અમદાવાદ: રાજા મહારાજાના પોશાક પર જે હેન્ડ વર્ક કે કડાઈ કરવામાં આવતી હતી એને જરદોશી વર્ક તરીકે ઓળખવામાં આવે છે. હવે ફેશન જગતમાં જરદોસી વર્ક ધૂમ મચાવી રહ્યો છે. જરદોશી વર્ક દુનિયાભરમાં પ્રખ્યાત છે પણ તેના કારીગરોની સંખ્યા ઓછી થઈ રહી છે. અમદાવાદના જુહાપુરામાં રહેતા આસિફ વોરા 20 વર્ષથી જરદોસીીનું કામ કરે છે અને તેઓ રંગબેરંગી દોરાથી અને ઝરીથી આ ભરતકામ કરીને પોતાનું નામ કમાઈ રહ્યા છે. તેઓ જરદોશી કાર્યની શાહી પરંપરા જીવંત રાખી રહ્યા છે.
જરદોસી ભરતકામ કરવામાં ઘણો સમય લાગે છે. તેમાં ઘણી મહેનત કરવી પડે છે જેના કારણે આ કપડાં મોંઘા પણ હોય છે, જરદોશી ભરતકામના કપડાં રૂપિયા 1000 થી રૂપિયા 100,000 સુધી ઉપલબ્ધ છે. પરિણામે આ પ્રકારના કપડાં મુખ્યત્વે ઓર્ડર મુજબ બનાવવામાં આવે છે. જરદોસી ભરતકામ ડ્રેસ બનાવવામાં એક મહિનો પણ લાગી જાય છે. જરદોશીનું કામ કેવી રીતે થાય છે? તેમાં કેટલી મહેનત લાગે છે? શું આ નવી ફેશન છે? જુઓ આ અહેવાલમાં.
જરદોશીનું કામ કરતા વેપારી આસિફ હુસૈન વોરાનીએ કહ્યું કે, હું બાળપણથી જ જરદોશીનું કામ કરું છું. અને આ કાર્ય મારા પૂર્વજોના સમયથી ચાલી રહ્યું છે. જરદોશી વર્ક ખૂબ જ જૂની કળા છે. રાજાઓ, મહારાજા અને રાણીઓના વસ્ત્રો સોના અને ચાંદીના દોરાથી ઝરી કામ કરવામાં આવતા હતા. ઝરનો અર્થ સોનું અને દોજીનો અર્થ કામ કરવું થાય છે. પરંતુ જેમ જેમ સોનું મોંઘુ થતું ગયું, તેમ તેમ આ ભરતકામ માટે કૃત્રિમ દોરાનો ઉપયોગ થવા લાગ્યો.

જરદોશીનું કામ શરૂઆતમાં સોના અને ચાંદીથી કરવામાં આવતું હતું પરંતુ હવે તે ઝરી દોરાથી કરવામાં આવે છે. જે બિલકુલ સોના જેવું દેખાય છે. અને સિલ્વર દોરો જે ચાંદી જેવો દેખાય છે. આ ભરતકામ માટે સિતારા, કાચ, નંગનો પણ ઉપયોગ થાય છે. જેના કારણે ભરતકામ પછી કાપડ ખૂબ જ સુંદર લાગે છે. જરદોશી કામની ખાસિયત એ છે કે તે સોના, ચાંદી અને હીરા જેવું લાગે છે.

આસિફ હુસૈન વોરાનીએ વધુમાં જાણવતા કહ્યું કે, હું લગભગ 30 વર્ષથી આ કામ કરી રહ્યો છું અને મને આ કામ કરવાનું ખૂબ ગમે છે. આજે મારી પાસે 7 થી વધુ કારીગરો કામ કરી રહ્યા છે. આ કામ કરવા માટે ઘણી મહેનત કરવી પડે છે. જરદોશી ભરતકામ કાપડ ક્યારેક એક દિવસમાં બને છે તો ક્યારેક વધુ મહિનાઓ પણ લાગે છે. બ્લાઉઝ પર ભરતકામ કરવામાં 2 થી 3 દિવસ લાગે છે. ડ્રેસ અને બેગ બનાવવામાં પણ ત્રણથી ચાર દિવસ લાગે છે.

કિંમત વિશે જણાવતા વેપારી કહ્યું કે, જરદોશી ભરતકામવાળા બેગની કિંમત રૂપિયા 600 થી શરૂ થાય છે, બ્લાઉઝ રૂપિયા 1500 થી શરૂ થાય છે અને ડ્રેસ રૂપિયા 2000 થી શરૂ થાય છે. દુલ્હનના પોશાકની વાત કરીએ તો તે રૂપિયા 50,000 થી રૂપિયા 100,000માં બનાવવામાં આવે છે. ઉપરાંત તે ઓર્ડર મુજબ બનાવવામાં આવે છે.

પ્રખ્યાત અને લોકપ્રિય હોવા છતાં આ આ રાજાશાહી સમયથી ચાલી આવતી કળામાં ઘણી મુશ્કેલી આવી રહી છે, તે વિશે જણાવતા વેપારી જણાવે છે કે, હવે આ કામ માટે નવા કારીગરો આવી રહ્યા નથી. કારીગરોની અછત હોય તેવું લાગે છે. ફક્ત જૂના કારીગરો જ આ કામ કરી રહ્યા છે. કારણ કે ટેકનોલોજી આગળ વધી ગઈ છે. અને કામ મશીન દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ માટે, જૂના કારીગરો આ કામ સરળતાથી કરી શકે છે. અમદાવાદમાં લગભગ 8000 થી 10,000 લોકો આ ભરતકામ કરતા હશે. અમદાવાદમાં તેનું જથ્થાબંધ બજાર છે. આ કારણે, અમદાવાદમાં ઘણા લોકો આ ભરતકામથી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે.

જરદોશી ભરતકામ વિશે આ કામ કરતા કારીગરો કહે છે કે, આ કામ કરવા માટે ઘણી મહેનત કરવી પડે છે. અમે એક જગ્યાએ બેસીને આખો દિવસ આ કામ કરીએ છીએ અને આ કામ ખૂબ મહેનતથી થાય છે. આ જેટલું સુઘડ અને સુંદર રીતે બનાવવામાં આવશે, તેટલી જ કાપડની ચમક વધશે. તેથી, આમાં ઘણી મહેનત કરવી પડે છે. રાજા અને મહારાજા જરદોશી વર્કવાળા કપડાં પહેરતા હતા, આ કામ તે પહેલાં પણ થતું હતું. જરદોશી ભરતકામમાં અમે એક દિવસમાં 1000 થી 2000 રૂપિયા કમાઇએ છીએ અને મહિનામાં 20,000 રૂપિયા સુધી કમાઈએ છીએ.


આ પણ વાંચો: