વોશિંગ્ટન: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા બાદ ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સમર્થન મળી રહ્યું છે. આ ક્રમમાં અમેરિકાએ એક મોટી જાહેરાત કરી છે. અમેરિકાએ કહ્યું છે કે તે પહેલગામ હુમલાના આતંકવાદીઓને પકડવામાં ભારતને મદદ કરશે. ટ્રમ્પ વહીવટીતંત્રમાં નેશનલ ઇન્ટેલિજન્સ (DNI) ના ડિરેક્ટર તુલસી ગબાર્ડ દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી. તેમણે આ ભયાનક હુમલાની સખત નિંદા કરી અને ભારતના લોકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી.
નેશનલ ઇન્ટેલિજન્સ (DNI)ના ડિરેક્ટર તુલસી ગબાર્ડે શુક્રવારે જણાવ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્ર અમેરિકા જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા "ભયાનક ઇસ્લામિક આતંકવાદી હુમલા"ના ગુનેગારોને શોધવામાં ભારતના પ્રયાસોને સમર્થન આપે છે.
We stand in solidarity with India in the wake of the horrific Islamist terrorist attack, targeting and killing 26 Hindus in Pahalgam. My prayers and deepest sympathies are with those who lost a loved one, PM @narendramodi, and with all the people of India. We are with you and…
— DNI Tulsi Gabbard (@DNIGabbard) April 25, 2025
પહેલગામમાં થયેલો આ આતંકવાદી હુમલો કાશ્મીરમાં અત્યાર સુધીના સૌથી ક્રૂર હુમલાઓમાંનો એક છે, જેમાં 26 પ્રવાસીઓને નિશાન બનાવીને મોતને ઘાટ ઉતાર્યા, ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે હુમલા માટે જવાબદાર લોકોને કોઈપણ કિંમતે છોડવામાં આવશે નહીં. આ વિસ્તારમાં સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓને એલર્ટ પર રાખવામાં આવી છે.
તુલસી ગબાર્ડે તેના X એકાઉન્ટ પર પોસ્ટ કરીને લખ્યું, "પહલગામમાં 26 હિન્દુઓને નિશાન બનાવીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા, આ ભયાનક ઇસ્લામિક આતંકવાદી હુમલા બાદ અમે ભારત સાથે એકતામાં છીએ. મારી પ્રાર્થના અને ઊંડી સંવેદના તે લોકો સાથે છે જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે. અમે તમારી સાથે ઉભા છીએ અને આ જઘન્ય હુમલા માટે જવાબદાર લોકોને દબોચવામાં તમને ટેકો આપીશું.
તમને જણાવી દઈએ કે પહેલગામમાં થયેલો આ આતંકવાદી હુમલો કાશ્મીરમાં અત્યાર સુધીના સૌથી બર્બર હુમલાઓમાંનો એક છે, જેમાં 26 પ્રવાસીઓને નિશાન બનાવીને માર્યા ગયા હતા. ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે હુમલા માટે જવાબદાર લોકોને કોઈપણ કિંમતે છોડવામાં આવશે નહીં. આ વિસ્તારમાં સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓને એલર્ટ પર રાખવામાં આવી છે. ભારતે આતંકવાદને પ્રોત્સાહન આપવા બદલ પાકિસ્તાન પર અનેક પ્રતિબંધો પણ લગાવ્યા છે.