ETV Bharat / international

પાકિસ્તાને આપ્યો વળતો જવાબ ! વાઘા બોર્ડર બંધ કરવાની જાહેરાત, ભારત સાથે વેપાર પણ સ્થગિત - PAHALGAM TERRORIST ATTACK

પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારત દ્વારા લેવામાં આવેલા કડક પગલાંના જવાબમાં પાકિસ્તાન સરકારે મોટા નિર્ણયો લીધા છે. જાણો સમગ્ર વિગત...

ફાઈલ ફોટો
વડાપ્રધાન શાહબાઝ શરીફ (IANS)
author img

By ETV Bharat Gujarati Team

Published : April 25, 2025 at 9:36 AM IST

Updated : April 25, 2025 at 9:58 AM IST

2 Min Read

પાકિસ્તાન : જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત દ્વારા લેવામાં આવેલા કડક પગલાંના જવાબમાં, પાકિસ્તાને પણ ગુરુવારે વાઘા બોર્ડર બંધ કરવાની જાહેરાત કરી છે. રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની (NSC) બેઠક બાદ આ જાહેરાત કરવામાં આવી હતી. આ બેઠકની અધ્યક્ષતા વડાપ્રધાન શાહબાઝ શરીફે કરી હતી.

રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની (NSC) બેઠક : વડાપ્રધાન શાહબાઝ શરીફની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની (NSC) બેઠક યોજાઈ હતી. પાકિસ્તાન પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) દ્વારા જારી કરાયેલા એક નિવેદન અનુસાર, બેઠકમાં ભાગ લેનારાઓએ રાષ્ટ્રીય સુરક્ષા વાતાવરણ અને પ્રાદેશિક પરિસ્થિતિ પર ચર્ચા કરી હતી. જે બાદ પાકિસ્તાન સરકારે કેટલાક મોટા નિર્ણયો લીધા છે.

ભારત સરકારના નિર્ણયોની સમીક્ષા : વડાપ્રધાન શાહબાઝ શરીફની અધ્યક્ષતામાં આયોજિત બેઠકમાં પહેલગામમાં પ્રવાસીઓના જીવ ગુમાવવા પર ચિંતા વ્યક્ત કરતા રાષ્ટ્રીય સુરક્ષા સમિતિએ 23 એપ્રિલ, 2025 ના રોજ જાહેર કરાયેલા ભારતીય પગલાંની સમીક્ષા કરી હતી. સાથે જ ભારત સરકારના નિર્ણયોને એકપક્ષીય, અન્યાયી, રાજકીય રીતે પ્રેરિત, અત્યંત બેજવાબદાર અને કાનૂની યોગ્યતાથી વંચિત ગણાવ્યા હતા.

પાકિસ્તાન સરકારનો વળતો જવાબ : રોઇટર્સના અહેવાલ મુજબ, પાકિસ્તાન સરકારે ભારતની માલિકીની અને ભારત સંચાલિત તમામ એરલાઇન્સ માટે તેના હવાઈ ક્ષેત્રને તાત્કાલિક બંધ કરવાની જાહેરાત કરી. સાથે જ પાકિસ્તાને ભારત સાથેના તમામ વેપારને સ્થગિત કરી દીધા છે, જેમાં પાકિસ્તાન દ્વારા ત્રીજા દેશોમાં પરિવહન થતા માલનો પણ સમાવેશ થાય છે. પાકિસ્તાને સિંધુ જળ સંધિને સ્થગિત કરવાના ભારતના નિર્ણય સામે પણ વાંધો વ્યક્ત કર્યો છે.

શિમલા કરાર સ્થગિત : ડોનના અહેવાલ મુજબ પાકિસ્તાન સરકારે 1972ના શિમલા કરારને પણ સ્થગિત કરી દીધો છે. સાથે જ ભારત સાથે વાઘા સરહદ બંધ કરવાની જાહેરાત કરી. પાકિસ્તાન PMO નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "પાકિસ્તાન ભારત સાથેના તમામ દ્વિપક્ષીય કરારોને સ્થગિત કરવાનો અધિકાર રાખે છે, જેમાં શિમલા કરારનો પણ સમાવેશ થાય છે."

વાઘા બોર્ડર બંધ કરવાની જાહેરાત : રાષ્ટ્રીય સુરક્ષા સમિતિએ નિર્ણય લીધો, "પાકિસ્તાન વાઘા બોર્ડર ક્રોસિંગ તાત્કાલિક અસરથી બંધ કરશે. આ રૂટ દ્વારા ભારતથી થતી તમામ ક્રોસ બોર્ડર ટ્રાન્ઝિટ કોઈપણ અપવાદ વિના સ્થગિત કરવામાં આવશે અને માન્ય સમર્થન સાથે તે રૂટ દ્વારા પાછા ફરનારાઓને 30 એપ્રિલની સમયમર્યાદા આપવામાં આવશે."

પાકિસ્તાને આપી ચેતવણી...

પાકિસ્તાન સરકારે ચેતવણી આપતા જણાવ્યું કે, "સિંધુ જળ સંધિ હેઠળ પાકિસ્તાનના પાણીના પ્રવાહને અવરોધવાનો અથવા તેને વાળવાનો અને નીચલા નદીના ક્ષેત્રમાં તેના અધિકારોનું ઉલ્લંઘન કરવાનો કોઈપણ પ્રયાસ યુદ્ધની કાર્યવાહી તરીકે ગણવામાં આવશે. રાષ્ટ્રીય શક્તિના સંપૂર્ણ સ્પેક્ટ્રમમાં સંપૂર્ણ બળથી જવાબ આપવામાં આવશે."

પાકિસ્તાન : જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત દ્વારા લેવામાં આવેલા કડક પગલાંના જવાબમાં, પાકિસ્તાને પણ ગુરુવારે વાઘા બોર્ડર બંધ કરવાની જાહેરાત કરી છે. રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની (NSC) બેઠક બાદ આ જાહેરાત કરવામાં આવી હતી. આ બેઠકની અધ્યક્ષતા વડાપ્રધાન શાહબાઝ શરીફે કરી હતી.

રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની (NSC) બેઠક : વડાપ્રધાન શાહબાઝ શરીફની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની (NSC) બેઠક યોજાઈ હતી. પાકિસ્તાન પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) દ્વારા જારી કરાયેલા એક નિવેદન અનુસાર, બેઠકમાં ભાગ લેનારાઓએ રાષ્ટ્રીય સુરક્ષા વાતાવરણ અને પ્રાદેશિક પરિસ્થિતિ પર ચર્ચા કરી હતી. જે બાદ પાકિસ્તાન સરકારે કેટલાક મોટા નિર્ણયો લીધા છે.

ભારત સરકારના નિર્ણયોની સમીક્ષા : વડાપ્રધાન શાહબાઝ શરીફની અધ્યક્ષતામાં આયોજિત બેઠકમાં પહેલગામમાં પ્રવાસીઓના જીવ ગુમાવવા પર ચિંતા વ્યક્ત કરતા રાષ્ટ્રીય સુરક્ષા સમિતિએ 23 એપ્રિલ, 2025 ના રોજ જાહેર કરાયેલા ભારતીય પગલાંની સમીક્ષા કરી હતી. સાથે જ ભારત સરકારના નિર્ણયોને એકપક્ષીય, અન્યાયી, રાજકીય રીતે પ્રેરિત, અત્યંત બેજવાબદાર અને કાનૂની યોગ્યતાથી વંચિત ગણાવ્યા હતા.

પાકિસ્તાન સરકારનો વળતો જવાબ : રોઇટર્સના અહેવાલ મુજબ, પાકિસ્તાન સરકારે ભારતની માલિકીની અને ભારત સંચાલિત તમામ એરલાઇન્સ માટે તેના હવાઈ ક્ષેત્રને તાત્કાલિક બંધ કરવાની જાહેરાત કરી. સાથે જ પાકિસ્તાને ભારત સાથેના તમામ વેપારને સ્થગિત કરી દીધા છે, જેમાં પાકિસ્તાન દ્વારા ત્રીજા દેશોમાં પરિવહન થતા માલનો પણ સમાવેશ થાય છે. પાકિસ્તાને સિંધુ જળ સંધિને સ્થગિત કરવાના ભારતના નિર્ણય સામે પણ વાંધો વ્યક્ત કર્યો છે.

શિમલા કરાર સ્થગિત : ડોનના અહેવાલ મુજબ પાકિસ્તાન સરકારે 1972ના શિમલા કરારને પણ સ્થગિત કરી દીધો છે. સાથે જ ભારત સાથે વાઘા સરહદ બંધ કરવાની જાહેરાત કરી. પાકિસ્તાન PMO નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "પાકિસ્તાન ભારત સાથેના તમામ દ્વિપક્ષીય કરારોને સ્થગિત કરવાનો અધિકાર રાખે છે, જેમાં શિમલા કરારનો પણ સમાવેશ થાય છે."

વાઘા બોર્ડર બંધ કરવાની જાહેરાત : રાષ્ટ્રીય સુરક્ષા સમિતિએ નિર્ણય લીધો, "પાકિસ્તાન વાઘા બોર્ડર ક્રોસિંગ તાત્કાલિક અસરથી બંધ કરશે. આ રૂટ દ્વારા ભારતથી થતી તમામ ક્રોસ બોર્ડર ટ્રાન્ઝિટ કોઈપણ અપવાદ વિના સ્થગિત કરવામાં આવશે અને માન્ય સમર્થન સાથે તે રૂટ દ્વારા પાછા ફરનારાઓને 30 એપ્રિલની સમયમર્યાદા આપવામાં આવશે."

પાકિસ્તાને આપી ચેતવણી...

પાકિસ્તાન સરકારે ચેતવણી આપતા જણાવ્યું કે, "સિંધુ જળ સંધિ હેઠળ પાકિસ્તાનના પાણીના પ્રવાહને અવરોધવાનો અથવા તેને વાળવાનો અને નીચલા નદીના ક્ષેત્રમાં તેના અધિકારોનું ઉલ્લંઘન કરવાનો કોઈપણ પ્રયાસ યુદ્ધની કાર્યવાહી તરીકે ગણવામાં આવશે. રાષ્ટ્રીય શક્તિના સંપૂર્ણ સ્પેક્ટ્રમમાં સંપૂર્ણ બળથી જવાબ આપવામાં આવશે."

Last Updated : April 25, 2025 at 9:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.