ETV Bharat / sports

'મેં ઘણું વિચારીને આ નિર્ણય લીધો'… IPL પૂરી થતાં 29 વર્ષીય ખેલાડીએ અચાનક ક્રિકેટને કહ્યું અલવિદા - NICHOLAS POORAN RETIREMENT

વેસ્ટ ઈન્ડિઝના આક્રમક બેટ્સમેન 29 વર્ષીય નિકોલસ પૂરને ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા નિવૃત્તિની જાહેરાત કરી ક્રિકેટ જગતને ચોંકાવી દીધું.

લખનઉ સુપર જાયન્ટ્સ
લખનઉ સુપર જાયન્ટ્સ (IANS)
author img

By ETV Bharat Sports Team

Published : June 10, 2025 at 10:08 AM IST

3 Min Read

હૈદરાબાદ: વેસ્ટ ઈન્ડિઝના આક્રમક બેટ્સમેન નિકોલસ પૂરને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે. તેણે માત્ર 29 વર્ષની ઉંમરે નિવૃત્તિ લઈને સમગ્ર ક્રિકેટ જગતને ચોંકાવી દીધું. પુરને ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા ચાહકો સાથે નિવૃત્તિના સમાચાર શેર કર્યા.

તમને જણાવી દઈએ કે, પૂરન વેસ્ટ ઈન્ડિઝની વ્હાઇટ બોલ ટીમનો મહત્વપૂર્ણ ભાગ હતો. તેણે વેસ્ટ ઈન્ડિઝ માટે છેલ્લી વનડે જુલાઈ 2023માં શ્રીલંકા સામે રમી હતી. તે જ સમયે તેણે ડિસેમ્બર 2024માં બાંગ્લાદેશ સામે છેલ્લી T20 આંતરરાષ્ટ્રીય મેચ પણ રમી હતી.

નિકોલસ પૂરને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું
નિકોલસ પૂરને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું (nicholas pooran Insta Post)

નિકોલસ પૂરને ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં શું લખ્યું?

પોતાની નિવૃત્તિના સમાચાર શેર કરતા નિકોલસ પૂરને ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું કે, 'ઘણી વિચાર-વિમર્શ પછી, તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે.' પૂરન થોડા સમય પહેલા સુધી T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં વેસ્ટ ઈન્ડિઝનો કેપ્ટન હતો, પરંતુ તેણે આગામી T20 વર્લ્ડ કપ પહેલા નિવૃત્તિની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા. તેમની નિવૃત્તિ સ્વાભાવિક રીતે વેસ્ટ ઈન્ડિઝ ટીમ માટે મોટો ફટકો હશે.

પુરણે પોતાની પોસ્ટમાં આગળ લખ્યું કે, "તેને જે રમત ગમે છે તેણે તેને ઘણું બધું આપ્યું છે અને તે આગળ પણ આપતો રહેશે. ખુશી, હેતુ, અવિસ્મરણીય યાદો અને વેસ્ટ ઇન્ડીઝ ટીમનું પ્રતિનિધિત્વ કરવાની તક. મરૂન રંગની જર્સી પહેરીને, રાષ્ટ્રગીત માટે ઉભા રહીને અને મેદાન પર ઉતરતી વખતે પોતાનું સર્વસ્વ આપીને… તેમના માટે તેનો ખરેખર શું અર્થ છે તે શબ્દોમાં વર્ણવવું મુશ્કેલ છે. કેપ્ટન તરીકે ટીમનું નેતૃત્વ કરવું એ એક સન્માન છે જે તેમના હૃદયમાં હંમેશા રહેશે."

નિકોલસ પૂરને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું
નિકોલસ પૂરને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું (Getty Images)

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નિકોલસ પૂરનનું પ્રદર્શન

નિકોલસ પૂરનના આંતરરાષ્ટ્રીય કારકિર્દી વિશે વાત કરીએ તો, તેણે વેસ્ટ ઈન્ડિઝ માટે 61 વનડે અને 106 ટી20 મેચ રમી હતી. 61 વનડેમાં તેમણે 39.66 ની અવરેજ અને 99.15 ના સ્ટ્રાઇક રેટથી 1983 રન બનાવ્યા. તેણે આ ફોર્મેટમાં 11 અડધી સદી અને 3 સદી ફટકારી છે.

ટી-20 ઇન્ટરનેશનલની વાત કરીએ તો, ત્યાં તેણે 106 મેચોની 97 ઇનિંગ્સમાં 136.39 ના સ્ટ્રાઇક રેટથી 2275 રન બનાવ્યા. આ સમયગાળા દરમિયાન, તેના બેટમાંથી 13 અડધી સદીની ઇનિંગ્સ જોવા મળી. પુરણને તેના આંતરરાષ્ટ્રીય કારકિર્દી દરમિયાન ક્યારેય ટેસ્ટ મેચ રમવાની તક મળી નથી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી, તે હવે વિશ્વભરની T20 લીગમાં રમતા જોવા મળશે.

નિકોલસ પૂરને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું
નિકોલસ પૂરને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું (IANS)

નિકોલસ પૂરનનું IPL 2025 માં કેવું રહ્યું પ્રદર્શન?

નિકોલસ પૂરનને IPL 2025 માં લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી 21 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો. તેની કિંમત પર ને ખરો ઉતર્યો અને આખી સિઝનમાં તેણે 14 મેચમાં 196 .25 ની સ્ટ્રાઈક રેટથી 45 ચોગ્ગા અને 40 સિક્સ સાથે 524 રન બનાવ્ચા. પૂરન LSG માટે નંબર 3 પર રમવા આવતો અને આવતાલી સાથે જ તાબડતોડ બેટિંગ કરતો.

એક જ વર્ષમાં 5 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ:

વર્ષ 2025 માં પૂરનના પહેલા અન્ય 4 દિગ્ગજ ખેલાડીઓએ ક્રિકેટ ફોર્મેટમાંથી સન્યાસ લીધો. સૌથી પહેલા 7 મેના રોજ ભારતીય ટીમના કેપ્ટન અને અનુભવી બેટ્સમેન રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી. ત્યારબાદ 5 દિવસ પછી 12 મેના રોજ, ભારતના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલીએ પણ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી. આ બાદ 2 જુનના દિવસે 2 ક્રિકેટ દિગ્ગજોએ નિવૃત્તિ જાહેર કરી. જેમાં પહેલા આસ્ટ્રેલિયાના સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે વનડે ક્રિકેટને અલવિદા કહ્યું. તેના થોડા સમય બાદ આ જ દિવસે દક્ષિણ આફ્રિકાના આક્રમક વિકેટકીપર-બેટ્સમેન હેનરિક ક્લાસેને પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી.

આ પણ વાંચો:

  1. Explainer : ઈંગ્લેન્ડના એક ખેલાડીની બરોબર આખી ટીમ ઈન્ડિયા! શું નવી ટેસ્ટ ટીમ આ રેકોર્ડમાં આગળ વધશે?
  2. SA vs AUS WTC 2025 ફાઈનલ ડ્રો થાય તો કોને મળશે વર્લ્ડ કપની ટ્રોફી, શું કહે છે ICC નો નિયમ? જાણો
  3. ENG vs IND ટેસ્ટ સિરીઝમાં જોવા મળશે બે દિગ્ગજ સચિન-એન્ડરસન, બોર્ડનો ઐતિહાસિક નિર્ણય

હૈદરાબાદ: વેસ્ટ ઈન્ડિઝના આક્રમક બેટ્સમેન નિકોલસ પૂરને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે. તેણે માત્ર 29 વર્ષની ઉંમરે નિવૃત્તિ લઈને સમગ્ર ક્રિકેટ જગતને ચોંકાવી દીધું. પુરને ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા ચાહકો સાથે નિવૃત્તિના સમાચાર શેર કર્યા.

તમને જણાવી દઈએ કે, પૂરન વેસ્ટ ઈન્ડિઝની વ્હાઇટ બોલ ટીમનો મહત્વપૂર્ણ ભાગ હતો. તેણે વેસ્ટ ઈન્ડિઝ માટે છેલ્લી વનડે જુલાઈ 2023માં શ્રીલંકા સામે રમી હતી. તે જ સમયે તેણે ડિસેમ્બર 2024માં બાંગ્લાદેશ સામે છેલ્લી T20 આંતરરાષ્ટ્રીય મેચ પણ રમી હતી.

નિકોલસ પૂરને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું
નિકોલસ પૂરને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું (nicholas pooran Insta Post)

નિકોલસ પૂરને ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં શું લખ્યું?

પોતાની નિવૃત્તિના સમાચાર શેર કરતા નિકોલસ પૂરને ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું કે, 'ઘણી વિચાર-વિમર્શ પછી, તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે.' પૂરન થોડા સમય પહેલા સુધી T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં વેસ્ટ ઈન્ડિઝનો કેપ્ટન હતો, પરંતુ તેણે આગામી T20 વર્લ્ડ કપ પહેલા નિવૃત્તિની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા. તેમની નિવૃત્તિ સ્વાભાવિક રીતે વેસ્ટ ઈન્ડિઝ ટીમ માટે મોટો ફટકો હશે.

પુરણે પોતાની પોસ્ટમાં આગળ લખ્યું કે, "તેને જે રમત ગમે છે તેણે તેને ઘણું બધું આપ્યું છે અને તે આગળ પણ આપતો રહેશે. ખુશી, હેતુ, અવિસ્મરણીય યાદો અને વેસ્ટ ઇન્ડીઝ ટીમનું પ્રતિનિધિત્વ કરવાની તક. મરૂન રંગની જર્સી પહેરીને, રાષ્ટ્રગીત માટે ઉભા રહીને અને મેદાન પર ઉતરતી વખતે પોતાનું સર્વસ્વ આપીને… તેમના માટે તેનો ખરેખર શું અર્થ છે તે શબ્દોમાં વર્ણવવું મુશ્કેલ છે. કેપ્ટન તરીકે ટીમનું નેતૃત્વ કરવું એ એક સન્માન છે જે તેમના હૃદયમાં હંમેશા રહેશે."

નિકોલસ પૂરને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું
નિકોલસ પૂરને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું (Getty Images)

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નિકોલસ પૂરનનું પ્રદર્શન

નિકોલસ પૂરનના આંતરરાષ્ટ્રીય કારકિર્દી વિશે વાત કરીએ તો, તેણે વેસ્ટ ઈન્ડિઝ માટે 61 વનડે અને 106 ટી20 મેચ રમી હતી. 61 વનડેમાં તેમણે 39.66 ની અવરેજ અને 99.15 ના સ્ટ્રાઇક રેટથી 1983 રન બનાવ્યા. તેણે આ ફોર્મેટમાં 11 અડધી સદી અને 3 સદી ફટકારી છે.

ટી-20 ઇન્ટરનેશનલની વાત કરીએ તો, ત્યાં તેણે 106 મેચોની 97 ઇનિંગ્સમાં 136.39 ના સ્ટ્રાઇક રેટથી 2275 રન બનાવ્યા. આ સમયગાળા દરમિયાન, તેના બેટમાંથી 13 અડધી સદીની ઇનિંગ્સ જોવા મળી. પુરણને તેના આંતરરાષ્ટ્રીય કારકિર્દી દરમિયાન ક્યારેય ટેસ્ટ મેચ રમવાની તક મળી નથી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી, તે હવે વિશ્વભરની T20 લીગમાં રમતા જોવા મળશે.

નિકોલસ પૂરને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું
નિકોલસ પૂરને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું (IANS)

નિકોલસ પૂરનનું IPL 2025 માં કેવું રહ્યું પ્રદર્શન?

નિકોલસ પૂરનને IPL 2025 માં લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી 21 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો. તેની કિંમત પર ને ખરો ઉતર્યો અને આખી સિઝનમાં તેણે 14 મેચમાં 196 .25 ની સ્ટ્રાઈક રેટથી 45 ચોગ્ગા અને 40 સિક્સ સાથે 524 રન બનાવ્ચા. પૂરન LSG માટે નંબર 3 પર રમવા આવતો અને આવતાલી સાથે જ તાબડતોડ બેટિંગ કરતો.

એક જ વર્ષમાં 5 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ:

વર્ષ 2025 માં પૂરનના પહેલા અન્ય 4 દિગ્ગજ ખેલાડીઓએ ક્રિકેટ ફોર્મેટમાંથી સન્યાસ લીધો. સૌથી પહેલા 7 મેના રોજ ભારતીય ટીમના કેપ્ટન અને અનુભવી બેટ્સમેન રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી. ત્યારબાદ 5 દિવસ પછી 12 મેના રોજ, ભારતના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલીએ પણ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી. આ બાદ 2 જુનના દિવસે 2 ક્રિકેટ દિગ્ગજોએ નિવૃત્તિ જાહેર કરી. જેમાં પહેલા આસ્ટ્રેલિયાના સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે વનડે ક્રિકેટને અલવિદા કહ્યું. તેના થોડા સમય બાદ આ જ દિવસે દક્ષિણ આફ્રિકાના આક્રમક વિકેટકીપર-બેટ્સમેન હેનરિક ક્લાસેને પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી.

આ પણ વાંચો:

  1. Explainer : ઈંગ્લેન્ડના એક ખેલાડીની બરોબર આખી ટીમ ઈન્ડિયા! શું નવી ટેસ્ટ ટીમ આ રેકોર્ડમાં આગળ વધશે?
  2. SA vs AUS WTC 2025 ફાઈનલ ડ્રો થાય તો કોને મળશે વર્લ્ડ કપની ટ્રોફી, શું કહે છે ICC નો નિયમ? જાણો
  3. ENG vs IND ટેસ્ટ સિરીઝમાં જોવા મળશે બે દિગ્ગજ સચિન-એન્ડરસન, બોર્ડનો ઐતિહાસિક નિર્ણય
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.