ETV Bharat / spiritual

આ રાશિના લોકોના જીવનમાં વધી શકે છે મુશ્કેલી ! શનિ અને રાહુના સંયોગથી બની રહ્યો છે પિશાચ યોગ - SHANI GOCHAR 2025

29 માર્ચે શનિનું મીન રાશિમાં પ્રવેશ થવાથી તે રાહું સાથે મળીને પિશાચ યોગ બનાવશે, જે કેટલીક રાશિઓ માટે નકારાત્મક સાબિત થઈ શકે છે.

શનિ રાહુનો સંયોગ બનાવે છે પિશાચ યોગ
શનિ રાહુનો સંયોગ બનાવે છે પિશાચ યોગ (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : March 23, 2025 at 5:47 PM IST

2 Min Read

હૈદરાબાદ: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, શનિ અને છાયા ગ્રહ રાહુ જ્યારે એક જ ઘરમાં હોય છે ત્યારે પિશાચ યોગ બને છે. આ સંયોગ 29 માર્ચે મીન રાશિમાં બનવા જઈ રહ્યું છે. કારણ કે 29 માર્ચે અઢી વર્ષ બાદ શનિદેવ રાશિ બદલી રહ્યા છે અને મીન રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. શનિ અને રાહુનું એક સાથે આવવું 29 માર્ચથી પછીના 51 દિવસો સુધી જીવનમાં ઉતાર ચઢાવ અને પરિવર્તન લાવશે. ખાસ કરીને જળ તત્વની રાશિઓ પર તેનો પ્રભાવ સૌથી વધુ થવાનો છે. આ સમય સંયમ અને ધીરજ રાખવાનો છે. તો ચાલો દિલ્હીના જ્યોતિષ આદિત્ય ઝાથી જાણીએ કે આ મહાસંયોગનો અલગ અલગ રાશિઓ પર કેવો પ્રભાવ થશે તેમજ તેના માટેના ઉપાય શું છે.

મેષ રાશિ: આ સંયોગ તમારા બારમાં ઘરમાં બની રહ્યો છે. જેનાથી કરિયર અને સ્થાન બદલાવાની શક્યતા રહેશે. માનસિક રીતે આવતા પરિવર્તન માટે તૈયાર રહેજો, કારણ કે પરિવર્તન સારો કે ખરાબ બંને હોઈ શકે છે. ખર્ચ વધશે આથી આર્થિક નાણાકીય વ્યવસ્થા પર ધ્યાન રાખજો. બાળકોને લઈને ચિંતા થઈ શકે છે.

ઉપાય: દર શનિવારે સાંજે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો કરવો અને પ્રાર્થના કરવી, આનાથી તમને આવનારી સમસ્યાથી રાહત મળશે.

વૃષભ રાશિ: ક્યાંક અટકેલા રૂપિયા મળવાની સંભાવના છે. કરિયરમાં સકારાત્મક પરિવર્તન આવશે. ધંધા અને નોકરીમાં સારી તકો મળી શકે છે.

ઉપાય: દરરોજ સાંજે “ઓમ શં શનૈશ્ચરાય નમઃ” મંત્રનો જાપ કરો. જરૂરિયાત કરતા વધારે કોઈના પર વિશ્વાસ ન કરો.

મિથુન રાશિ: કારકિર્દીમાં નોકરીમાંથી બિઝનેસ, ટ્રાન્સફર અથવા નવી કંપનીમાં બદલાવ જેવા મોટો ફેરફાર થઈ શકે છે. મિલકત સંબંધિત કોઈપણ વિવાદ ઉકેલાશે. લાંબી મુસાફરીની શક્યતાઓ છે.

ઉપાય: દર શનિવારે દાન કરો, જરૂરિયાતમંદોને ખાદ્યપદાર્થો આપો.

કર્ક રાશિ: અપરિણીત લોકો માટે લગ્નની સંભાવનાઓ છે. કરિયરમાં દબાણ અને તણાવ વધી શકે છે. સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવાની જરૂર રહેશે.

ઉપાય: દર શનિવારે સાંજે પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવો અને પ્રાર્થના કરો.

સિંહ રાશિ: હૃદય અને બ્લડ પ્રેશરને લગતી સમસ્યાઓ થઈ શકે છે. અકસ્માત થવાની સંભાવના છે, સાવચેત રહો. નોકરી અને વ્યવસાયમાં જોખમ ન લેવું.

ઉપાય: શનિવારે મધ્ય આંગળીમાં લોખંડની વીંટી પહેરો. વિચાર્યા વગર કોઈ મોટો નિર્ણય ન લો.

કન્યા રાશિ: બાળકોના સ્વાસ્થ્ય કે શિક્ષણને લગતી ચિંતાઓ રહી શકે છે. લગ્ન કરવા ઈચ્છતા લોકોને સફળતા મળી શકે છે. પારિવારિક જીવનમાં કેટલાક ઉતાર-ચઢાવ આવી શકે છે.

ઉપાય: દરરોજ સાંજે “ઓમ શં શનૈશ્ચરાય નમઃ” મંત્રનો જાપ કરો.

તુલા રાશિ: જીવનમાં ઉન્નતિના સંકેત મળશે. કરિયર, સંપત્તિ અને સ્વાસ્થ્યમાં સુધારો થશે. પ્રેમ સંબંધોમાં વિવાદ ટાળો, નહીંતર માનહાનિ થઈ શકે છે.

ઉપાય: શનિવારે ખાદ્યપદાર્થોનું દાન કરો.

આ પણ વાંચો:

  1. આ છોડ લગાવવાથી ધનની પ્રાપ્તિ થશે, ઘરમાં આવશે પોજીટિવિટી
  2. સાપ્તાહિક રાશિફળ: માર્ચનું છેલ્લું અઠવાડિયું કઈ રાશિના જાતકોને ફળશે, કોને મળશે ભાગ્યનો સાથે? વાંચો

હૈદરાબાદ: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, શનિ અને છાયા ગ્રહ રાહુ જ્યારે એક જ ઘરમાં હોય છે ત્યારે પિશાચ યોગ બને છે. આ સંયોગ 29 માર્ચે મીન રાશિમાં બનવા જઈ રહ્યું છે. કારણ કે 29 માર્ચે અઢી વર્ષ બાદ શનિદેવ રાશિ બદલી રહ્યા છે અને મીન રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. શનિ અને રાહુનું એક સાથે આવવું 29 માર્ચથી પછીના 51 દિવસો સુધી જીવનમાં ઉતાર ચઢાવ અને પરિવર્તન લાવશે. ખાસ કરીને જળ તત્વની રાશિઓ પર તેનો પ્રભાવ સૌથી વધુ થવાનો છે. આ સમય સંયમ અને ધીરજ રાખવાનો છે. તો ચાલો દિલ્હીના જ્યોતિષ આદિત્ય ઝાથી જાણીએ કે આ મહાસંયોગનો અલગ અલગ રાશિઓ પર કેવો પ્રભાવ થશે તેમજ તેના માટેના ઉપાય શું છે.

મેષ રાશિ: આ સંયોગ તમારા બારમાં ઘરમાં બની રહ્યો છે. જેનાથી કરિયર અને સ્થાન બદલાવાની શક્યતા રહેશે. માનસિક રીતે આવતા પરિવર્તન માટે તૈયાર રહેજો, કારણ કે પરિવર્તન સારો કે ખરાબ બંને હોઈ શકે છે. ખર્ચ વધશે આથી આર્થિક નાણાકીય વ્યવસ્થા પર ધ્યાન રાખજો. બાળકોને લઈને ચિંતા થઈ શકે છે.

ઉપાય: દર શનિવારે સાંજે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો કરવો અને પ્રાર્થના કરવી, આનાથી તમને આવનારી સમસ્યાથી રાહત મળશે.

વૃષભ રાશિ: ક્યાંક અટકેલા રૂપિયા મળવાની સંભાવના છે. કરિયરમાં સકારાત્મક પરિવર્તન આવશે. ધંધા અને નોકરીમાં સારી તકો મળી શકે છે.

ઉપાય: દરરોજ સાંજે “ઓમ શં શનૈશ્ચરાય નમઃ” મંત્રનો જાપ કરો. જરૂરિયાત કરતા વધારે કોઈના પર વિશ્વાસ ન કરો.

મિથુન રાશિ: કારકિર્દીમાં નોકરીમાંથી બિઝનેસ, ટ્રાન્સફર અથવા નવી કંપનીમાં બદલાવ જેવા મોટો ફેરફાર થઈ શકે છે. મિલકત સંબંધિત કોઈપણ વિવાદ ઉકેલાશે. લાંબી મુસાફરીની શક્યતાઓ છે.

ઉપાય: દર શનિવારે દાન કરો, જરૂરિયાતમંદોને ખાદ્યપદાર્થો આપો.

કર્ક રાશિ: અપરિણીત લોકો માટે લગ્નની સંભાવનાઓ છે. કરિયરમાં દબાણ અને તણાવ વધી શકે છે. સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવાની જરૂર રહેશે.

ઉપાય: દર શનિવારે સાંજે પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવો અને પ્રાર્થના કરો.

સિંહ રાશિ: હૃદય અને બ્લડ પ્રેશરને લગતી સમસ્યાઓ થઈ શકે છે. અકસ્માત થવાની સંભાવના છે, સાવચેત રહો. નોકરી અને વ્યવસાયમાં જોખમ ન લેવું.

ઉપાય: શનિવારે મધ્ય આંગળીમાં લોખંડની વીંટી પહેરો. વિચાર્યા વગર કોઈ મોટો નિર્ણય ન લો.

કન્યા રાશિ: બાળકોના સ્વાસ્થ્ય કે શિક્ષણને લગતી ચિંતાઓ રહી શકે છે. લગ્ન કરવા ઈચ્છતા લોકોને સફળતા મળી શકે છે. પારિવારિક જીવનમાં કેટલાક ઉતાર-ચઢાવ આવી શકે છે.

ઉપાય: દરરોજ સાંજે “ઓમ શં શનૈશ્ચરાય નમઃ” મંત્રનો જાપ કરો.

તુલા રાશિ: જીવનમાં ઉન્નતિના સંકેત મળશે. કરિયર, સંપત્તિ અને સ્વાસ્થ્યમાં સુધારો થશે. પ્રેમ સંબંધોમાં વિવાદ ટાળો, નહીંતર માનહાનિ થઈ શકે છે.

ઉપાય: શનિવારે ખાદ્યપદાર્થોનું દાન કરો.

આ પણ વાંચો:

  1. આ છોડ લગાવવાથી ધનની પ્રાપ્તિ થશે, ઘરમાં આવશે પોજીટિવિટી
  2. સાપ્તાહિક રાશિફળ: માર્ચનું છેલ્લું અઠવાડિયું કઈ રાશિના જાતકોને ફળશે, કોને મળશે ભાગ્યનો સાથે? વાંચો
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.