હૈદરાબાદ: ભારતના ભૂતપૂર્વ બેટ્સમેન અને પ્રખ્યાત કોમેન્ટેટર આકાશ ચોપરા માને છે કે, રોહિત શર્મા આગામી IPL 2025 જે 22 માર્ચથી શરૂ થવાની છે, તેમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI)નું નેતૃત્વ કરશે નહીં.
IPL 2024 માં સ્લો ઓવર રેટ ઉલ્લંઘનને કારણે મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને ચેન્નાઈમાં કટ્ટર હરીફ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામેની સીઝનની શરૂઆતની મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આનાથી 23 માર્ચે ચેન્નાઈના પ્રતિષ્ઠિત એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે CSK સામે મુંબઈ ઈન્ડિયન્સનું નેતૃત્વ કોણ કરશે તે અંગે અટકળો વધી ગઈ છે.
🎶 𝘼𝙗 𝙢𝙖𝙨𝙝𝙖𝙖𝙡𝙤𝙣 𝙨𝙚 𝙗𝙖𝙙𝙝 𝙧𝙖𝙝𝙞 𝙝𝙖𝙞 𝙡𝙖𝙪 𝙢𝙚𝙧𝙞.. 🎶
— Mumbai Indians (@mipaltan) March 16, 2025
HP is home. 🏟#MumbaiIndians #PlayLikeMumbai pic.twitter.com/Hme7LRiaTo
સ્ટાર સ્પોર્ટ્સ પ્રેસ રૂમમાં વિસ્ફોટક રેન્કિંગ પર બોલતા, આકાશ ચોપરાએ ETV ભારત દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતા, રોહિતને ફરીથી કેપ્ટનશીપ સોંપવાની શક્યતાને નકારી કાઢી. તેમણે કહ્યું કે "રોહિત શર્માએ રાજીનામું આપી દીધું છે અને તે તેને પાછું નહીં લે,"
"રોહિત શર્માએ તે એકવાર કેપ્ટન પદ પર પરથી રાજીનામું આપી દીધું પછી હવે મને નથી લાગતું કે કોઈ કામચલાઉ ફેરફાર થશે અને તેઓ એક મેચ માટે કેપ્ટનશીપ કરશે. સૂર્યકુમાર યાદવ કદાચ કેપ્ટન માટે પસંદગી પાત્ર હશે. તે તમારી ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન છે અને તેથી ફ્રેન્ચાઇઝી તેની પાસે જશે,"
Surya Dada chi entry + full on training = 1️⃣ solid #MIDaily 💪🔥
— Mumbai Indians (@mipaltan) March 17, 2025
Miss mat karna! Full video dekho 👉 https://t.co/3S0a767zaK
#MumbaiIndians #PlayLikeMumbai pic.twitter.com/w1oHoHZwfo
તેમણે એવું પણ સૂચન કર્યું કે, હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં ભારતના T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ પાંચ વખતના ચેમ્પિયન ટીમનું નેતૃત્વ કરી શકે છે. ફ્રેન્ચાઇઝીના કેપ્ટનપદેથી દૂર થયા બાદ અને હાર્દિક પંડ્યા અને તેમના વચ્ચેના ઝઘડા બાદ, ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા મુંબઈ ઇન્ડિયન્સ છોડી દેશે અને IPL 2025 ની હરાજીમાં તેને ખરીદવામાં આવશે તેવી અટકળો ચાલી રહી હતી. જોકે, મુંબઈકરને ટીમમાં જાળવી રાખવામાં આવ્યો હતો જ્યારે હાર્દિક ટીમનું નેતૃત્વ ચાલુ રાખશે.
એક શાનદાર ઓલરાઉન્ડર હાર્દિકના નેતૃત્વમાં, મુંબઈ ઇન્ડિયન્સ તેમની રેકોર્ડ છઠ્ઠી ટ્રોફી અને ફ્રેન્ચાઇઝ માટે એકંદરે 13મી ટ્રોફી જીતવા માટે ઉત્સુક રહેશે.
આ પણ વાંચો: