ઓટાવા: કેનેડામાં ભારત વિરોધી ખાલિસ્તાની તત્વોની પ્રવૃત્તિઓ ચિંતાનો વિષય બની રહી છે. વધુ એક ઘૃણાસ્પદ કૃત્યમાં, ઉપદ્રવીઓએ કેનેડાના વેનકુવરમાં એક ગુરુદ્વારાને નિશાન બનાવ્યું છે. ઉપદ્રવીઓએ ગુરુદ્વારામાં તોડફોડ કરી અને દિવાલો પર ખાલિસ્તાન ઝિંદાબાદના નારા લખ્યા.
વેનકુવર સનના અહેવાલ મુજબ, આ ઘટના વાનકુવરના ખાલસા દિવાન સોસાયટી (KDS) ગુરુદ્વારામાં બની હતી, જેને રોસ સ્ટ્રીટ ગુરુદ્વારા તરીકે પણ ઓળખવામાં આવે છે. ખાલસા દીવાન સોસાયટીએ એક નિવેદન જારી કરીને આ ઘટનાની સખત નિંદા કરી છે. તેમણે કહ્યું, "ખાલિસ્તાનની હિમાયત કરતા શીખ અલગતાવાદીઓના એક નાના જૂથે 'ખાલિસ્તાન ઝિંદાબાદ' જેવા વિભાજનકારી નારા લગાવીને અમારી પવિત્ર દિવાલોને બદનામ કરી દીધી."
ગુરુદ્વારા પ્રશાસને શેર કરેલા ફોટામાં શીખ મંદિરના પાર્કિંગની આસપાસની દિવાલો પર ઘણી જગ્યાએ "ખાલિસ્તાન" શબ્દ સ્પ્રે પેઇન્ટેડ દેખાય છે. કેનેડિયન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વેનકુવર પોલીસ વિભાગ આ ઘટનાની તપાસ કરી રહ્યું છે. આ ઘટના એ દિવસે બની હતી જ્યારે સરેમાં વિશ્વની સૌથી મોટી વૈશાખી પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાલસા દીવાન સોસાયટીએ ખાલિસ્તાન તરફી જૂથોને આ કાર્યક્રમમાં ભાગ લેવાથી રોકી દીધા હતા.
KDS એ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, "ખાલિસ્તાનની હિમાયત કરતા શીખ અલગતાવાદીઓના એક નાના જૂથે 'ખાલિસ્તાન ઝિંદાબાદ' જેવા વિભાજનકારી નારાઓથી અમારી પવિત્ર દિવાલોને ખરાબ કરી નાખી હતી." રોસ સ્ટ્રીટ ગુરુદ્વારાની સ્થાપના 1906માં થઈ હતી અને તે વાનકુવરના સૌથી જૂના ગુરુદ્વારાઓમાંનું એક છે.
આ પણ વાંચો: