ભાવનગર: ભાવનગર જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ કહેવાતા ઊંચા કોટડા ચામુંડા માતાજીના શરણમાં ભાવનગરના ખેડૂત કલ્યાણ સંગઠન પ્રમુખ ભરતસિંહ વાળાએ એક દિવસીય ધરણા કર્યા હતા. કચ્છ મોગલધામના સમર્થનમાં ધરણા કરીને સનાતન ધર્મ વિરુદ્ધ ટિપ્પણીઓ કરનાર સામે વિરોધ દર્શાવ્યો હતો.
એક દિવસીય ધરણા કરતા ખેડૂત આગેવાન
ભાવનગર જિલ્લાના ઊંચા કોટડા ગામ ખાતે આવેલા ચામુંડા માતાજીના શરણમાં ખેડૂત કલ્યાણ સંગઠન પ્રમુખ ભરતસિંહ વાળાએ એક દિવસીય ધરણા કચ્છ મોગલધામના મહંત કબરાઉ બાપુના સમર્થનમાં કર્યા હતા. એક દિવસીય ધરણમાં કેટલાક સનાતનીઓએ આવતા જતા હાજરી ધરણામાં આપી હતી. આગામી દિવસોમાં પણ ભરતસિંહે સમર્થન કબરાઉ બાપુને આપવા તૈયારી બતાવી છે.
ચામુંડા માતાજીના મંદિર ટ્રસ્ટનું સમર્થન
ભરતસિંહ વાળાએ એક દિવસીય ધરણા કરતા પહેલા માતાજીના શરણમાં શીશ ઝુકાવ્યું હતું. ત્યાર બાદ મેદાનમાં મંદિરના ટેકે બહાર તરફ ઘાસ પાથરીને કોથળાનું આસન કરીને 70 વર્ષીય ભરતસિંહે 42 ડિગ્રીમાં ધરણા કર્યા હતા. આ ધરણાને ચામુંડા માતાજી ઊંચા કોટડા ટ્રસ્ટે સમર્થન આપ્યું હતું. એક દિવસીય ધરણા બાદ શંકરાચાર્ય, ધર્મગુરુઓ નક્કી કરે તે રણનીતિ મુજબ આગળ ધપવા તૈયારી દર્શાવી હતી.

ઘનશ્યામ પાંડેની ટિપ્પણીને પગલે વિરોધ
સનાતન ધર્મને પગલે વારંવાર વિવાદો ઉઠી રહ્યા છે. ત્યારે ભરતસિંહ વાળાએ જણાવ્યું હતું કે ઘનશ્યામ પાંડે અને તેમની કંપનીમાંથી સનાતન ધર્મના દેવી દેવતાઓનું મનફાવે તેવી ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે તે સદંતર બંધ થાય માટે દરેક ધર્મગુરુઓ આગળ આવીને તેનો કાયમી ઉકેલ લાવે તે જરૂરી બન્યું છે.
આ પણ વાંચો: