હૈદરાબાદ: દેશસેવા કરવા માંગતા યુવાનો માટે ભારતીય સેનામાં નોકરીની ઉત્તમ તક આવી છે. જે યુવાનો દેશ માટે કંઈક કરવા માંગે છે. તેમના માટે ભારતીય સેનામાંથી અગ્નિવીર માટે અરજીઓ મગાવવામાં આવી છે. લાયક ઉમેદવારો અગ્નિવીર ભરતી 2025 માટે તાત્કાલિક ઓનલાઈન અરજી કરો.
અગ્નિપથ યોજના હેઠળ ભરતી વર્ષ 2025-26 માટે અગ્નિવીર પ્રવેશ પસંદગી કસોટી માટે અપરિણીત પુરુષ ઉમેદવારો પાસે અરજીઓ મંગાવવામાં આવી છે. આશરે 25000 જગ્યાઓ પર અગ્નિવીરોની ભરતી કરવાની હોવાથી ઉમેદવારોએ તાત્કાલિક અરજી કરી શકે છે.
RO દ્વારા ભરતી તેની નીચે આવતા જિલ્લાઓમાં અરજી કરી શકે છે. ઓફિશિયલ નોટિફિકેશન અવશ્ય વાંચવી.
ઓનલાઈન અરજી: અગ્નિપથ 2025માં જોડાવવા માંગતા ઉમેદવારોએ તારીખ 12 માર્ચથી 10 એપ્રિલ 2025 સુધી ઓનલાઈન અરજી કરી લેવાની રહેશે.
સત્તાવાર વેબસાઈટ: joinindianarmy.nic.in
શૈક્ષણિક લાયકાત: સેનામાં અગ્નિવીર (general duties) માં જોડાવવા માંગતા ઉમેદવારોએ ધોરણ 10 પાસ હોવું ફરજિયાત છે.
અગ્નિવીર ટેક્નિકલ: જોડાવા માંગતા ઉમેદવારોએ ધોરણ 10થી 12 ભૌતિક શાસ્ત્ર, રસાયણ શાસ્ત્ર, ગણિત અને અંગ્રેજી વિષયો સાથે વિજ્ઞાનમાં ઓછામાં ઓછા 50 ગુણ અને દરેક વિષયમાં 40 ગુણ મેળવેલા હોવા જોઈએ.
અગ્નિવીર (કારકુન/સ્ટોર કીપર ટેકનિકલ) 10 કે 12 કોઈ પણ સ્ટ્રીમમાં 60 ટકા મેળવેલા હોવા જોઈએ.
અગ્નિવીર ટ્રેડ્સમેન: જોડાવવા માંગતા ઉમેદવારોએ ધોરણ 8 કે 10 પાસ હોવું જોઈએ. 5 વિષયોમાં 33 ટકા મેળવેલા હોવા જોઈએ.
વય મર્યાદા: અગ્નિપથ 2025માં જોડાવવા માંગતા ઉમેદવારોની 17 વર્ષથી 21 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
ફી: ઓનલાઈન અરજી કરવા માંગતા ઉમેદવારોએ રુ 250 પરીક્ષા ફી ચૂકવવાની રહેશે.
કયા જિલ્લામાંથી ઉમેદવારો અરજી કરી શકે છે
જામનગર, પોરબંદર, રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, કચ્છ, ગીર સોમનાથ, બોટાદ, મોરબી, દેવભૂમિ દ્વારકા, પાટણ, અમદાવાદ, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, ગાંધીનગર, દાનપુર, છોટાઉદેપુર, દાનપુર, અરવલ્લી, બનાસકાંઠા મહિસાગર, નર્મદા, નવસારી, પંચમહાલ, સાબરકાંઠા, સુરત, તાપી, વડોદરા, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી અને દીવ જિલ્લા/UTના નિવાસીઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે.
(મહત્ત્વપૂર્ણ નોંધ: અરજી કરવા માંગતા ઉમેદવારોએ લાયકાત, અનુભવ, વયમાં છૂટ, વગેરે માટે સત્તાવાર જાહેરાત અવશ્ય વાંચી લેવી.)
આ પણ વાંચો: