ETV Bharat / bharat

મુંબઈ હુમલાનો માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણા આજે ભારત પહોંચશે, તિહાર જેલમાં રાખવામાં આવશે! , - TAHAWWUR RANA

મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાને ભારત લાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. તેને ગમે ત્યારે ભારત લાવવામા આવી શકે છે.

મુંબઈ હુમલાનો માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણા
મુંબઈ હુમલાનો માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણા (ANI ફાઈલ તસ્વીર)
author img

By ETV Bharat Gujarati Team

Published : April 10, 2025 at 7:58 AM IST

1 Min Read

નવી દિલ્હી: મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર હુસૈન રાણાને અમેરિકાથી પ્રત્યાર્પણ કર્યા બાદ ભારત લવાયા બાદ નવી દિલ્હીની તિહાર જેલના હાઈ સિક્યોરિટી વાળા વોર્ડમાં રાખવામાં આવી શકે છે. સુરક્ષાની દ્રષ્ટિએ તિહાર જેલ સૌથી સુરક્ષિત માનવામાં આવે છે. કુખ્યાત અંડરવર્લ્ડ ડોન છોટા રાજન જેવા હાઇ પ્રોફાઇલ કેદીઓને પણ અહીં રાખવામાં આવ્યા છે.

તહવ્વુર રાણાને ભારત લાવવામાં આવી રહ્યો છે કારણ કે પ્રત્યાર્પણ ટાળવાનો તેમનો છેલ્લો પ્રયાસ નિષ્ફળ ગયો હતો, અમેરિકાની સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોએ તેમની અરજી ફગાવી દીધી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, અનેક એજન્સીઓના કર્મચારીઓની એક ટીમ તહવ્વુર રાણાને ભારત લાવવા માટે અમેરિકા ગઈ છે.

૨૬ નવેમ્બર ૨૦૦૮ના રોજ, ૧૦ પાકિસ્તાની આતંકવાદીઓના એક જૂથે અરબી સમુદ્ર પાર કરીને ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં ઘૂસણખોરી કર્યા પછી, એક રેલ્વે સ્ટેશન, બે વૈભવી હોટલ અને એક યહૂદી કેન્દ્ર પર એક સાથે હુમલા કર્યા.

લગભગ 60 કલાક સુધી ચાલેલા આ હુમલામાં 166 લોકો માર્યા ગયા, જેનાથી દેશભરમાં ખળભળાટ મચી ગયો હતો. આ ઘટના બાદ ભારત અને પાકિસ્તાન યુદ્ધની અણી પર પણ આવી ગયા. આરોપી રાણાને 17 વર્ષ પછી ભારત લાવવામાં આવી રહ્યો છે. આનાથી મુંબઈ હુમલાના પીડિતોએ ખુશી વ્યક્ત કરી છે, પીડિતો તરફથી હવે તહવ્વુર રાણાને ફાંસી આપવાની માંગ કરવામાં આવી રહી છે.

  1. મુંબઈ આતંકી હુમલાના સાજીશકર્તા તહવ્વુર રાણાના, પ્રત્યાર્પણ માટે NIAની ટીમ અમેરિકા જશે
  2. 26/11 મુંબઈ હુમલાના દોષિત તહવ્વુર રાણા હવે ભારતની પકડમાં, US કોર્ટે આપી પ્રત્યાર્પણની મંજૂરી

નવી દિલ્હી: મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર હુસૈન રાણાને અમેરિકાથી પ્રત્યાર્પણ કર્યા બાદ ભારત લવાયા બાદ નવી દિલ્હીની તિહાર જેલના હાઈ સિક્યોરિટી વાળા વોર્ડમાં રાખવામાં આવી શકે છે. સુરક્ષાની દ્રષ્ટિએ તિહાર જેલ સૌથી સુરક્ષિત માનવામાં આવે છે. કુખ્યાત અંડરવર્લ્ડ ડોન છોટા રાજન જેવા હાઇ પ્રોફાઇલ કેદીઓને પણ અહીં રાખવામાં આવ્યા છે.

તહવ્વુર રાણાને ભારત લાવવામાં આવી રહ્યો છે કારણ કે પ્રત્યાર્પણ ટાળવાનો તેમનો છેલ્લો પ્રયાસ નિષ્ફળ ગયો હતો, અમેરિકાની સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોએ તેમની અરજી ફગાવી દીધી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, અનેક એજન્સીઓના કર્મચારીઓની એક ટીમ તહવ્વુર રાણાને ભારત લાવવા માટે અમેરિકા ગઈ છે.

૨૬ નવેમ્બર ૨૦૦૮ના રોજ, ૧૦ પાકિસ્તાની આતંકવાદીઓના એક જૂથે અરબી સમુદ્ર પાર કરીને ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં ઘૂસણખોરી કર્યા પછી, એક રેલ્વે સ્ટેશન, બે વૈભવી હોટલ અને એક યહૂદી કેન્દ્ર પર એક સાથે હુમલા કર્યા.

લગભગ 60 કલાક સુધી ચાલેલા આ હુમલામાં 166 લોકો માર્યા ગયા, જેનાથી દેશભરમાં ખળભળાટ મચી ગયો હતો. આ ઘટના બાદ ભારત અને પાકિસ્તાન યુદ્ધની અણી પર પણ આવી ગયા. આરોપી રાણાને 17 વર્ષ પછી ભારત લાવવામાં આવી રહ્યો છે. આનાથી મુંબઈ હુમલાના પીડિતોએ ખુશી વ્યક્ત કરી છે, પીડિતો તરફથી હવે તહવ્વુર રાણાને ફાંસી આપવાની માંગ કરવામાં આવી રહી છે.

  1. મુંબઈ આતંકી હુમલાના સાજીશકર્તા તહવ્વુર રાણાના, પ્રત્યાર્પણ માટે NIAની ટીમ અમેરિકા જશે
  2. 26/11 મુંબઈ હુમલાના દોષિત તહવ્વુર રાણા હવે ભારતની પકડમાં, US કોર્ટે આપી પ્રત્યાર્પણની મંજૂરી
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.