તેનો અર્થ એ છે કે જે રીતે ભગવાન રામે પોતાના હાથ ઉંચા કર્યા અને આ દુનિયાને રાક્ષસમુક્ત બનાવવાનો સંકલ્પ કર્યો, તેવી જ રીતે, ભગવાન રામના સિદ્ધાંતોને અનુસરીને, આપણે આતંકવાદને જડમૂળથી ઉખેડી નાખવાનો સંકલ્પ કર્યો છે."

આ પણ વાંચો:

  1. કચ્છના પ્રવાસે રાજનાથ સિંહ, ભારત-પાકિસ્તાન સરહદ અને ભુજ એરબેઝની મુલાકાત કરશે
  2. કંગનાએ સોશિયલ મીડિયા પર ટ્રમ્પ અને મોદી વિશું આ શું લખ્યું? જેપી નડ્ડાએ તાત્કાલિક સાંસદને લગાવ્યો ફોન
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.