સુરેન્દ્રનગર: જિલ્લાના થાનગઢ ચોટીલા પંથકમાં ગેરકાયદેસર કાર્બોસેલ ખનીજ ચોરી મોટા પ્રમાણમાં થતી હોવાની અનેક ફરિયાદો મોટા પ્રમાણમાં થતી હોવાની અનેક ફરિયાદો ઉઠવા પામી હતી, ત્યારે ચોટીલા નાયબ કલેકટર અને પ્રાંત અધિકારી અને તેની ટીમ દ્વારા થાનગઢ તાલુકાના સોનગઢ ગામની સીમમાં બે અલગ અલગ સ્થળો પર આકસ્મિત ચેકિંગ કરી રેડ કરાઈ હતી.
એક લોડર તેમજ ત્રણ જેસીબી અને કાર્બોસેલ સહિત કુલ રૂપિયા 2.20 કરોડ મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં બ્લેક ટેપ ખનીજ મૂડીમાં સફેદ માટે અને ભાનમાં કાર્બોસિલનું ખનીજ મોટા પ્રમાણમાં મળી આવે છે, ત્યારે ભૂમિ માફીયાઓ દ્વારા કરોડો રૂપિયાની કનીજ ચોરી કરવામાં આવી રહી છે. જિલ્લામાં ઓવરલોડ ડમ્પર ખનીજ વાન કરતાં અને ખનીજ ચોરીઓ સામે ખાણ ખનીજ વિભાગ આરટીઓ અને પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે.
ચોટીલા પ્રાંત અને નાયબ કલેકટર દ્વારા ખનીજ ચોરી બાબતે અગાઉ પણ જામવાડી અને ભડુલાની સીમમાંથી ગેરકાયદેસર કાર્બોસેલના કુવા સહિત 89 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અલગ અલગ સ્થળો પર સરકારી ખરાબ અને ગૌચર સહિત માલિકીની જમીનો ઉપર ગેરકાયદેસર ખનીજ થતું હોવાનું ખુલવા પામતા જે માલિકીની જમીન હોય છે, તેના પર શ્રી સરકાર કરવાની દરખાસ્ત મૂકી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો: