ETV Bharat / state

કથાકાર ચંદ્રગોવિંદ દાસનું વિવાદાસ્પદ પ્રવચન,બંધારણ અને મહિલાઓ વિશે આપેલા નિવેદન બાદ માગી માફી - CONTROVERSIAL STATEMENT

સુરતના ઈસ્કોન મંદિર સાથે જોડાયેલા કથાકાર ચંદ્રગોવિંદ દાસનો એક વિવાદાસ્પદ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને તેમાંથી તેઓ વિવાદમાં ફસાયા છે.

થાકાર ચંદ્રગોવિંદ દાસનું વિવાદાસ્પદ પ્રવચન
થાકાર ચંદ્રગોવિંદ દાસનું વિવાદાસ્પદ પ્રવચન (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : April 13, 2025 at 7:15 AM IST

Updated : April 13, 2025 at 8:38 AM IST

1 Min Read

સુરત: વીડિયોમાં કથાકારે ભારતીય બંધારણ અને તેના ઘડવૈયાઓ વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે બંધારણ લખનારા મૂર્ખ હતા અને સંવિધાન ધર્મના આધારે હોવું જોઈએ. વધુમાં તેમણે કહ્યું કે જે બાપ દીકરીને નોકરી કરાવે છે તે તેને વ્યભિચારમાં ધકેલે છે.

આ વીડિયો બે વર્ષ પહેલા પણ વાયરલ થયો હતો અને લોકોએ તેમના શબ્દોની ટીકા કરી હતી. હાલમાં આંબેડકર જયંતીના ગણતરીના દિવસો પહેલા આ વીડિયો ફરી વાઇરલ થતાં દલિતો, મહિલાઓ અને સંવિધાન પ્રેમી જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

વિવાદાસ્પદ પ્રવચન બાદ કથાકાર ચંદ્રગોવિંદ દાસે માગી માફી (Etv Bharat Gujarat)

વીડિયો ફરીથી વાઇરલ થયા બાદ ચંદ્રગોવિંદ દાસે જાહેર માફી માગી છે. તેમણે સ્પષ્ટતા કરી કે તેમનું નિવેદન દીકરીઓ પર થતા અત્યાચાર અને ન્યાય ન મળતા કિસ્સાઓ સામેનો રોષ હતો. તેમણે ઉમેર્યું કે 18 વર્ષની ઉંમર પછી દીકરી લગ્ન કરવા સ્વતંત્ર છે તે સંવિધાનની કલમ સામે તેમને વાંધો હતો. જો કોઈની લાગણી દુભાઈ હોય તો તેમણે હૃદયપૂર્વક માફી માગી છે

બહુજન સમાજના અગ્રણી સુરેશ સોનવણેએ જણાવ્યું હતું કે ચંદ્ર ગોવિંદદાસ મહારાજે સંવિધાન અને સરકાર પ્રતિ અભદ્ર ટિપ્પણી કરીને પોતાની મનુવાદી વાત કરી છે. સમાજમાં ઘણો મોટો વિરોધ થતાં વિરોધની સામે તરત જ તેમણે રંગ બદલીને માફી માગવાનો પ્રયત્ન કર્યો છે. જો તેમણે માફી ન માગી હોત તો અમે કાયદાકીય કાર્યવાહી કરવાના હતા. તેમનું નિવેદન વખોડવા પાત્ર છે.

  1. કોણ છે સંત ભોલે બાબા? જેમના સત્સંગમાં નાસભાગ મચી ગઈ, કેમ છોડી દીધી યુપી પોલીસની નોકરી? - Hathras Stampede
  2. 10 વર્ષના હનુમાન ભક્તની અનોખી શ્રદ્ધા : શાલ પર બનાવ્યું રામચંદ્રજી અને હનુમાનજીની મૈત્રીનું ચિત્ર

સુરત: વીડિયોમાં કથાકારે ભારતીય બંધારણ અને તેના ઘડવૈયાઓ વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે બંધારણ લખનારા મૂર્ખ હતા અને સંવિધાન ધર્મના આધારે હોવું જોઈએ. વધુમાં તેમણે કહ્યું કે જે બાપ દીકરીને નોકરી કરાવે છે તે તેને વ્યભિચારમાં ધકેલે છે.

આ વીડિયો બે વર્ષ પહેલા પણ વાયરલ થયો હતો અને લોકોએ તેમના શબ્દોની ટીકા કરી હતી. હાલમાં આંબેડકર જયંતીના ગણતરીના દિવસો પહેલા આ વીડિયો ફરી વાઇરલ થતાં દલિતો, મહિલાઓ અને સંવિધાન પ્રેમી જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

વિવાદાસ્પદ પ્રવચન બાદ કથાકાર ચંદ્રગોવિંદ દાસે માગી માફી (Etv Bharat Gujarat)

વીડિયો ફરીથી વાઇરલ થયા બાદ ચંદ્રગોવિંદ દાસે જાહેર માફી માગી છે. તેમણે સ્પષ્ટતા કરી કે તેમનું નિવેદન દીકરીઓ પર થતા અત્યાચાર અને ન્યાય ન મળતા કિસ્સાઓ સામેનો રોષ હતો. તેમણે ઉમેર્યું કે 18 વર્ષની ઉંમર પછી દીકરી લગ્ન કરવા સ્વતંત્ર છે તે સંવિધાનની કલમ સામે તેમને વાંધો હતો. જો કોઈની લાગણી દુભાઈ હોય તો તેમણે હૃદયપૂર્વક માફી માગી છે

બહુજન સમાજના અગ્રણી સુરેશ સોનવણેએ જણાવ્યું હતું કે ચંદ્ર ગોવિંદદાસ મહારાજે સંવિધાન અને સરકાર પ્રતિ અભદ્ર ટિપ્પણી કરીને પોતાની મનુવાદી વાત કરી છે. સમાજમાં ઘણો મોટો વિરોધ થતાં વિરોધની સામે તરત જ તેમણે રંગ બદલીને માફી માગવાનો પ્રયત્ન કર્યો છે. જો તેમણે માફી ન માગી હોત તો અમે કાયદાકીય કાર્યવાહી કરવાના હતા. તેમનું નિવેદન વખોડવા પાત્ર છે.

  1. કોણ છે સંત ભોલે બાબા? જેમના સત્સંગમાં નાસભાગ મચી ગઈ, કેમ છોડી દીધી યુપી પોલીસની નોકરી? - Hathras Stampede
  2. 10 વર્ષના હનુમાન ભક્તની અનોખી શ્રદ્ધા : શાલ પર બનાવ્યું રામચંદ્રજી અને હનુમાનજીની મૈત્રીનું ચિત્ર
Last Updated : April 13, 2025 at 8:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.