ETV Bharat / sports

બેંગલુરુમાં ભાગદોડમાં માર્યા ગયેલા 11 મૃતકોના પરિવાર માટે RCB ની મોટી જાહેરાત! - 11 KILLED IN BENGALURU STAMPEDE

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ફ્રેન્ચાઈઝીએ બેંગલુરુમાં થયેલી ભાગદોડમાં માર્યા ગયેલા લોકોના પરિવારોને વળતરની આપવાની જાહેરાત કરી છે.

બેંગલાર વિધાનસૌધા પાસે RCB ફેન્સની ભારે ભીડ
બેંગલાર વિધાનસૌધા પાસે RCB ફેન્સની ભારે ભીડ (IANS)
author img

By ETV Bharat Sports Team

Published : June 5, 2025 at 5:23 PM IST

Updated : June 5, 2025 at 6:18 PM IST

2 Min Read

બેંગલુરુ : 4 જુને, IPL 2025નો ખિતાબ જીત્યા બાદ RCB ના સન્માન સમારોહ દરમિયાન ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડમાં 11 લોકોના મોત થયા. આ ઉપરાંત આ ઘટનામાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અકસ્માતે RCBના IPL 2025 માં ચેમ્પિયન બનવાની ખુશીને દુઃખમાં ફેરવી દીધી.

બેંગલાર વિધાનસૌધા પાસે RCB ફેન્સની ભારે ભીડ
બેંગલાર વિધાનસૌધા પાસે RCB ફેન્સની ભારે ભીડ (IANS)

બુધવારે સાંજે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે ચેમ્પિયન RCB માટે એક સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમ જોવા માટે હજારો ચાહકો અહીં પહોંચ્યા હતા. સ્ટેડિયમની અંદર કરતાં બહાર રસ્તા પર વધુ લોકો ઉભા હતા અને નાસભાગ મચી ગઈ.

RCB તરફથી સંવેદના:

આવી સ્થિતિમાં, RCB એ ભાગદોડની ઘટનામાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે, અને નાણાકીય સહાયની જાહેરાત કરી છે. RCB એક સત્તાવાર નિવેદન જાહેર કરીને કહ્યું કે, 'ગઈકાલે બેંગલુરુમાં બનેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાએ આરસીબી પરિવારને ખૂબ જ દુઃખ અને પીડા આપી છે. આદર અને એકતાના પ્રતીક તરીકે, RCB એ મૃતકોના અગિયાર પરિવારોને પ્રત્યેકને 10 લાખ રૂપિયાની નાણાકીય સહાયની જાહેરાત કરી છે.

કર્ણાટક ભાજપના અધ્યક્ષ વિજયેન્દ્ર યેદિયુરપ્પાએ  ઘાયલ લોકોને મળ્યા
કર્ણાટક ભાજપના અધ્યક્ષ વિજયેન્દ્ર યેદિયુરપ્પાએ ઘાયલ લોકોને મળ્યા (IANS)

આ ઉપરાંત, આ દુ:ખદ ઘટનામાં ઘાયલ થયેલા ચાહકોને મદદ કરવા માટે RCB કેર્સ નામનું એક ફંડ પણ બનાવવામાં આવી રહ્યું છે. અમારા ચાહકો હંમેશા અમારા દરેક કાર્યના કેન્દ્રમાં રહેશે. આપણે દુઃખમાં પણ એક રહીએ છીએ.

RCB ની ભારે ટીકા થઈ :

RCB એ 3 જૂને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલી ફાઇનલ મેચમાં પંજાબ કિંગ્સને હરાવીને ટાઇટલ જીત્યું હતું. આ RCB ની પહેલી IPL ટ્રોફી હતી. આરસીબીની જીત સાથે, ચાહકો મધ્યરાત્રિએ બેંગલુરુના રસ્તાઓ પર બહાર આવ્યા અને ફટાકડા ફોડવા લાગ્યા.

બેંગલુરુમાં ભાગદોડમાં માર્યા ગયેલા 11 ચાહકોના પરિવારો માટે RCB ની માટી જાહેરાત
બેંગલુરુમાં ભાગદોડમાં માર્યા ગયેલા 11 ચાહકોના પરિવારો માટે RCB ની માટી જાહેરાત (IANS)

આ પછી, 4 જૂને બેંગલુરુમાં RCB માટે વિજય પરેડ યોજાવાની હતી. જોકે, ચાહકોની મોટી હાજરીને કારણે, વહીવટીતંત્રે વિજય પરેડ રદ કરવાનું કહ્યું, પરંતુ તેમ છતાં, જ્યારે RCB ટીમ બેંગલુરુમાં વિધાનસભા પહોંચી, ત્યારે ચાહકોની ભારે ભીડ એકઠી થઈ ગઈ. RCBના ચાહકો તેમના ચેમ્પિયન ખેલાડીઓની એક ઝલક મેળવવા માટે એસેમ્બલીની બાઉન્ડ્રી વોલ પર ચઢી ગયા. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પણ આવી જ સ્થિતિ સર્જાઈ હતી જ્યાં કમનસીબ ભાગદોડ મચી ગઈ અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થઈ ગયા.

આ પણ વાંચો:

  1. RCBની વિજય પરેડ પહેલા ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર ભાગદોડ, 11 લોકોના મોત, 20 થી વધુ ઘાયલ
  2. 'IPL નું રિશિડ્યુલ RCB માટે ઉપયોગી બન્યું'... RCB ના હેડ કોચનું ફાઈનલ જીત્યા બાદ મોટું નિવેદન
  3. વડોદરાના આ ખેલાડીના કારણે RCB એ જીતી પહેલી IPL ટ્રોફી… બનાવ્યો એક અનોખો રેકોર્ડ

બેંગલુરુ : 4 જુને, IPL 2025નો ખિતાબ જીત્યા બાદ RCB ના સન્માન સમારોહ દરમિયાન ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડમાં 11 લોકોના મોત થયા. આ ઉપરાંત આ ઘટનામાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અકસ્માતે RCBના IPL 2025 માં ચેમ્પિયન બનવાની ખુશીને દુઃખમાં ફેરવી દીધી.

બેંગલાર વિધાનસૌધા પાસે RCB ફેન્સની ભારે ભીડ
બેંગલાર વિધાનસૌધા પાસે RCB ફેન્સની ભારે ભીડ (IANS)

બુધવારે સાંજે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે ચેમ્પિયન RCB માટે એક સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમ જોવા માટે હજારો ચાહકો અહીં પહોંચ્યા હતા. સ્ટેડિયમની અંદર કરતાં બહાર રસ્તા પર વધુ લોકો ઉભા હતા અને નાસભાગ મચી ગઈ.

RCB તરફથી સંવેદના:

આવી સ્થિતિમાં, RCB એ ભાગદોડની ઘટનામાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે, અને નાણાકીય સહાયની જાહેરાત કરી છે. RCB એક સત્તાવાર નિવેદન જાહેર કરીને કહ્યું કે, 'ગઈકાલે બેંગલુરુમાં બનેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાએ આરસીબી પરિવારને ખૂબ જ દુઃખ અને પીડા આપી છે. આદર અને એકતાના પ્રતીક તરીકે, RCB એ મૃતકોના અગિયાર પરિવારોને પ્રત્યેકને 10 લાખ રૂપિયાની નાણાકીય સહાયની જાહેરાત કરી છે.

કર્ણાટક ભાજપના અધ્યક્ષ વિજયેન્દ્ર યેદિયુરપ્પાએ  ઘાયલ લોકોને મળ્યા
કર્ણાટક ભાજપના અધ્યક્ષ વિજયેન્દ્ર યેદિયુરપ્પાએ ઘાયલ લોકોને મળ્યા (IANS)

આ ઉપરાંત, આ દુ:ખદ ઘટનામાં ઘાયલ થયેલા ચાહકોને મદદ કરવા માટે RCB કેર્સ નામનું એક ફંડ પણ બનાવવામાં આવી રહ્યું છે. અમારા ચાહકો હંમેશા અમારા દરેક કાર્યના કેન્દ્રમાં રહેશે. આપણે દુઃખમાં પણ એક રહીએ છીએ.

RCB ની ભારે ટીકા થઈ :

RCB એ 3 જૂને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલી ફાઇનલ મેચમાં પંજાબ કિંગ્સને હરાવીને ટાઇટલ જીત્યું હતું. આ RCB ની પહેલી IPL ટ્રોફી હતી. આરસીબીની જીત સાથે, ચાહકો મધ્યરાત્રિએ બેંગલુરુના રસ્તાઓ પર બહાર આવ્યા અને ફટાકડા ફોડવા લાગ્યા.

બેંગલુરુમાં ભાગદોડમાં માર્યા ગયેલા 11 ચાહકોના પરિવારો માટે RCB ની માટી જાહેરાત
બેંગલુરુમાં ભાગદોડમાં માર્યા ગયેલા 11 ચાહકોના પરિવારો માટે RCB ની માટી જાહેરાત (IANS)

આ પછી, 4 જૂને બેંગલુરુમાં RCB માટે વિજય પરેડ યોજાવાની હતી. જોકે, ચાહકોની મોટી હાજરીને કારણે, વહીવટીતંત્રે વિજય પરેડ રદ કરવાનું કહ્યું, પરંતુ તેમ છતાં, જ્યારે RCB ટીમ બેંગલુરુમાં વિધાનસભા પહોંચી, ત્યારે ચાહકોની ભારે ભીડ એકઠી થઈ ગઈ. RCBના ચાહકો તેમના ચેમ્પિયન ખેલાડીઓની એક ઝલક મેળવવા માટે એસેમ્બલીની બાઉન્ડ્રી વોલ પર ચઢી ગયા. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પણ આવી જ સ્થિતિ સર્જાઈ હતી જ્યાં કમનસીબ ભાગદોડ મચી ગઈ અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થઈ ગયા.

આ પણ વાંચો:

  1. RCBની વિજય પરેડ પહેલા ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર ભાગદોડ, 11 લોકોના મોત, 20 થી વધુ ઘાયલ
  2. 'IPL નું રિશિડ્યુલ RCB માટે ઉપયોગી બન્યું'... RCB ના હેડ કોચનું ફાઈનલ જીત્યા બાદ મોટું નિવેદન
  3. વડોદરાના આ ખેલાડીના કારણે RCB એ જીતી પહેલી IPL ટ્રોફી… બનાવ્યો એક અનોખો રેકોર્ડ
Last Updated : June 5, 2025 at 6:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.