કચ્છ: 23 માર્ચ શહીદ દિવસ નિમિતે અરુણાચલ પ્રદેશના વિજયનગરથી રણ ઓફ કચ્છ સુધી સુરક્ષા એજન્સીઓના જવાનો દ્વારા બાઇક રેલી યોજવામાં આવી હતી. જેમાં આર્મી, એરફોર્સ અને બીએસએફના 12 જેટલા જવાનોએ બાઇક રેલી યોજી હતી. પૂરા દેશના 9 રાજ્યમાંથી આ બાઇક રેલી પસાર કરીને 4000 કિલોમીટરનું અંતર કાપીને આ બાઇક રેલીને કચ્છના સફેદ રણમાં સમાપ્ત કરવામાં આવી હતી. આ બાઇક રેલીનો મુખ્ય ઉદેશ્ય 'એક ભારત શ્રેષ્ઠ ભારત' રહ્યો હતો.
શહીદ દિવસ નિમિતે યોજાઈ બાઇક રેલી: ભારતમાં 23 માર્ચના દિવસને શહીદ દિવસ તરીકે માનવામાં આવે છે. 23 માર્ચ 1942ના રોજ લાહોર, પાકિસ્તાનમાં ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુના મૃત્યુની વર્ષગાંઠને શહીદ દિવસ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે આ દિવસ નિમિતે સેના દ્વારા પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે આર્મી, BSF અને એરફોર્સના જવાનો દ્વારા એકસાથે મળીને 'એક શૌર્ય યાત્રા એક બાઇક રેલી' અરુણાચલ પ્રદેશથી કચ્છના સફેદ રણ સુધી યોજવામાં આવી હતી.
12 રાઇડર્સ દ્વારા બાઇક રેલી: 10મી માર્ચના રોજ અરુણાચલ પ્રદેશના વિજયનગરથી 12 જેટલા બાઇક રાઇડર્સે બાઇક રેલી શરૂ કરી હતી. તેઓ દેશના 9 જેટલા રાજ્યમાંથી પસાર થઈને 4000થી પણ વધુ કિમીનું અંતર કાપીને આ રેલી કચ્છના સફેદ રણ સુધી પહોંચી હતી. આ બાઇક રેલીનો ઉદેશ્ય 'એક ભારત શ્રેષ્ઠ ભારત' તે દર્શાવવાનું હતું. દેશ માટે સેવા કરી ચૂકેલા ભૂતપૂર્વ જવાનોની સાથે આ શૌર્ય યાત્રા દરમિયાન મુલાકાત કરવામાં આવી હતી.




યુવાનોને પ્રોત્સાહિત કરવાની નેમ: એક એક્સ સર્વિસમેન છે. તેમની પાસેથી પ્રેરણા મેળવીને દેશના યુવાનોને પ્રોત્સાહન કરવામાં આવે જેથી આવનારા સમયમાં રાષ્ટ્રના નિર્માણમાં યુવાનો પણ પોતાની ભૂમિકા ભજવી શકે. જે માટે આ બાઇક રેલી દરમિયાન જુદા જુદા રાજ્યો જેમાં અરુણાચલ પ્રદેશ, જયરામપુર, દિમાપુર, ગુવાહાટી, સિલિગુરી, પટના, ગ્વાલિયર, વારાણસી, ઉદયપુર, અમદાવાદ, ભુજ અને રણ ઓફ કચ્છમાં આવી પહોંચેલી બાઇક રેલીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: